Site icon News Continuous Bureau | Mumbai

આજે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના 88મો જન્મદિન.. અનેક લોકોએ તેમને અભિનંદન પાઠવી કરી આ વાત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 સપ્ટેમ્બર 2020

 

ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનો આજે 88 મો જન્મદિવસ છે. દેશની દિગ્ગજ હસ્તિઓ ડો. મનમોહન સિંહને શુભેચ્છાઓ પાઠવી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતમાં આર્થિક સુધારાના નેતા ગણાતાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું કે, ભારતને આજે એક એવા વડાપ્રધાનની ખોટ અનુભવી રહ્યો છે, જેમાં મનમોહન સિંહ જેવી સમજદારી હોય. તેમની ઈમાનદારી, શાલીનતા અને સમર્પણ આપણા બધા લોકો માટે પ્રેરણાના સ્ત્રોત સમાન છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તેમનું આવનારું વર્ષ ખૂબ જ સુંદર હોય. મનમોહન સિંહ વર્ષથી 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની હસ્તિઓએ ડોક્ટર મનમોહન સિંહને સોશિયલ મીડિયા દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. 

નોંધનીય છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો જન્મ ભારતના ભાગલા થયાં તે અગાઉ પાકિસ્તાનના પંજાબમાં 26 સપ્ટેમ્બર, 1932ના રોજ થયો હતો. તેમણે પંજાબ અને કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. સાથે જ ઓક્સફોર્ડ યૂનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ઉપાધી મેળવી છે. તેઓ એક સમયે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના ગવર્નર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યાં. બહુ ઓછાં લોકોને જાણ છે કે રાજનીતિમાં આવતાં પહેલાં મનમોહન સિંહ કોલેજમાં અર્થશાસ્ત્રના અઘ્યાપક રહી ચૂક્યાં છે.

Supreme Court Ruling on Disinheriting Son હવે તમે તમારા પુત્રને સંપત્તિમાંથી કરી શકશો બેદખલ, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય
India Rejects Claims of Chinese Intrusion શું ચીન અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિમી અંદર ઘૂસ્યું? હવે આવ્યો ભારત સરકારનો સ્પષ્ટ જવાબ
Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
NEET Exam Reform Supreme Court Report નીટ પરીક્ષા સુધારણા… રાધાકૃષ્ણન કમિટીના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ કડક, NTA પાસેથી માંગ્યો જવાબ
Exit mobile version