Site icon News Continuous Bureau | Mumbai

લ્યો કરો વાત- જનસંખ્યામાં ચાલાક ચીન પણ પાછળ રહી જશે- આ વર્ષ સુધીમાં ભારત રહેશે પ્રથમ ક્રમે

News Continuous Bureau | Mumbai

દુનિયાના સૌથી વધુ વસ્તી(population) ધરાવતા દેશોની જો વાત કરીએ તો તેમાં ચીન(China) અને ભારત(India)ના નામ ટોચ પર આવે. હાલ ચીન આ મામલે પ્રથમ ક્રમે છે. જ્યારે ભારત બરાબર તેના પછીના ક્રમાંકે છે. જોકે જે રીતે ભારતમાં વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે તે જાેતા આ સ્થિતિ બહુ લાંબો સમય નહીં રહે. સંયુક્ત રાષ્ટ્ર(United nation)એ આ મામલે એક રિપોર્ટ બહાર પાડ્યો છે જે મુજબ આગામી વર્ષ સુધીમાં ભારત સૌથી વધુ વસ્તી ધરાવવા મુદ્દે ચીનને પણ પાછળ છોડીને પહેલા નંબરે પહોંચી શકે છે. 

Join Our WhatsApp Community

વિશ્વ વસ્તી દિવસે UNFPA એ બહાર પાડેલા આંકડા મુજબ દુનિયા(world)ની કુલ વસ્તી હાલ ૭ અબજ ૯૫ કરોડ ૪૦ લાખ છે. જેમાંથી ૬૫ ટકા લોકો ૧૫થી ૬૪ વર્ષના છે. જ્યારે ૬૫ વર્ષથી ઉપરના ૧૦ ટકા અને ૧૪ વર્ષથી ઓછી આયુવાળા લોકો ૨૫ ટકા છે. સંસ્થાએ નવેમ્બર ૨૦૨૨ સુધીમાં દુનિયાની કુલ વસ્તી ૮ અબજ સુધી પહોંચી જવાનો અંદાજાે લગાવ્યો છે. અત્રે જણાવવાનું કે સંયુક્ત રાષ્ટ્ર(UN)ના ૨૦૨૨ સુધીના આંકડા મુજબ ભારતની વસ્તી ૧,૩૮૦,૦૦૪,૩૮૫ છે.  

આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય- આ તારીખથી 18થી વધુ વયના લોકો મફતમાં લઈ શકશે કોરોનાનો પ્રિકોશન ડોઝ- જાણો વિગતે 

મહાદ્વિપો પ્રમાણે જાેઈએ તો હાલ ૪.૭ અબજ વસ્તી સાથે એશિયા સૌથી ઉપર છે. સમગ્ર દુનિયામાં એકલા એશિયાની જ ભાગીદારી ૬૧ ટકા છે. ત્યારબાદ આફ્રિકામાં ૧.૩ અબજ લોકો એટલે કે ૧૭ ટકા વસ્તી વસે છે. આ ઉપરાંત યુરોપમાં ૭૫ કરોડ એટલે કે ૧૦ ટકા, લેટિન અમેરિકા(US) અને કેરેબિયન દેશો(Carabian countries)માં ૬૫ કરોડ એટલે કે ૮ ટકા, ઉત્તર અમેરિકામાં ૩૭ કરોડ અને ઓસિનીયામાં ૪.૩ કરોડ લોકો રહે છે.

વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્‌સ ૨૦૧૯ મુજબ હાલ ચીન ૧.૪૪ અબજની વસ્તી સાથે પ્રથમ નંબરે છે. જ્યારે ભારત બીજા નંબરે છે. દુનિયાની કુલ વસ્તીમાં ચીનની ૧૯ ટકા અને ભારતની ૧૮ ટકા ભાગીદારી છે. રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૩ સુધીમાં ભારતની ભાગીદારી ચીન કરતા વધી જશે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે ચીનની વસ્તી વર્ષ ૨૦૧૯થી વર્ષ ૨૦૫૦ દરમિયાન ૩.૧૪ કરોડ એટલે કે લગભગ ૨.૨ ટકા ઘટી જશે.

આ સમાચાર પણ વાંચો : VIVO બાદ હવે અન્ય એક ચીની કંપનીનો વારો- DRIએ આ મોબાઈલ કંપનીની અધધ આટલા કરોડ કસ્ટમ ડ્યૂટી ચોરી પકડી

 વર્ષ ૧૯૮૭માં ૧૧ જુલાઈના રોજ દુનિયાની વસ્તી ૫ અબજને પાર કરી ગઈ. દુનિયામાં વધતી જનસંખ્યાને જાેતા જનસંખ્યા સંલગ્ન મુદ્દાઓ અને પર્યાવરણ, વિકાસ પર તેની અસરને લઈને દુનિયાભરના લોકોને જાગૃત કરવાની જરૂરિયાત અનેક સંગઠનોને મહેસૂસ થવા લાગી. ત્યારબાદ જ તેની શરૂઆત થઈ. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ(UNFPA) નું કહેવું છે કે વિશ્વ વસ્તી દિવસને માનવીય પ્રગતિના જશ્ન તરીકે ઉજવવો જોઈએ. લોકોએ સમસ્યા નહીં સમાધાન તરીકે જોવું જોઈએ. દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ ઉજવણી વખતે એક થીમ રાખવામાં આવે છે. આ વખતે વિશ્વ વસ્તી દિવસની થીમ છે '૮ અબજ લોકોની દુનિયા'. આ થીમ હેઠળ દરેક માટે સારું ભવિષ્ય નક્કી કરવા તરફ વધતા ડગ, જ્યાં તક હોય, અધિકાર હોય, અને બધાની પાસે પોતાની પસંદનો વિકલ્પ હોય, તેના પર કામ કરવામાં આવશે.

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version