Site icon News Continuous Bureau | Mumbai

India-Pakistan Relations:ભારતે આસિમ મુનીરના નિવેદનની કરી આકરી ટીકા, પરમાણુ ધમકીઓ ને લઈને કહી આવવી વાત

ભારતે પાકિસ્તાની સેના પ્રમુખના પરમાણુ ધમકીઓને બિનજવાબદાર ગણાવી, કહ્યું કે આંતરિક નિષ્ફળતાઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે.

ભારતે આસિમ મુનીરના નિવેદનની કરી આકરી ટીકા, પરમાણુ ધમકીઓ ને લઈને કહી આવવી વાત

ભારતે આસિમ મુનીરના નિવેદનની કરી આકરી ટીકા, પરમાણુ ધમકીઓ ને લઈને કહી આવવી વાત

News Continuous Bureau | Mumbai
ભારતે પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીર દ્વારા કરવામાં આવેલી “બેજવાબદાર” પરમાણુ ધમકીઓની આકરી નિંદા કરી છે. ભારતે કહ્યું કે યુદ્ધ-ઉત્તેજક ટિપ્પણીઓ ઇસ્લામાબાદની આંતરિક નિષ્ફળતાઓથી ધ્યાન હટાવવા માટેની વ્યૂહરચનાનો ભાગ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, “પાકિસ્તાની નેતૃત્વ તરફથી ભારત વિરુદ્ધ બેજવાબદાર, યુદ્ધ-ઉત્તેજક અને દ્વેષપૂર્ણ ટિપ્પણીઓનો સતત પેટર્ન જોવા મળી રહી છે. આ તેમની પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે ભારત વિરોધી વાતોને વારંવાર ઉછાળવાની જાણીતી મોડસ ઓપરેન્ડી છે.”

મે મહિનામાં ભારતે આપ્યો હતો આકરો જવાબ

જયસ્વાલે ચેતવણી આપી કે “કોઈપણ દુસ્સાહસ ના ગંભીર પરિણામો આવશે, જે તાજેતરમાં જોવા મળ્યું.” MEA મે મહિનામાં થયેલા સૈન્ય ગતિરોધનો ઉલ્લેખ કરી રહ્યું હતું, જ્યારે ભારતે પાકિસ્તાનમાં અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી શિબિરોને લક્ષ્ય બનાવ્યા બાદ પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલાનો આકરો જવાબ આપ્યો હતો. ભારતે આ ટિપ્પણીઓને “પરમાણુ શક્તિનો બેજવાબદાર પ્રદર્શન” ગણાવી અને તેને પ્રાદેશિક તથા વૈશ્વિક સુરક્ષા માટે જોખમ ગણાવ્યું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Raj Thackeray: ૧૫ ઓગસ્ટે કતલખાના અને માંસની દુકાનો બંધ રાખવાના આદેશ પર રાજ ઠાકરેનો આક્રોશ

“આંતકવાદી જૂથો સાથે મળીને કામ કરતું સૈન્ય તંત્ર”

ભારતે એ પણ ચિંતા વ્યક્ત કરી કે આવી ધમકીઓ એક એવા સૈન્ય તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે, જે “આતંકવાદી જૂથો સાથે હાથ મિલાવીને” કામ કરે છે, જેના કારણે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રાગારની સુરક્ષા પર શંકા ઊભી થાય છે. ભારતે આસિમ મુનીરની એક મિત્ર દેશની ધરતી પર આવી ટિપ્પણીઓ કરવા બદલ પણ ટીકા કરી. એવા પણ અહેવાલો છે કે મુનીરે યુએસમાં એક ખાનગી કાર્યક્રમમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની જામનગર રિફાઈનરીને નિશાન બનાવવાની ધમકી આપી હતી.

પાકિસ્તાનનો બચાવ અને ભારતનો દ્રઢ સંકલ્પ

પાકિસ્તાને ભારતના આરોપોને નકારી કાઢતા દાવો કર્યો કે તેની પરમાણુ નીતિ સંપૂર્ણપણે નાગરિક નિયંત્રણ હેઠળ છે અને તેણે વ્યૂહાત્મક બાબતોમાં હંમેશા “શિસ્ત અને સંયમ” રાખ્યો છે. તેણે ચેતવણી આપી કે ભારતના કોઈપણ “આક્રમણ”નો “તાત્કાલિક અને સમાન જવાબ” આપવામાં આવશે.

Donald Trump Giorgia Meloni “તેઓ સારા વ્યક્તિ છે, પણ…”; ઇટાલીના પીએમ મેલોની અંગે ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા, જાણો હવે શું કહ્યું?
Nijjar Case Update નિજ્જર કેસમાં કેનેડાનો મોટો યુટર્ન ભારતીય અધિકારીઓ વિરુદ્ધ કોઈ પુરાવા નથી, જસ્ટિન ટ્રુડોના જુઠાણાનો થયો પર્દાફાશ
NATO Mega Defense Plan રશિયાચીન સામે લડવા નાટોનો મેગા ડિફેન્સ પ્લાન, મિસાઈલ શીલ્ડથી લઈને સ્પેસ સર્વેલન્સ સુધીની નવો માસ્ટરપ્લાન તૈયાર
Pakistan Cargo Plane Missing પાકિસ્તાનનું કાર્ગો વિમાન રડાર પરથી અચાનક ગાયબ, અરબ સાગરમાં ક્રેશ થયું હોવાની મોટી આશંકા
Exit mobile version