Site icon

ભારતીય સેનાની તાકાતમાં વધારો, અગ્નિ-5 મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ; જાણો તેની વિશેષતા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 28 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

સીમા સુરક્ષા અને મિસાઇલ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતે વધુ એક સફળતા હાંસલ કરી લીધી છે.

ભારતે ઓરિસ્સાના તટથી દૂર એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર સપાટીથી સપાટી પર અટેક કરતી બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ 5નું સફળ પરીક્ષણ કર્યું છે.

આ મિસાઈલ 5 હજાર કિલોમીટર અંતર સુધી લક્ષ્યને ભેદવા માટે સક્ષમ છે. એના વ્યાપમાં ચીન અને પાકિસ્તાન સહિત સમગ્ર એશિયા આવી જાય છે. 

આ ઉપરાંત અગ્નિ પાંચમાં એમઆઇઆરવી ટેકનિક પણ ખાસ છે. તેના લીધે તેના પર એક જ જગ્યાએ ઘણા શસ્ત્રો લગાવી શકાય છે. 

આમ તેના લીધે આ મિસાઇલ એક જ વખતમાં એકસાથે ઘણા લક્ષ્યાંકોને ધ્વસ્ત કરી શકે છે. 

જો કે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેની નીતિ હંમેશા પહેલો હુમલો કરવાની નથી. ભારત પોતાની તાકાત વધારવા માટે પૂરેપૂરુ જોર લગાવી રહ્યું છે.  

ઉલ્લેખનીય છે કે આ મિસાઇલનું પરીક્ષણ પહેલા ૨૦૨૦માં થવાનું હતું, પરંતુ કોવિડ-૧૯ રોગચાળાના લીધે તે શક્ય બન્યું ન હતું.

મુંબઈગરા માટે આટલા મહિના મહત્વપૂર્ણ, કોરોનાને લઈને મનપા એલર્ટ મોડ પર; પાલિકાએ લોકોને કરી આ અપીલ

Rahul Gandhi: ‘રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’: ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 પ્રતિષ્ઠિત હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Nitish Kumar: બિહારમાં ‘એ જ ત્રિપુટી’નો દબદબો કાયમ: નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામ પર પણ મંજૂરીની મહોર
PM Kisan Yojana: PM કિસાન યોજના: ખુશખબરી! આજે યુપીના ખેડૂતોના ખાતામાં જમા થશે ₹4314.26 કરોડ, અહીં જુઓ વિગતો
RAW Officer: RAW અધિકારી બનીને કરતો હતો છેતરપિંડી: 20 બેંકોમાં ખાતા, 5 પાન કાર્ડ સાથે બિહારના સુનીતની નોઇડામાં ધરપકડ
Exit mobile version