Site icon

Mehul Choksi: ભારત માં મેહુલ ચોક્સી ને મળશે આ સુવિધા, ગૃહ મંત્રાલયે એ બેલ્જિયમ કોર્ટને આપી ખાતરી

Mehul Choksi: મેહુલ ચોક્સીને 12,000 કરોડના પીએનબી કૌભાંડમાં ભારત લાવવા માટે સરકારે બેલ્જિયમ પાસેથી પ્રત્યાર્પણની માંગ કરી છે. મુંબઈની આર્થર રોડ જેલમાં તેમને તબીબી, ભોજન અને સુરક્ષાની સુવિધાઓ આપવાની ખાતરી આપવામાં આવી છે

Mehul Choksi ભારત માં મેહુલ ચોક્સી ને મળશે આ સુવિધા, ગૃહ મંત્રાલયે એ બેલ્જિયમ કોર્ટને આપી ખાતરી

Mehul Choksi ભારત માં મેહુલ ચોક્સી ને મળશે આ સુવિધા, ગૃહ મંત્રાલયે એ બેલ્જિયમ કોર્ટને આપી ખાતરી

News Continuous Bureau | Mumbai
Mehul Choksi ભારતે પંજાબ નેશનલ બેંકના ₹12,000 કરોડના કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને દેશમાં લાવવા માટે બેલ્જિયમ પાસેથી પ્રત્યાર્પણની માંગ કરી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે, ભારતે બેલ્જિયમની કોર્ટને ખાતરી આપી છે કે ચોક્સીને જેલમાં પૂરતું ભોજન, 24 કલાક તબીબી સુવિધાઓ અને સ્વચ્છતા જેવી તમામ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર ધોરણો મુજબની સુવિધાઓ મળશે.

જેલમાં રહેવાની વ્યવસ્થા

ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે મેહુલ ચોક્સીને મુંબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર 12માં રાખવામાં આવશે. આ જેલની સુવિધાઓમાં જાડા કપાસનું ગાદલું, ઓશીકું, ચાદર અને ધાબળોનો સમાવેશ થશે. તબીબી જરૂરિયાત હોય તો ધાતુ કે લાકડાનો પલંગ પણ આપી શકાય છે. મુંબઈનું હવામાન ગરમ અને ભેજવાળું હોવાથી બેરેકમાં હીટિંગની જરૂર રહેશે નહીં. ચોક્સીને દિવસમાં ત્રણ વખત ભોજન આપવામાં આવશે અને જો કોઈ વિશેષ આહારની જરૂર હશે તો તબીબી મંજૂરી પછી તે પણ પૂરી પાડવામાં આવશે.

Join Our WhatsApp Community

જેલમાં મળતી સુવિધાઓ

જેલની કેન્ટીનમાં ફળો અને નાસ્તા ઉપલબ્ધ રહેશે. ચોક્સીને દરરોજ ખુલ્લા વિસ્તારમાં કસરત કરવાની સુવિધા મળશે. આ ઉપરાંત, ઇન્ડોર ગેમ્સ, બેડમિંટન, યોગ, ધ્યાન, લાઇબ્રેરી અને અભ્યાસ માટેની સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેલના હોસ્પિટલમાં છ તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ, ફાર્માસિસ્ટ અને લેબ સપોર્ટ જેવી સુવિધાઓ છે. 20 બેડની સંપૂર્ણ સજ્જ તબીબી સુવિધા પણ હાજર છે. જરૂર પડ્યે, ચોક્સીને નજીકની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટર પાસે પણ લઈ જવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Kulgam Encounter: કુલગામ એન્કાઉન્ટર માં એક આતંકવાદી ઠાર, હજુ આટલા છુપાયા હોવાની શંકા; સુરક્ષા દળો સાથે અથડામણ ચાલુ

બેલ્જિયમ કોર્ટને વિગતવાર યોજના મોકલાઈ

આ તમામ વિગતો બેલ્જિયમની કોર્ટને મોકલવામાં આવી છે, જેથી તેમને ખાતરી થાય કે ભારતમાં ચોક્સીને આંતરરાષ્ટ્રીય માનવાધિકારના ધોરણો મુજબ રાખવામાં આવશે. પ્રત્યાર્પણ પ્રક્રિયામાં આવા આશ્વાસનો આપવા સામાન્ય બાબત છે. તાજેતરમાં, વિદેશી અધિકારીઓએ તિહાર જેલની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કેદીઓની સુરક્ષા વ્યવસ્થા, ભોજન અને રહેવાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. બ્રિટિશ અધિકારીઓએ પણ તાજેતરમાં તિહાર જેલની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે જેલની સ્થિતિ લાંબા સમયથી એક મહત્વપૂર્ણ મુદ્દો રહી છે, અને બ્રિટિશ અદાલતોએ ભારતીય જેલની સ્થિતિને કારણે અનેક પ્રત્યાર્પણ અરજીઓ ફગાવી દીધી છે.

UP Police Special Screening:સિંઘમ સ્ટાઈલમાં એન્ટ્રી! 600 પોલીસ ઓફિસરો એકસાથે જોશે ‘ધુરંધર-2’, મેરઠમાં બે હોલ હાઉસફુલ..
Masterstroke of India’s foreign policy:ભારતની વિદેશ નીતિનો માસ્ટરસ્ટ્રોક: એસ. જયશંકરે સમજાવ્યું ઇઝરાયલ સાથેની દોસ્તી અને ઇરાન સાથેના સંબંધોનું ગણિત.
New Income Tax Rules 2026:૧ એપ્રિલથી આ મોટો ફેરફાર! LPG સિલિન્ડર, ATM અને PAN કાર્ડના બદલાયા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
Mega Aviation Plan:એવિએશન સેક્ટરમાં ધડાકો! મોદી સરકારે જાહેર કર્યો 100 એરપોર્ટનો પ્લાન, જાણો શું છે તૈયારી.
Exit mobile version