News Continuous Bureau | Mumbai
Piyush Goyal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારતે અમેરિકા સાથે વચગાળાના વેપાર કરાર માટેનું માળખું તૈયાર કરી લીધું છે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, આ સમજૂતી ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારીમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ ડીલથી ભારતના MSME સેક્ટર, ખેડૂતો અને માછીમારો માટે વિશ્વના સૌથી મોટા 30 ટ્રિલિયન ડોલરના બજારના દ્વાર ખુલશે.આ ફ્રેમવર્ક હેઠળ, અમેરિકા ભારતીય સામાન પરના રેસિપ્રોકલ ટેરિફ ઘટાડીને 18 ટકા કરશે. આનાથી ટેક્સટાઇલ, લેધર, ફૂટવેર, પ્લાસ્ટિક, રબર ઉત્પાદનો અને હસ્તકલા જેવા ક્ષેત્રોમાં ભારતની નિકાસમાં જંગી ઉછાળો આવશે. નિકાસમાં વધારો થવાને કારણે દેશના લાખો યુવાનો અને મહિલાઓ માટે રોજગારીની નવી તકો ઉભી થશે.
કઈ વસ્તુઓ પર ટેરિફ થશે શૂન્ય?
ભારતની નિકાસ સ્પર્ધાત્મકતા અને ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાનને મજબૂત કરવા માટે કેટલીક મહત્વની વસ્તુઓ પર ટેરિફ સંપૂર્ણપણે નાબૂદ (શૂન્ય) કરવામાં આવશે:
જેનરિક ફાર્માસ્યુટિકલ્સ: ભારતીય દવાઓ અમેરિકામાં સસ્તી થશે.
જેમ્સ એન્ડ ડાયમંડ: હીરા ઉદ્યોગને મોટો વેગ મળશે.
એરક્રાફ્ટ પાર્ટ્સ: વિમાનના સ્પેરપાર્ટ્સની નિકાસ સરળ બનશે.
Under the decisive leadership of PM @NarendraModi ji, India has reached a framework for an Interim Agreement with the US. This will open a $30 trillion market for Indian exporters, especially MSMEs, farmers and fishermen. The increase in exports will create lakhs of new job… pic.twitter.com/xYSjxML6kt
— Piyush Goyal (@PiyushGoyal) February 7, 2026
આ સમાચાર પણ વાંચો : Ola Uber Strike Today: આજે ઓલા, ઉબેર અને રેપિડોની દેશવ્યાપી હડતાળ: મુસાફરોની હાલાકીમાં થશે વધારો, જાણો કેટલા કલાક સુધી બંધ રહેશે સર્વિસ.
ખેતી અને ડેરી ઉત્પાદનો સંપૂર્ણ સુરક્ષિત
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારત-અમેરિકા વચ્ચેના વ્યાપારી કરાર અંગે મહત્વની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ભારતના સંવેદનશીલ કૃષિ અને ડેરી ક્ષેત્રના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવ્યું છે. આ કરાર હેઠળ મકાઈ, ઘઉં, ચોખા, સોયા, મરઘા પાલન, દૂધ, પનીર, ઇથેનોલ અને માંસ જેવા ઉત્પાદનોને બાકાત રાખવામાં આવ્યા છે, જેથી ગ્રામીણ આજીવિકા પર કોઈ નકારાત્મક અસર ન પડે.ઐતિહાસિક ‘લેતી-દેતી’ (Key Deal Points) ની વિગતો મુજબ, અમેરિકાએ રશિયન તેલ ખરીદીને કારણે ભારતીય વસ્તુઓ પર લાગેલો ૨૫% વધારાનો ટેરિફ હટાવી તેને ૧૮% કર્યો છે અને ભારતીય ઓટો પાર્ટ્સને પ્રાયોરિટી ટેરિફ-રેટ ક્વોટા આપ્યો છે. તેના બદલામાં, ભારત અમેરિકી મેવા, ફળો અને વાઇન પરના ટેરિફમાં ઘટાડો કરશે અને આગામી ૫ વર્ષમાં અમેરિકા પાસેથી $૫૦૦ અબજનું તેલ, કોલસો અને ટેક પ્રોડક્ટ્સ ખરીદશે, જેની સાથે અમેરિકી ઔદ્યોગિક ઉત્પાદનો માટે ભારતીય બજારના દ્વાર પણ ખુલશે.
ટ્રમ્પ સરકારનો મહત્વનો નિર્ણય
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જેના હેઠળ ભારત પર રશિયન તેલની ખરીદીને કારણે લાદવામાં આવેલો 25 ટકા ટેરિફ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યો છે. બંને દેશો માર્ચ સુધીમાં આ વેપાર કરાર પર સત્તાવાર હસ્તાક્ષર કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે. ભારત આગામી 5 વર્ષમાં અમેરિકા પાસેથી ઉર્જા ઉત્પાદનો, વિમાન અને કિંમતી ધાતુઓની મોટાપાયે ખરીદી કરીને વેપારી સંબંધોને વધુ ગાઢ બનાવશે.
