ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જાન્યુઆરી 2022
શનિવાર.
ભારત વિરૃદ્ધ અપપ્રચાર કરતા અને ખોટી માહિતી ફેલાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
35 યુટયૂબ ચેનલ, બે વેબસાઈટ અને પાંચ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે ગુપ્તચર વિભાગે એક અહેવાલ રજૂ કર્યો હતો, ત્યારબાદ આ પગલું ભર્યું છે
આ એકાઉન્ટ્સમાં નફરત ફેલાય એવી પોસ્ટ મૂકવામાં આવતી હતી અને ભારતને બદનામ કરવા માટે જુઠાણા ફેલાવાતા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે આ એકાઉન્ટ્સ પાકિસ્તાનમાંથી ચાલતા હતા.
