News Continuous Bureau | Mumbai

Indian Navy : ભારતીય નૌકાદળ પલાઉ-ફ્લેગ ટેન્કર MT યી ચેંગ – 6 પર મહત્વપૂર્ણ અગ્નિશામક અને બચાવ કામગીરીનું નેતૃત્વ કર્યુ

Indian Navy : ઉત્તર અરબી સમુદ્રમાં ભારતીય ક્રૂની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી

News Continuous Bureau | Mumbai  

Indian Navy :  ઝડપી ઓપરેશનલ તૈયારી અને દરિયાઈ સુરક્ષા પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવતા, ભારતીય નૌકાદળે 29 જૂન 2025ના રોજ ઉત્તર અરબી સમુદ્રમાં પલાઉ ફ્લેગ ટેન્કર MT યી ચેંગ – 6 પર વધુ પડતી જોખમી અગ્નિશામક અને બચાવ કામગીરી હાથ ધર્યા બાદ સફળતાપૂર્વક પરિસ્થિતિને કાબૂ કરી અને 14 ભારતીય ક્રૂ સભ્યોની સલામતી સુનિશ્ચિત કરી હતી.

Join Our WhatsApp Channel

Indian Navy leads high-risk firefighting, rescue operation on Palau-flagged tanker in Arabian Sea

29 જૂન 2025ની સવારે મિશન-આધારિત ફરજ પર તૈનાત INS તબરને MT યી ચેંગ 6 તરફથી મે ડે ડિસ્ટ્રેસ કોલ મળ્યો હતો. યુએઈના ફુજૈરાહથી લગભગ 80 નોટિકલ માઇલ પૂર્વમાં કાર્યરત જહાજે તેના એન્જિન રૂમમાં મોટી આગની જાણ કરી હતી.

ઝડપથી પ્રતિક્રિયા આપતા INS તબર મદદ કરવા માટે મહત્તમ ગતિએ આગળ વધ્યું હતું. તેમજ મુશ્કેલીમાં મુકાયેલા જહાજની નજીક પહોંચ્યું અને ત્યારબાદ જહાજના માસ્ટર સાથે સંપર્ક સ્થાપિત કરી અને અગ્નિશામક કામગીરી શરૂ કરી હતી.

ક્રૂની સલામતીને પ્રાથમિકતા આપતા, સાત ક્રૂ સભ્યોને તાત્કાલિક જહાજની બોટનો ઉપયોગ કરીને INS તબરમાં ખસેડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કોઈ ઈજા થઈ ન હતી, તબરની તબીબી ટીમ દ્વારા તમામ ક્રૂની તપાસ કરવામાં આવી હતી. માસ્ટર સહિત બાકીના ક્રૂ સભ્યો આગને કાબુમાં લેવામાં મદદ કરવા માટે જહાજમાં જ રહ્યા. INS તબરે અગ્નિશામક સાધનો સાથે છ સભ્યોની અગ્નિશામક અને નુકસાન નિયંત્રણ ટીમ તૈનાત કરી હતી.

ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને જહાજના ક્રૂ દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક અગ્નિશામક પ્રયાસોના પરિણામે આગની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો અને ધુમાડો એન્જિન રૂમમાં જ મર્યાદિત રહ્યો હતો. ભારતીય નૌકાદળના વધારાના 13 કર્મચારીઓ (5 અધિકારીઓ અને 8 ખલાસીઓ)ની મદદથી અગ્નિશામક પ્રયાસને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો  :  UNMICRC :યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ, કાર્ડિયાક અને ન્યુરો કેરને મળી નવી દિશા; એક મહિનામાં ગાંધીનગર સેન્ટરમાં કુલ ૧,૪૧૦ ઓ.પી.ડી. અને ૭૭ દર્દીઓને ઇન્ડોર તરીકે સારવાર અપાઈ

ભારતીય નૌકાદળની અગ્નિશામક ટીમ અને ક્રૂ સભ્યોના સતત પ્રયાસોથી, આગને સફળતાપૂર્વક કાબુમાં લેવામાં આવી છે. તાપમાનની સતત તપાસ અને દેખરેખ રાખવામાં આવી રહી છે. INS તબર સતત સહાય માટે સ્ટેશન પર રહ્યું છે.

 

ભારતીય નૌકાદળના કર્મચારીઓના બહાદુરીભર્યા પ્રયાસોએ જહાજ અને તમામ ભારતીય ક્રૂ સભ્યોની સલામતી સુનિશ્ચિત કરી છે. આ ઘટના ફરી એકવાર ભારતીય નૌકાદળની ઝડપી પ્રતિભાવ ક્ષમતા, ઓપરેશનલ તૈયારી, દરિયાઈ સુરક્ષા પ્રત્યે માનવતાવાદી અભિગમને પ્રકાશિત કરે છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે ભારતની ભૂમિકાની પુનઃપુષ્ટિ કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Amritsar Army Camp Blast News। પંજાબમાં ફરી ધડાકો જલંધર બાદ અમૃતસરમાં આર્મી કેમ્પની બહાર બ્લાસ્ટ, આખા વિસ્તારમાં મચ્યો હાહાકાર
West Bengal New Assembly Notification 2026। બંગાળ વિધાનસભાની રચનાનો માર્ગ સાફ! ચૂંટણી પંચના નોટિફિકેશન બાદ રાજકીય હલચલ તેજ, જાણો હવે આગળ શું થશે?
West Bengal CM Race। બંગાળમાં ૯ મેના રોજ શપથ ગ્રહણ શું ભાજપ આપશે મહિલા મુખ્યમંત્રી? આ ૩ દિગ્ગજ નામો પર ચર્ચાઓ તેજ
West Bengal Post Poll Violence| બંગાળમાં ‘બુલડોઝર એક્શન’થી રાજકારણ ગરમાયું TMC કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા, બંગાળમાં સ્થિતિ તણાવપૂર્ણ
Exit mobile version