Site icon News Continuous Bureau | Mumbai

Indian Navy : સોમાલિયા નજીક જહાજ થયું હાઇજેક! 15 ભારતીય ક્રૂ મેમ્બર્સ છે સવાર, નેવી INS ચેન્નાઈ થયું રવાના..

Indian Navy : સોમાલિયાના દરિયાકાંઠે લાઇબેરિયન ધ્વજવાળા કાર્ગો જહાજને હાઇજેક કરવામાં આવ્યું છે, જેમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર પણ સવાર હતા. ભારતીય નૌકાદળે પરિસ્થિતિ પર નજર રાખવા અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા યુદ્ધ જહાજ INS ચેન્નાઈ રવાના કરી છે.

Indian Navy Navy monitors hijacked ship near Somalia, 15 Indians on board

Indian Navy Navy monitors hijacked ship near Somalia, 15 Indians on board

News Continuous Bureau | Mumbai

Indian Navy : સોમાલિયા ( Somalia ) નજીક વધુ એક જહાજને હાઇજેક ( Hijacks ) કરવામાં આવ્યું છે. આ જહાજનું નામ એમવી લીલા નોરફોક છે. ભારતીય નૌકાદળે આ હાઈજેકને લઈને તાત્કાલિક કાર્યવાહી કરીને મોટું પગલું ભર્યું છે. ભારતીય નૌકાદળ ( Indian navy ) ના રક્ષક જહાજ INS ચેન્નાઈને નોર્ફોક તરફ રવાના કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે હાઇજેક કરાયેલા જહાજના ક્રૂમાં 15 ભારતીય સભ્યો પણ સામેલ છે.

Join Our WhatsApp Channel

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ સૈન્ય અધિકારીએ કહ્યું કે ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS ચેન્નાઈ હાઇજેકની સ્થિતિનો સામનો કરવા માટે અપહરણ કરાયેલા જહાજ તરફ આગળ વધી રહ્યું છે. અગાઉ, સૈન્ય અધિકારીએ કહ્યું હતું કે ભારતીય નૌકાદળ અપહરણ કરાયેલા જહાજ એમવી લીલા નોરફોક પર નજીકથી નજર રાખી રહ્યું છે.

એમવી લીલા નોર્ફોક શિપ

લાઇબેરિયન-ધ્વજવાળા જહાજ MV લીલા નોરફોક પર 15 ભારતીય ક્રૂ સભ્યો સવાર છે, જે સોમાલિયાના દરિયાકાંઠે હાઇજેક કરવામાં આવ્યું હતું. ગુરુવારે સાંજે આ જહાજના અપહરણની માહિતી મળી હતી. હાલમાં ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ જહાજ પર નજર રાખી રહ્યા છે અને ક્રૂ સાથે વાતચીત કરવામાં આવી છે. જહાજની અંદર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. 

જોકે સોમાલિયા નજીક જહાજના અપહરણની ઘટના નવી નથી. તાજેતરમાં, માલ્ટાના જહાજ MV રુએનને સોમાલિયામાં અરબી સમુદ્રમાં ચાંચિયાઓએ હાઇજેક કર્યું હતું. તે દરમિયાન નેવી દ્વારા યુદ્ધ જહાજ અને નેવી એરક્રાફ્ટ પણ મોકલવામાં આવ્યા હતા.

ભારતીય નૌકાદળ એક્શનમાં

ઘટનાની માહિતી મળ્યા બાદ નેવીએ એમપીએ લોન્ચ કર્યું. દરિયાઈ સુરક્ષા કામગીરી માટે તૈનાત INS ચેન્નાઈને વિદેશી જહાજની મદદ માટે ડાયવર્ટ કરવામાં આવી હતી. આજે સવારે વિમાને જહાજ ઉપરથી ઉડાન ભરી હતી. આ સાથે, ક્રૂની સુરક્ષા સુનિશ્ચિત કરતી વખતે જહાજ સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો હતો. ભારતીય નૌસેનાએ કહ્યું કે INS ચેન્નાઈ જહાજની મદદ માટે આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Viral Video: યુવક સિંહ અને દીપડાના બચ્ચા સાથે કરી રહ્યો છે મસ્તી, વિડીયો વાયરલ થતા યુઝર્સે ગણાવ્યો ક્રુર.. જુઓ વિડીયો

INS ચેન્નાઈની વિશેષતા

INS ચેન્નાઈ એ ભારતીય નૌકાદળનું સ્વદેશી ડિઝાઇન અને બિલ્ટ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. તે કોલકાતા-ક્લાસ સ્ટીલ્થ-ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર પ્રોજેક્ટ 15Aનું ત્રીજું અને છેલ્લું જહાજ છે. તે મુંબઈમાં Mazagon Dock Limited (MDL) દ્વારા બનાવવામાં આવ્યું હતું. INS ચેન્નાઈને 21 નવેમ્બર 2016ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી. તેની લંબાઈ 163 મીટર છે અને તેની બીમ 17.4 મીટર છે. તે ચાર રિવર્સિબલ ગેસ ટર્બાઇન એન્જિન દ્વારા સંચાલિત જહાજ છે જે 350 થી 400 લોકોને વહન કરી શકે છે.

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version