Site icon

Indian Navy: ભારતીય નૌકાદળએ કોચી ખાતે આ પ્રોજેક્ટના ચોથા અને પાંચમા જહાજ ‘માલપે અને મુલ્કી’નું કર્યું એક સાથે લોન્ચિંગ.

Indian Navy: ASW SWC (CSL) પ્રોજેક્ટના ચોથા અને પાંચમા જહાજ 'માલપે અને મુલ્કી'નું એક સાથે લોન્ચિંગ

Indian Navy Simultaneous launch of fourth and fifth vessels 'Malpe and Mulki' of ASW SWC (CSL) project

Indian Navy Simultaneous launch of fourth and fifth vessels 'Malpe and Mulki' of ASW SWC (CSL) project

  News Continuous Bureau | Mumbai

Indian Navy:  ભારતીય નૌકાદળ માટે મેસર્સ કોચીન શિપયાર્ડ લિમિટેડ ( Cochin Shipyard ) દ્વારા બનાવવામાં આવી રહેલા આઠ એન્ટી સબમરીન વોરફેર શૅલો વોટર ક્રાફ્ટ પ્રોજેક્ટના ( ASW SWC (CSL) Project ) ચોથા અને પાંચમા જહાજ માલપે અને મુલ્કીને 09 સપ્ટેમ્બર 24ના રોજ સીએસએલ, કોચી ખાતે લોન્ચ કરવામાં આવ્યા હતા. દરિયાઈ પરંપરાઓને ધ્યાનમાં રાખીને, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ વીએડીએમ વી શ્રીનિવાસની હાજરીમાં શ્રીમતી વિજયા શ્રીનિવાસ દ્વારા બંને જહાજોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Community

માહે શ્રેણીની ASW શૅલો વોટર ક્રાફ્ટ્સના નામ ભારતના દરિયાકાંઠે વ્યૂહાત્મક મહત્વ ધરાવતા પોર્ટના નામ પર રાખવામાં આવ્યા છે જે તેમના નામ પર રાખવામાં આવેલા પૂર્વવર્તી માઇનસ્વીપર્સના ભવ્ય વારસાને આગળ ધપાવવાનો પ્રયત્ન કરશે.

સંરક્ષણ મંત્રાલય ( Defense Ministry ) અને CSL વચ્ચે 30 એપ્રિલ 2019ના રોજ આઠ ASW SWC જહાજો ( ASW SWC ships  ) બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

માહે શ્રેણીના જહાજો સ્વદેશી રીતે વિકસિત, અત્યાધુનિક અંડરવોટર સેન્સરથી સજ્જ હશે, અને દરિયાકાંઠાના પાણીમાં સબમરીન વિરોધી કામગીરી તેમજ ઓછી તીવ્રતાના મેરીટાઇમ ઓપરેશન્સ અને માઇન લેઇંગ ઓપરેશન્સ હાથ ધરવાની કલ્પના કરવામાં આવી છે. ASW SWC જહાજો 1800 નોટિકલ માઈલ સુધીની સહનશક્તિ સાથે 25 નોટની મહત્તમ ઝડપ હાંસલ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : NCTE: NCTEએ શિક્ષક શિક્ષણ સંસ્થાઓના PARs સબમિટ કરવા માટે બહાર પાડી નોટિસ, આ તારીખ સુધી કરી શકશો ઓનલાઈન સબમિશન.

આ જહાજોનું એક સાથે લોન્ચિંગ ( Ship Launching ) સ્વદેશી જહાજ નિર્માણમાં ભારતની ‘આત્મનિર્ભર ભારત’ તરફની પ્રગતિને પ્રકાશિત કરે છે. ASW SWC જહાજોમાં 80%થી વધુ સ્વદેશી સામગ્રી હશે, જેનાથી એ સુનિશ્ચિત થશે કે મોટા પાયે સંરક્ષણ ઉત્પાદન ભારતીય ઉત્પાદન એકમો દ્વારા કરવામાં આવશે જેનાથી દેશમાં રોજગારી અને ક્ષમતામાં વૃદ્ધિ થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version