Site icon News Continuous Bureau | Mumbai

Indian Railway: માત્ર આ વર્ગ માટે…રેલવે નોન એસીની નવા પ્રકારની ટ્રેનો દેશભરમાં દોડશે..

Indian Railway: દેશમાં એક તરફ લક્ઝરી વંદે ભારત ટ્રેનોનો કાફલો સતત વધી રહ્યો છે. તો બીજી તરફ રેલ્વે બોર્ડ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યું છે.બોર્ડ હવે ઓછી આવક ધરાવતા વર્ગ અને મજૂરો માટે પણ જનરલ કેટેગરીની નોન-એસી ટ્રેનો દોડાવવાની યોજના બનાવી રહ્યું છે.

Railway news : 23 trains diverted due to interlocking work between Mehsana-Bhandu Moti Dau stations of Ahmedabad Division

Railway news : 23 trains diverted due to interlocking work between Mehsana-Bhandu Moti Dau stations of Ahmedabad Division

News Continuous Bureau | Mumbai

Indian Railway: રેલવે બોર્ડ (Railway Board) એક મોટું અને મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યું છે. બોર્ડ તેના નિયમિત સમયપત્રકના ભાગરૂપે દેશભરમાં સ્થળાંતર કામદારો અને મજૂરો જેવા ઓછી આવક ધરાવતા જૂથો માટે નોન-એસી (Non AC), સામાન્ય વર્ગની ટ્રેનો (General Train) ચલાવવાનું આયોજન કરી રહ્યું છે. સામાન્ય રીતે, આવી સ્પેશિયલ ટ્રેનો તહેવારોના સમયમાં અથવા ઉનાળામાં જ્યારે રજાઓની મોસમને કારણે ભીડ હોય ત્યારે અસ્થાયી રૂપે ચલાવવામાં આવે છે. પરંતુ આ સ્પેશિયલ નવી ટ્રેનોની સેવાઓ કાયમી રહેશે.

Join Our WhatsApp Channel

અભ્યાસ બાદ નિર્ણય લેવાયો

અધિકારીઓએ જણાવ્યું કે આ નિર્ણય એક અભ્યાસ બાદ લેવામાં આવ્યો છે. અભ્યાસમાં એવા રાજ્યોની ઓળખ કરવામાં આવી હતી કે જ્યાં મુસાફરી કરતા મુસાફરોનો મોટો વર્ગ ઓછી આવક ધરાવતા જૂથનો હતો અને જ્યાં ટિકિટ માટે લાંબી રાહ જોવી પડતી હતી. સ્થળાંતરિત સ્ત્રોત રાજ્યો એવા રાજ્યો તરીકે ઉભરી આવ્યા હતા. જેમને આવી વધુ ટ્રેનોની જરૂર હતી. આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે. જ્યારે મુસાફરો દ્વારા ખાસ કરીને સોશિયલ મીડિયા પર પેસેન્જર ટ્રેનોમાં વધુ ભીડનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી 2024થી નવી ટ્રેનોનું સંચાલન શરૂ થવાની સંભાવના છે.

આ રાજ્યોને લાભ મળશે

આ ટ્રેનોમાં નોન-એસી એલએચબી (LHB) કોચ હશે અને તેમાં માત્ર સ્લીપર અને જનરલ ક્લાસ સર્વિસ હશે. રેલ્વેએ હજુ સુધી આ નવા પ્રકારની ટ્રેનોના નામ આપ્યા નથી. અગાઉ, કોરોનાવાયરસ કટોકટી દરમિયાન, રેલ્વેએ કામદારોને તેમના વતન પાછા ફરવા માટે સ્થળાંતર વિશેષ ટ્રેનો ચલાવી હતી.

આ સમાચાર પણ વાંચો: Karan Johar : ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 3’ લઈને આવી રહ્યો છે કરણ જોહર, આ સ્ટારકિડ ને કરશે લોન્ચ

રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, પંજાબ, આસામ, ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ માટે નવી સ્પેશિયલ ટ્રેનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે આ રાજ્યોમાંથી મોટાભાગના કુશળ-અકુશળ કામદારો, કારીગરો, મજૂરો અને અન્ય લોકો કામ માટે મેટ્રો અને મોટા શહેરોમાં જાય છે.

શું ફીચર્સ હશે આ સ્પેશિયલ ટ્રેનના

એક અધિકારીએ કહ્યું, ‘આ સામાન્ય લોકો માટે ટ્રેન ચલાવવામાં આવશે, જેમાં માત્ર સ્લીપર-જનરલ ક્લાસના કોચ લગાવવામાં આવશે. સ્થળાંતરિત વિશેષ ટ્રેનોમાં ઓછામાં ઓછા 22 થી વધુમાં વધુ 26 કોચ હશે. આ ટ્રેન આખા વર્ષ દરમિયાન કાયમી ધોરણે ચલાવવામાં આવશે. આને નિયમિત સમયપત્રકમાં પણ સામેલ કરવામાં આવશે, જેથી મુસાફરો અગાઉથી રિઝર્વેશન કરી શકશે.

અધિકારીઓએ ધ્યાન દોર્યું કે ભારતીય રેલ્વેને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે, આખરે માત્ર બે પ્રકારના કોચ સેવામાં મૂકવામાં આવશે – LHB કોચ અને અન્ય વંદે ભારત કોચ (Vande Bharat Coach). હાલમાં, સેવામાં 28 પ્રકારના કોચ છે. આનાથી સમારકામનો ખર્ચ ઘટશે અને મુસાફરી સસ્તી થશે.

CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
NEET Paper Leak। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા પીવી કુલકર્ણી પર યોગી સ્ટાઇલ એક્શન; બંગલા પર બુલડોઝર ફરતાં મચી અફરાતફરી
Pahalgam Terror Attack NIA Investigation।પહેલગામ આતંકી હુમલામાં ડાર્ક વેબ અને ચાઈનીઝ લિંક આતંકીઓના ફોનમાંથી મળ્યા એવા પુરાવા કે પાકિસ્તાન ફરી થશે બેનકાબ!
IMD Weather Alert| આગામી ૮ કલાક ભારે, ચક્રવાતના ખતરા વચ્ચે આ રાજ્યોમાં તૂટી પડશે આફતનો વરસાદ
Exit mobile version