Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય રેલ્વેએ શ્રદ્ધાળુઓને શાકાહારી ભોજન આપવા માટે પગલાં લીધાં, આ ટ્રેનોમાં નોન વેજ ફૂડ નહીં મળે; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

ઘણા પ્રવાસીઓ ટ્રેનમાં પીરસવામાં આવતું ભોજન પસંદ નથી કરતા. આની પાછળ એવા કારણો હોઈ શકે છે જેમ કે તેઓ જાણતા નથી કે ખોરાક સંપૂર્ણપણે શાકાહારી અને આરોગ્યપ્રદ છે કે નહીં? અથવા રસોઈ બનાવતી વખતે સ્વચ્છતાનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે? શાકાહારી અને માંસાહારી ભોજન અલગ-અલગ રાંધવામાં આવે છે કે કેમ? બનાવવાથી લઈને સર્વ કરવા સુધીની પ્રક્રિયા શું છે? પ્રવાસીઓની આ સમસ્યાઓના નિરાકરણ માટે હવે ભારતીય રેલ્વેએ એક નવી પહેલ શરૂ કરી રહી છે. તે મુજબ ટ્રેનોમાં નોન વેજ ખાવા અને લઈ જવા પર પ્રતિબંધ લાગશે. આ નિયમ દેશભરની તે ટ્રેનોમાં લાગુ થશે જે ધાર્મિક સ્થળો તરફ જાય છે. આ માટે IRCTCએ સાત્વિક કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાથે જોડાણ કર્યું છે.

ભારતીય રેલ્વેએ આ નિર્ણયને લગતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ધાર્મિક સ્થળ તરફ જતી તમામ ટ્રેનોમાં આ નિયમ એક પછી એક લાગુ કરવામાં આવશે. આવી ટ્રેનોને સાત્વિક ટ્રેનનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

પ્રથમવાર મહિલાના હાથમાં આવી અમેરિકાની સત્તા, જો બાઇડેનની જગ્યાએ કમલા હેરિસ બનશે રાષ્ટ્રપતિ, જાણો શું છે રાષ્ટ્રપતિની સત્તા મળવાનું કારણ

આ ટ્રેનો સાત્વિક 

'વંદે ભારત' વૈષ્ણો દેવી તરફ જતી હોય કે રામાયણ સ્પેશિયલ ટ્રેન ભગવાન શ્રી રામના સંબંધિત સ્થળોની મુલાકાત લેવા માટે હોય. દરેકને સાત્વિક બનાવવામાં આવશે. આમાંના મોટાભાગના પ્રવાસીઓ એવા છે કે જેઓ સાત્વિક ખોરાક ખાવાનું પસંદ કરે છે. રેલવે સૌ પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ સાથે સાત્વિક ભોજન શરૂ કરી રહ્યું છે. આ ઉપરાંત રામાયણ સ્પેશિયલ ટ્રેન, વારાણસી, બોધગયા, અયોધ્યા પુરી, તિરુપતિ સહિત દેશના અન્ય ધાર્મિક સ્થળોએ જતી ટ્રેનોને સાત્વિક બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

સાત્વિક કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સંસ્થાપકે મીડિયાને જણાવ્યું હતું કે ટ્રેનને સાત્વિકનું પ્રમાણપત્ર આપતા પહેલા અનેક પ્રકારની પ્રક્રિયા કરવી પડશે. જેમાં રસોઈ, રસોડું, પીરસવા અને વાસણોમાં પીરસવાની પરથી પદ્ધતિ નક્કી કરવામાં આવશે. તમામ પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી જ ટ્રેનોને પ્રમાણપત્ર આપવામાં આવશે. ટ્રેનોને સાત્વિક બનાવવા ઉપરાંત બેઝ કિચન, લોન્જ અને ફૂડ સ્ટોલને પણ સાત્વિક બનાવવાની યોજના છે.

ભારતીય રેલ્વેએ શ્રદ્ધાળુઓને શાકાહારી ભોજન આપવા માટે પગલાં લીધાં, આ ટ્રેનોમાં નોન વેજ ફૂડ નહીં મળે; જાણો વિગતે
 

Abhishek Banerjee Residence Raid પશ્ચિમ બંગાળમાં મધ્યરાત્રિએ મોટો રાજકીય ભૂકંપ CPF સાથે અભિષેક બેનર્જીના ઘરે પહોંચી પોલીસ, દરવાજો ન ખોલતા તાળું તોડીને અંદર ઘૂસી
Yudh Abhyas 2026 ભારતઅમેરિકા વચ્ચે યોજાશે ‘યુદ્ધ અભ્યાસ 2026’, LAC અને પાકિસ્તાન બોર્ડર પર થશે સંયુક્ત સૈન્ય ક્વાયત
Poonch Blast Incident પૂંચમાં LoC નજીક અકસ્માતે થયો વિસ્ફોટ ભારતીય સેનાના બે જવાનો ઈજાગ્રસ્ત; તપાસ શરૂ…
Road Accidents in India દેશમાં રોડ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો, 2024માં 1.77 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
Exit mobile version