Site icon

Indian Railways: ભારતીય રેલવે યોગ્ય મુસાફરો માટે ટિકિટની યોગ્ય પહોંચ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ, લોકોને કરી આ ખાસ વિનંતી

Indian Railways: ભારતીય રેલવે યોગ્ય મુસાફરો માટે ટિકિટની યોગ્ય પહોંચ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને લોકોને રેલવે તંત્રની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે ગેરરીતિઓની જાણ કરવા વિનંતી કરે છે

Indian Railways Indian Railways is committed to ensuring proper access to tickets for eligible passengers, makes this special request to the people

Indian Railways Indian Railways is committed to ensuring proper access to tickets for eligible passengers, makes this special request to the people

News Continuous Bureau | Mumbai 

  • માનનીય સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો યોગ્ય રેલવે મુસાફરોના અધિકારોના રક્ષણ માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય છે: ડીજી આરપીએફ
  • રેલવે મંત્રાલયે કેરળ અને મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી, જેમાં અનધિકૃત જથ્થાબંધ રેલવે ટિકિટ બુકિંગને સામાજિક ગુનો ગણાવ્યો હતો
  • આ ચુકાદાએ રેલવે કાયદાનો વિસ્તાર કરીને ઓનલાઈન ઈ-ટિકિટની અનધિકૃત ખરીદી અને સપ્લાયને ગેરકાયદે ઉપયોગમાં લેવાતી પદ્ધતિને ધ્યાનમાં લીધા વિના સમાવિષ્ટ કરી હતી
Indian Railways: રેલવે પ્રોટેક્શન ફોર્સના ડાયરેક્ટર જનરલ શ્રી. મનોજ યાદવે કહ્યું કે, “માનનીય સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો યોગ્ય રેલવે મુસાફરોના અધિકારોની રક્ષામાં એક સીમાચિહ્નરૂપ નિર્ણય છે. અપ્રમાણિક તત્ત્વો દ્વારા ટિકિટિંગ સિસ્ટમના દુરુપયોગને દૂર કરીને આ ચુકાદો ભારતીય રેલવેની ટિકિટિંગ પ્રક્રિયાની પારદર્શકતા અને વાજબીપણું જાળવવાની અમારી કટિબદ્ધતાની પુષ્ટિ કરે છે. આરપીએફ તમામ કાયદેસર મુસાફરો માટે ટિકિટ સુલભ થાય તે સુનિશ્ચિત કરવા માટે તેના મિશનમાં અડગ રહે છે અને વ્યક્તિગત લાભ માટે સિસ્ટમનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે. અમે  લોકોને વિનંતી કરીએ છીએ  કે કોઈપણ ગેરરીતિઓની જાણ કરો અને રેલવે પ્રણાલીની અખંડિતતાની સુરક્ષામાં અમારી સાથે જોડાઓ. હેલ્પલાઈન નંબર 139 એ બધી ફરિયાદો માટે સામાન્ય છે. વૈકલ્પિક રીતે, અનિયમિતતાની જાણ રેલમદદ પોર્ટલ દ્વારા પણ કરી શકાય  છે. આરપીએફ મુસાફરોને રેલવે વ્યવસ્થાની અખંડિતતા જાળવવા, તમામ માટે ઉચિત અને કાર્યદક્ષ પ્રવાસનો અનુભવ સુનિશ્ચિત કરવા સતત સતર્કતા અને સમર્પણની ખાતરી આપે છે.”

માનનીય સર્વોચ્ચ અદાલતે 9 જાન્યુઆરી, 2025ના રોજ એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો, જેમાં ટિકિટિંગ સિસ્ટમના દુરુપયોગને દૂર કરવામાં આવ્યો હતો અને યોગ્ય મુસાફરો માટે રેલવે ટિકિટની યોગ્ય પહોંચ સુનિશ્ચિત કરવામાં આવી હતી. રેલવે ટિકિટોના જથ્થાબંધ બુકિંગને સામાજિક ગુનો ગણાવતાં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે આ જોગવાઇ રેલવે ટિકિટની બિન-અધિકૃત ખરીદી અને પુરવઠાને ગુનો ગણે છે, પછી ભલેને તે ખરીદી અને પુરવઠાની પદ્ધતિ ગમે તે હોય.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Consumer Protection: રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૭ હજારથી વધુ રજૂઆતોનું સુખદ નિવારણ… ગ્રાહક સુરક્ષા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ

Indian Railways: કેરળ અને મદ્રાસની માનનીય ઉચ્ચ અદાલતોનાં ચુકાદાઓને પડકારતી રેલવે મંત્રાલય દ્વારા દાખલ કરવામાં આવેલી વિશેષ અનુમતિની અરજીઓ સાથે સંબંધિત બાબતો પર ભારતની માનનીય સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો છે. ચુકાદામાં એ બાબતની ખાતરી આપવામાં આવી છે કે રેલવે ટિકિટો, ખાસ કરીને તત્કાલ અને અનામત આવાસો જેવી ઉચ્ચ માંગ ધરાવતી સેવાઓ માટે, સંગ્રહિત કરવામાં ન આવે અને પછી છેતરપિંડી કર્યા વિના ઓપરેટરો દ્વારા પ્રીમિયમ પર વેચવામાં આવે, જેનાથી ફોજદારી કૃત્ય રેલવે અધિનિયમ 1989 ની કલમ 143 હેઠળ સજાને પાત્ર બને છે. આ ચુકાદામાં રેલવે એક્ટના કાર્યક્ષેત્રને પણ વિસ્તૃત કરવામાં આવ્યું છે, જેમાં ઓનલાઇન બુક કરવામાં આવેલી ઇ-ટિકિટની ખરીદી અને સપ્લાયનો સ્પષ્ટ પણે સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી યોગ્ય મુસાફરોને ફાયદો થશે કારણ કે સિસ્ટમ દુરૂપયોગ સામે વધુ સારી રીતે સુરક્ષિત બને છે.

આ ચુકાદાની અસરો દૂરગામી છે, કારણ કે તે ટિકિટ ખરીદીમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા અને રેલવે ટિકિટિંગ સિસ્ટમમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે એક દાખલો બેસાડે છે. તે સુનિશ્ચિત કરે છે કે અધિકૃત એજન્ટો અને વ્યક્તિઓ સ્થાપિત નિયમોના માળખાની અંદર કામ કરે છે, જે તમામ માટે ઉચિતતા અને સુલભતાને પ્રોત્સાહન આપે છે. વધુમાં, તે સંભવિત ઉલ્લંઘન કરનારાઓને એક મજબૂત સંદેશ આપે છે કે સિસ્ટમનો દુરુપયોગ સહન કરવામાં આવશે નહીં, જેથી દેશભરમાં લાખો રેલવે મુસાફરો માટે વધુ સમાન મુસાફરીના અનુભવને પ્રોત્સાહન મળશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version