Site icon News Continuous Bureau | Mumbai

Canada Visa Service Suspend: ભારતનું કેનેડા માટે કડક વલણ, વિઝા સેવા સ્થગિત કરી અને નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર અહીં…

Canada Visa Service Suspend: ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો છે. પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે.

India's tough stance on Canada, suspension of visa service and ban on entry of citizens.

India's tough stance on Canada, suspension of visa service and ban on entry of citizens.

News Continuous Bureau | Mumbai 

Canada Visa Service Suspend: ભારત અને કેનેડા ( Canada  ) વચ્ચે તણાવ વધ્યો છે. પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ ( Visa Service ) અનિશ્ચિત સમય માટે સ્થગિત ( Suspend )કરી દીધી છે. ભારત દ્વારા અત્યાર સુધીનું આ સૌથી મોટું પગલું છે. કેનેડાના પીએમએ ( Canada PM ) ભારત પર ખાલિસ્તાન સમર્થક ( Khalistan supporters ) હરદીપ સિંહ નિજ્જરની ( Hardeep Singh Nijjar ) હત્યાનો આરોપ લગાવતા બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો.

Join Our WhatsApp Channel

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. જો કે, કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા BLS ઈન્ટરનેશનલે તેની કેનેડિયન વેબસાઈટ પર આ સંદર્ભમાં એક સંદેશ પોસ્ટ કર્યો છે. સંદેશમાં લખ્યું હતું, “ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ માહિતી: ઓપરેશનલ કારણોસર, ભારતીય વિઝા સેવાઓ ગુરુવાર (21 સપ્ટેમ્બર 2023) થી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.”

આ સમાચાર પણ વાંચો :  Rahul Gandhi: રાહુલ ગાંધી બન્યા કુલી, ટ્રોલી બેગ માથા પર ઉપાડી, જાણો શું છે આ સમગ્ર પ્રકરણ.. વાંચો અહીં વિગતે..

કોવિડ-19 રોગચાળા પછી ભારતે વિઝા સસ્પેન્ડ કર્યા હોય તેવો આ પ્રથમ પ્રસંગ..

એક ભારતીય અધિકારીએ સસ્પેન્શનની પુષ્ટિ કરી હતી પરંતુ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. “ભાષા સ્પષ્ટ છે અને તે કહે છે કે તે શું કહેવા માંગે છે,” તેણે કહ્યું. કોવિડ-19 રોગચાળા પછી ભારતે વિઝા સસ્પેન્ડ કર્યા હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. અગાઉ, વિદેશ મંત્રાલય દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી હતી જેમાં કેનેડા જતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. એવા કોઈ વિસ્તારમાં ન જશો જ્યાં ભારત વિરોધી ઘટનાઓ બની હોય અથવા એવી ઘટનાઓ બનવાની સંભાવના હોય. કેનેડામાં હેટ ક્રાઇમમાં વધારો થયો છે અને ત્યાં જતી વખતે સાવચેત રહો. બુધવારે (20 સપ્ટેમ્બર) સંસદના વિશેષ સત્ર દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ગૃહમંત્રી અમિત શાહને મળવા આવ્યા હતા. ત્યારથી ભારત સતત કેનેડા સામે કાર્યવાહી કરી રહ્યું છે. ભારતે કેનેડાને કહ્યું હતું કે તેણે આરોપોના પુરાવા રજૂ કરવા પડશે.

Indian Spice Exports ચીનની ચાલબાજી અને યુધ્ધની અસરથી મસાલાની નિકાસ રૂંધાઇ
India Oman Trade Corridor હોર્મુઝ (Hormuz) પર નિર્ભરતાનો અંત ૩૦ વર્ષથી અટકેલો પ્રોજેક્ટ હવે થશે સાકાર, ગુજરાતથી ઓમાન સુધી ભારત રચી રહ્યો છે નવો ઈતિહાસ
India–Pakistan conflict PoKમાં માનવતા મરી પરવારી પાક આર્મીના અત્યાચાર પર ભારતની લાલ આંખ, ‘દુનિયા જોઈ રહી છે, ઇન્સાફ થશે’
El Niño 2026 Alert૨૦૨૬માં આવી રહ્યો છે સૌથી ભયાનક ‘અલ નીનો’ (El Niño) પેસિફિક મહાસાગરનું તાપમાન ૩.૫ ડિગ્રી સેલ્સિયસ (3.5°C) સુધી ઉકળશે!
Exit mobile version