ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
કોરોનાને કારણે નોકરી ધંધા અને વ્યવસાય પર કોરોનાની માઠી અસર પડી છે. પરંતુ ધીમે ધીમે દેશ તેમાંથી બહાર આવી રહ્યો છે.
ભારતીય બેરોજગારી દરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી અનુસાર જાન્યુઆરીમાં દેશનો બેરોજગારી દર ઘટીને 6.57 ટકા પર આવી ગયો છે..
ભારતના શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર જાન્યુઆરીમાં 8.16 ટકા હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારીનો દર ઘટીને 5.84 ટકાની સર્વકાલીન નીચી સપાટીએ આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ભારતમાં બેરોજગારીનો દર 7.91 ટકા હતો. ત્યારે શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર 9.30 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 7.28 ટકા હતો
હવે દુશ્મનની ખેર નથી, ઈઝરાયેલ પોતાની સરહદે તૈયાર કરશે આ અનોખી દીવાલ; જાણો વિગતે
