Site icon News Continuous Bureau | Mumbai

IndiGo: ઇન્ડિગોની મુશ્કેલીઓ વધી: બેંગલુરુ અને હૈદરાબાદથી ૧૮૦ ફ્લાઇટ્સ રદ્દ, DGCA કડક કાર્યવાહીના મૂડમાં!

સંકટગ્રસ્ત ઇન્ડિગોએ આઠમા દિવસે પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ્દ કરી. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ કહ્યું કે સરકાર એરલાઇનને સજા તરીકે તેના કેટલાક સ્લોટ્સ ઘટાડશે અને તે અન્ય એરલાઇન્સને આપવામાં આવશે.

IndiGo ઇન્ડિગોની મુશ્કેલીઓ વધી બેંગલુરુ અને હૈદરાબાદથી ૧૮૦ ફ્લાઇટ્સ

IndiGo ઇન્ડિગોની મુશ્કેલીઓ વધી બેંગલુરુ અને હૈદરાબાદથી ૧૮૦ ફ્લાઇટ્સ

News Continuous Bureau | Mumbai

IndiGo સંકટનો સામનો કરી રહેલી એરલાઇન ઇન્ડિગો (IndiGo) એ સતત આઠમા દિવસે પણ મોટા પાયે ફ્લાઇટ્સ રદ્દ કરી છે. મંગળવારે ઇન્ડિગોએ બેંગલુરુ અને હૈદરાબાદથી લગભગ ૧૮૦ ઉડાન રદ્દ કરી.હૈદરાબાદ થી ૫૮ ઉડાનનું સંચાલન કરવામાં આવ્યું નથી, જેમાં ૧૪ આગમન અને ૪૪ પ્રસ્થાન સામેલ છે.જયારે કે બેંગલુરુ એરપોર્ટ પર રદ્દ થયેલી ઉડાનની સંખ્યા ૧૨૧ છે, જેમાં ૫૮ આગમન અને ૬૩ પ્રસ્થાન સામેલ છે.

Join Our WhatsApp Channel

ઇન્ડિગોના રૂટ્સ કપાવાનો ખતરો

ફ્લાઇટ કેન્સલેશન અને સંચાલન અવ્યવસ્થાના કારણે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર ઇન્ડિગોના સ્લોટ્સને ચોક્કસપણે ઘટાડશે.
કાર્યવાહી: નાયડુએ કહ્યું કે “અમે ચોક્કસપણે ઇન્ડિગોના (વિન્ટર) શેડ્યૂલમાં હાજર કેટલાક રૂટ્સને ઓછા કરીશું. આ એરલાઇન માટે એક પ્રકારની સજા હશે, કારણ કે તેમને આ રૂટ્સ પર ઉડાન ભરવાની મંજૂરી મળશે નહીં.”
સ્લોટ ફાળવણી: જે રૂટ્સ ઇન્ડિગોના શેડ્યૂલમાંથી ઘટાડવામાં આવશે, તે અન્ય ઘરેલું એરલાઇન્સને આપવામાં આવશે.
પુનઃપ્રાપ્તિ: આ રૂટ્સ ઇન્ડિગોને ત્યારે જ પાછા મળશે, જ્યારે એરલાઇન એ સાબિત કરી દેશે કે તે તેમને સંચાલિત કરવામાં સક્ષમ છે.

આ સમાચાર પણ વાંચો : Luthra Brothers: અગ્નિકાંડના આરોપીઓ પર કાયદાનો સકંજો: ફરાર લૂથરા બ્રધર્સ વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ, ત્રીજો પાર્ટનર પણ પોલીસની રડાર પર

ગુડગાંવ સ્થિત આ એરલાઇન ભારતના કુલ ઘરેલું હવાઇ ટ્રાફિકના ૬૫% થી વધુ ભાગીદારી ધરાવે છે અને રોજના લગભગ ૨,૨૦૦ ઉડાનનું સંચાલન કરે છે.

CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Rahul Gandhi Reacts To Dharmendra Pradhan’s Resignation ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું ‘આ સરકારને હટાવવાનો સમય…’
Exit mobile version