Site icon

હવે કોરોના ટેસ્ટ વિના પણ આંતરરાજ્ય મુસાફરી કરી શકાશે; કેન્દ્ર સરકારે બહાર પાડી આ નવી માર્ગદર્શિકા, જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે ૨૦૨૧
ગુરુવાર
ભારતમાં દિવસે-દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેનાથી દેશમાં આવેલી ૨૫૦૦ લેબોરેટરી પર કામનું ભારણ વધ્યું છે. તેને પગલે કેન્દ્ર સરકારે હવે તમામ રાજ્ય સરકારોને નવું પરીપત્ર પાઠવ્યું છે. કેન્દ્ર સરકારે આંતરરાજ્ય મુસાફરી માટે નિયમનું ભારણ ઓછું કર્યું છે.
હવે આંતરરાજ્ય મુસાફરી માટે સ્વસ્થ વ્યક્તિએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી. તે ઉપરાંત હવે કોરોના દર્દીને હોસ્પીટલે ડિસ્ચાર્જ આપ્યા બાદ ફરી કોરોના ટેસ્ટ કરાવવાની આવશ્યકતા નથી. પરિપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે રેપીડ અથવા આરટીપીસીઆર ટેસ્ટ એકવાર પોઝિટિવ આવ્યા બાદ ફરી ટેસ્ટ કરવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત અને બીજા રાજ્યોએ પોતાની બોર્ડર સીલ કરી હતી અને કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોય તેવી જ વ્યક્તિને રાજ્યમાં પ્રવેશ આપવાની અનુમતિ હતી.

Join Our WhatsApp Community
Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gold Price: સોનાના સતત વધતા ભાવ પર લાગી બ્રેક, જાણો આજે 25 સપ્ટેમ્બરના રોજ તમારા શહેરનો સોના અને ચાંદી નો ભાવ.
Election Commission: ચૂંટણી પંચ એ ચૂંટણી પ્રક્રિયાને લઈને કર્યો મોટો ફેરફાર, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Exit mobile version