Site icon

હવે કોરોના ટેસ્ટ વિના પણ આંતરરાજ્ય મુસાફરી કરી શકાશે; કેન્દ્ર સરકારે બહાર પાડી આ નવી માર્ગદર્શિકા, જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે ૨૦૨૧
ગુરુવાર
ભારતમાં દિવસે-દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેનાથી દેશમાં આવેલી ૨૫૦૦ લેબોરેટરી પર કામનું ભારણ વધ્યું છે. તેને પગલે કેન્દ્ર સરકારે હવે તમામ રાજ્ય સરકારોને નવું પરીપત્ર પાઠવ્યું છે. કેન્દ્ર સરકારે આંતરરાજ્ય મુસાફરી માટે નિયમનું ભારણ ઓછું કર્યું છે.
હવે આંતરરાજ્ય મુસાફરી માટે સ્વસ્થ વ્યક્તિએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી. તે ઉપરાંત હવે કોરોના દર્દીને હોસ્પીટલે ડિસ્ચાર્જ આપ્યા બાદ ફરી કોરોના ટેસ્ટ કરાવવાની આવશ્યકતા નથી. પરિપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે રેપીડ અથવા આરટીપીસીઆર ટેસ્ટ એકવાર પોઝિટિવ આવ્યા બાદ ફરી ટેસ્ટ કરવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત અને બીજા રાજ્યોએ પોતાની બોર્ડર સીલ કરી હતી અને કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોય તેવી જ વ્યક્તિને રાજ્યમાં પ્રવેશ આપવાની અનુમતિ હતી.

Join Our WhatsApp Community
Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version