Site icon News Continuous Bureau | Mumbai

હવે કોરોના ટેસ્ટ વિના પણ આંતરરાજ્ય મુસાફરી કરી શકાશે; કેન્દ્ર સરકારે બહાર પાડી આ નવી માર્ગદર્શિકા, જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે ૨૦૨૧
ગુરુવાર
ભારતમાં દિવસે-દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેનાથી દેશમાં આવેલી ૨૫૦૦ લેબોરેટરી પર કામનું ભારણ વધ્યું છે. તેને પગલે કેન્દ્ર સરકારે હવે તમામ રાજ્ય સરકારોને નવું પરીપત્ર પાઠવ્યું છે. કેન્દ્ર સરકારે આંતરરાજ્ય મુસાફરી માટે નિયમનું ભારણ ઓછું કર્યું છે.
હવે આંતરરાજ્ય મુસાફરી માટે સ્વસ્થ વ્યક્તિએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી. તે ઉપરાંત હવે કોરોના દર્દીને હોસ્પીટલે ડિસ્ચાર્જ આપ્યા બાદ ફરી કોરોના ટેસ્ટ કરાવવાની આવશ્યકતા નથી. પરિપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે રેપીડ અથવા આરટીપીસીઆર ટેસ્ટ એકવાર પોઝિટિવ આવ્યા બાદ ફરી ટેસ્ટ કરવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત અને બીજા રાજ્યોએ પોતાની બોર્ડર સીલ કરી હતી અને કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોય તેવી જ વ્યક્તિને રાજ્યમાં પ્રવેશ આપવાની અનુમતિ હતી.

Join Our WhatsApp Channel
Udhampur Encounter Terrorists Killed ઉધમપુરના જંગલોમાં સેનાનો મોટો સપાટો! સામસામે ગોળીબાર બાદ ૨ ખૂંખાર આતંકવાદીઓ ઠાર…
PM Modi Birthday Emotional Song ‘તેને દિલથી આશીર્વાદ છે…’ પીએમ મોદીને જન્મદિવસ પર મળી સ્પેશિયલ ગિફ્ટ, ખાસ સોંગ સાંભળી વડાપ્રધાન પણ ભાવુક થયા; VIDEO વાયરલ
PM Modi Semiconductor Masterplan ચિપ મેન્યુફેક્ચરિંગમાં ભારતની મોટી છલાંગ! ₹૧.૨૭ લાખ કરોડના મેગા પ્રોજેક્ટ્સ સાથે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ડ્રેગનનો એકાધિકાર તૂટશે
PM Modi Birthday Vadnagar Tea Stall ૧૭ સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ જ્યાં બાળપણમાં ચા વેચતા તે વડનગર રેલવે સ્ટેશનનો ચાનો સ્ટોલ આજે કેવો દેખાય છે?
Exit mobile version