Site icon News Continuous Bureau | Mumbai

હવે કોરોના ટેસ્ટ વિના પણ આંતરરાજ્ય મુસાફરી કરી શકાશે; કેન્દ્ર સરકારે બહાર પાડી આ નવી માર્ગદર્શિકા, જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે ૨૦૨૧
ગુરુવાર
ભારતમાં દિવસે-દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેનાથી દેશમાં આવેલી ૨૫૦૦ લેબોરેટરી પર કામનું ભારણ વધ્યું છે. તેને પગલે કેન્દ્ર સરકારે હવે તમામ રાજ્ય સરકારોને નવું પરીપત્ર પાઠવ્યું છે. કેન્દ્ર સરકારે આંતરરાજ્ય મુસાફરી માટે નિયમનું ભારણ ઓછું કર્યું છે.
હવે આંતરરાજ્ય મુસાફરી માટે સ્વસ્થ વ્યક્તિએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી. તે ઉપરાંત હવે કોરોના દર્દીને હોસ્પીટલે ડિસ્ચાર્જ આપ્યા બાદ ફરી કોરોના ટેસ્ટ કરાવવાની આવશ્યકતા નથી. પરિપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે રેપીડ અથવા આરટીપીસીઆર ટેસ્ટ એકવાર પોઝિટિવ આવ્યા બાદ ફરી ટેસ્ટ કરવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત અને બીજા રાજ્યોએ પોતાની બોર્ડર સીલ કરી હતી અને કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોય તેવી જ વ્યક્તિને રાજ્યમાં પ્રવેશ આપવાની અનુમતિ હતી.

Join Our WhatsApp Channel
Aadhaar Usage સુપ્રીમ કોર્ટનું મહત્વનું પગલું આધારનો ઉપયોગ માત્ર ‘ઓળખ પત્ર’ તરીકે જ થવો જોઈએ, અન્ય દસ્તાવેજોના વિકલ્પ તરીકે નહીં; કેન્દ્રને નોટિસ જારી
Army Incident Update રાજૌરીમાં નિયંત્રણ રેખા (LoC) પાસે ગ્રેનેડ બ્લાસ્ટ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન 4 જવાન ઘાયલ, સેનાએ તપાસ શરૂ કરી
Flight Baggage Rules એરપોર્ટ પર વધારાનો ચાર્જ ભરવાથી બચવું છે? જાણો ફ્લાઇટના નવા બેગેજ નિયમો.
Sea Route Reopened વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ખુલ્યો ભારતીય જહાજ ‘દિશા’એ હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યો; આ તારીખે ભારત પહોંચશે
Exit mobile version