Site icon News Continuous Bureau | Mumbai

Amogh Lila Das: ઇસ્કોને પ્રખ્યાત સંત અમોઘ લીલા દાસ પર લગાવ્યો 1 મહિનાનો પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર મામલો?

Amogh Lila Das: ISKCON એ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ વિશે અયોગ્ય ટિપ્પણી કરવા બદલ સંત અમોઘા લીલા દાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં તેમણે તેમના એક 'પ્રવચન' દરમિયાન માછલી ખાવા અંગે પ્રશ્ન કર્યો હતો.

ISKCON bans monk Amogh Lila Das for inappropriate comments

ISKCON bans monk Amogh Lila Das for inappropriate comments

News Continuous Bureau | Mumbai
Amogh Lila Das: વિશ્વભરમાં સનાતન ધર્મના પ્રચાર માટે સમર્પિત સંસ્થા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયનેસ એટલે કે ઇસ્કોન (ISKCON) એ સંત અમોઘ લીલા દાસ પર તેમના તાજેતરના પ્રવચન દરમિયાન સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ વિશે અયોગ્ય ટિપ્પણી કરવા બદલ સંત અમોઘ લીલા દાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં તેમણે તેમના એક ‘પ્રવચન’ દરમિયાન માછલી ખાવા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. અમોઘ લીલા દાસ સોશિયલ મીડિયા પર લોકપ્રિય વ્યક્તિત્વ છે. ધર્મ અને પ્રેરણા પરના તેમના વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ટ્રેન્ડ થાય છે.

અમોઘ લીલા દાસે શું કહ્યું?

પ્રવચન દરમિયાન, અમોઘ લીલા દાસે (Amogh Lila Das)સ્વામી વિવેકાનંદ(Swami Vivekanand) ના માછલીના સેવન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સિદ્ધપુરુષ વ્યક્તિ ક્યારેય એવી કોઈ પણ વસ્તુનું સેવન કરશે નહીં જે પ્રાણીને નુકસાન પહોંચાડે. તેમણે વધુમાં કહ્યું કે, શું કોઈ દિવ્યમાણસ કોઈ પ્રાણીને મારીને ખાશે? શું તે ક્યારેય માછલી ખાશે? માછલીઓને પણ પીડા થાય છે ને? અને જો વિવેકાનંદ માછલી ખાય તો શું સિદ્ધપુરુષ માછલી ખાઈ શકે? નહિ ખાય કારણ કે સિદ્ધપુરુષના હૃદયમાં કરુણા હોય છે. સ્વામી વિવેકાનંદ ઉપરાંત, તેમણે તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ(Ramakrishna Paramahansa)ના વિચાર ‘જાતો મત, તતો પથ’ (જેટલા વિચારો, તેટલા રસ્તાઓ) પર પણ ટિપ્પણી કરી અને કહ્યું કે દરેક માર્ગ એક જ ગંતવ્ય તરફ લઈ જતો નથી.’

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: rocky aur rani kii prem kahaani :  ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ના આ ગીત ના સેટ પર કરણ જોહરે આલિયા ભટ્ટને ખૂબ કરી હતી ટોર્ચર, પછી માંગી માફી, જાણો શું છે સમગ્ર મામલો

ઈસ્કોને લીધા તાત્કાલિક પગલાં

સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ(Ramakrishna Paramahansa) પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લોકો સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. સંતની આ ટિપ્પણીથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકોએ ઈસ્કોનને સંત પર કાર્યવાહી કરવા કહ્યું, ઈસ્કોને લોકોની આ પ્રતિક્રિયા પર તાત્કાલિક પગલાં લીધા અને નિવેદન બહાર પાડ્યું કે – અમોઘ લીલા દાસના વાંધાજનક અને અસ્વીકાર્ય નિવેદનથી ઈસ્કોન દુઃખી છે. આ બતાવે છે કે તેઓ બંને મહાપુરુષોના મહાન ઉપદેશો વિશે કેટલું ઓછું સમજે છે. ઇસ્કોને તેના પર 1 મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે.

અમોઘ લીલા દાસે માફી માંગી

અમોઘ લીલા દાસે પણ તેમના નિવેદન માટે તરત જ માફી માંગી લીધી છે અને તે પ્રાયશ્ચિત કરવા માટે ગોવર્ધનની પહાડી પર 1 મહિનો વિતાવશે. તે પોતાને જાહેર જીવનથી સંપૂર્ણપણે દૂર રાખશે.

કોણ છે અમોઘ લીલા દાસ?

યુટ્યુબ પરના તેમના કેટલાક વિડિયો ઇન્ટરવ્યુ અનુસાર, અમોઘ લીલા દાસનો જન્મ લખનઉમાં એક ધાર્મિક પરિવારમાં આશિષ અરોરા તરીકે થયો હતો. અમોઘ લીલા દાસનું કહેવું છે કે તેણે ખૂબ જ નાની ઉંમરે પોતાની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી હતી. 2000માં જ્યારે તે 12મા ધોરણમાં હતો ત્યારે તેણે ભગવાનની શોધમાં પોતાનું ઘર છોડી દીધું હતું. જો કે, તેણે પાછા આવીને સોફ્ટવેર એન્જિનિયરિંગની ડિગ્રી લેવાનું નક્કી કર્યું. 2004માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ તેણે યુએસ સ્થિત બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું.

એન્જિનિયરમાંથી સાધુ બન્યા

અમોઘ લીલા દાસના જણાવ્યા અનુસાર, તેઓ 2010માં કોર્પોરેટ જગત છોડવાનો નિર્ણય લેતા પહેલા પ્રોજેક્ટ મેનેજરના પદ પર હતા. 29 વર્ષની ઉંમરે તેઓ ઈસ્કોનમાં જોડાઈને સમર્પિત હરે કૃષ્ણ બ્રહ્મચારી (બ્રહ્મચારી) બન્યા. એન્જિનિયરમાંથી સાધુ બનેલા આ વ્યક્તિને સોશિયલ મીડિયા પર ઘણા લોકો ફોલો કરે છે. ઇસ્કોનથી પ્રતિબંધ થતા પહેલા, તેમણે દ્વારકા, દિલ્હીમાં ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી.

 

Air India Pilots Drug Test ફુકેત ફ્લાઇટ બાદ એર ઇન્ડિયાએક્સપ્રેસની લાલ આંખ, તમામ પાઇલટ્સ માટે નવા કડક નિયમો.
Rahul Gandhi Savarkar Row સાવરકર પર કરેલી ટિપ્પણી મુદ્દે કાનૂની લડાઈમાં રાહુલની જીત સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના આદેશને ફગાવ્યો
Partition Remembrance Day “વિભાજનની વેદના શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી…” પીએમ મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિને યાદ કર્યો લોકોનો સંઘર્ષ
BCI NALSAR Row “હું વિદ્યાર્થીઓની પડખે ઊભો છું…” BCIની દલીલો પર CJI સૂર્યકાંત કેમ ગુસ્સે ભરાયા? જાણો કોર્ટમાં શું થયું..
Exit mobile version