Site icon News Continuous Bureau | Mumbai

હવે બે અઠવાડિયામાં ખેડૂત આંદોલન સમેટાયું સમજો. આવનાર દિવસમાં આ કારણથી ખેડૂતો પાછા ફરશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

22 ફેબ્રુઆરી 2021

આંદોલન કરી રહેલા ખેડૂતો ને પોતાના માદરે વતન પાછા જવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઇ છે. આ પાછળનું મુખ્ય કારણ છે ખેતરમાં ઊભેલો તૈયાર પાક. આ પાક ની અવગણના કોઇપણ ખેડૂત કરી શકે તેમ નથી. તેમજ પાકને લણવો, ત્યારબાદ તેને સાફ કરવો અને વેચવો આ આખી પ્રક્રિયા આશરે બે મહિના સુધી ચાલે છે.ત્યાર પછી ખેડૂતોએ તરત જ બીજા પાક ની તૈયારી માટે ખેતર તૈયાર કરવું પડે છે. આ બધી પરિસ્થિતિમાં ખેડૂતો એ સમયસર પોતાના માદરે વતન પહોંચવું પડશે નહીં તો તેઓ આર્થિક રીતે પાયમાલ બની જશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આજથી પંદર દિવસ પછી ખેડૂતો પરત ફરવાની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ આશરે બે મહિના સુધી વ્યસ્ત રહેશે.

ઉલ્લેખનીય છે કે અત્યાર થી જ અમુક ખેડૂતો આંદોલન લંબાવવાને કારણે પોતાના વતન ચાલી ગયા છે. જેથી આંદોલન પહેલાં કરતાં વધુ નબળું પડી ગયું છે. આટલું જ નહીં આંદોલનકારીઓના કહેવાતા નેતા ટીકૈત પોતે હવે આંદોલનને ચાલુ રાખવા માટે અલગ-અલગ વિસ્તારમાં જઇને સભાઓ કરી રહ્યા છે તેમજ ગ્રામસભાઓનો સહારો લઈને જાતિવાદના આધારે આંદોલનને આગળ વધારવાના પ્રયત્નો કરી રહ્યા છે.

Ram Temple Donation Case અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડ કેસ SIT રિપોર્ટ જાહેર નહીં થાય, પણ તપાસ માટે સૂચનો આપવાની છૂટ…
BJP National Team Announced લાંબી રાહ જોયા બાદ ભાજપનું નવું પક્ષીય માળખું જાહેર, વસુંધરા રાજે અને સ્મૃતિ ઈરાનીની એન્ટ્રી ; જાણો કોને મળી કઈ જવાબદારી
Dimagi Naxal Strategy મોદી સરકારની ચિંતા વધી, હવે મેદાનમાં આવ્યા ‘દિમાગી નક્ષલ’, અભિજીત દીપકેના આ ફોર્મ્યુલાનો કર્યો ઉપયોગ
DRI Busts Betel Nut Import Scam ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા સોપારીની આયાતમાં સાફ્ટા (SAFTA) કરારના મોટા પાયે ગેરકાયદે ઉપયોગ અને દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ
Exit mobile version