Site icon News Continuous Bureau | Mumbai

Jagdeep Dhankhar: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન માટે કરી અરજી! જાણો કેટલી મળશે રકમ

Jagdeep Dhankhar: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન માટે અરજી કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય તરીકે તેઓ આ પેન્શન માટે હકદાર છે

Jagdeep Dhankhar પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન માટે કરી અરજી

Jagdeep Dhankhar પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન માટે કરી અરજી

News Continuous Bureau | Mumbai
Jagdeep Dhankhar: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન માટે અરજી કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. બંગાળના રાજ્યપાલ અને પછી ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ તેમનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે આ પેન્શન ફરીથી ચાલુ થાય તે માટે તેમણે ફરીથી અરજી કરી છે. વિશેષ વાત એ છે કે, જે ધારાસભ્ય તરીકેના કાર્યકાળ માટે તેમણે અરજી કરી છે, તે દરમિયાન તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા. એક મીડિયા હાઉસ એ અધિકારીઓના હવાલાથી આપેલા અહેવાલ મુજબ, ધનખડે રાજસ્થાનના પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન માટે અરજી કરી છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન માટે અરજી

જગદીપ ધનખડે 1993 થી 1998 સુધી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કિશનગઢ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જુલાઈ 2019 સુધી તેમને આ ધારાસભ્ય તરીકેનું પેન્શન મળતું હતું. પરંતુ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે તેમની નિમણૂક થયા બાદ તેમનું પૂર્વ ધારાસભ્ય તરીકે મળતું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ 2022માં તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા. 21 જુલાઈ 2025 ના રોજ તેમણે તબિયત ખરાબ હોવાનું કારણ આપીને તેમના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

Join Our WhatsApp Channel

કેટલું પેન્શન મળશે?

હવે ધનખડ રાજ્યપાલ અને ઉપરાષ્ટ્રપતિ નથી, તેથી આ પદો માટેના તેમના તમામ પગાર અને ભથ્થા બંધ થઈ ગયા છે. તેથી તેમણે રાજસ્થાનના પૂર્વ ધારાસભ્ય તરીકે તેમનું સ્થગિત કરેલું પેન્શન ફરીથી ચાલુ કરવા માટે રાજસ્થાન વિધાનસભા સચિવાલયમાં નવી અરજી સબમિટ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, 74 વર્ષીય ધનખડ પૂર્વ ધારાસભ્ય તરીકે પ્રતિ મહિને 42,000 પેન્શન મેળવવા માટે હકદાર છે. રાજસ્થાનમાં પૂર્વ ધારાસભ્ય તરીકે શરૂઆતમાં પ્રતિ મહિને 35,000 પેન્શન મળે છે. ત્યારબાદ વધુ કાર્યકાળ અને ઉંમર મુજબ આ પેન્શનમાં વધારો થાય છે. તેમજ 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ પેન્શનમાં 20% નો વધારો પણ થાય છે

આ સમાચાર પણ વાંચો : Maratha reservation: મરાઠા અનામત ને લઈને મુખ્યમંત્રીએ સ્પષ્ટ કરી ભૂમિકા, આ મુદ્દા પર ચાલી રહી છે ચર્ચા

પેન્શન શા માટે બંધ થયું હતું?

અધિકારીઓના જણાવ્યા મુજબ, જગદીપ ધનખડની અરજી પર સચિવાલય દ્વારા કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. તેમને આ પેન્શન ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાની તારીખથી લાગુ થશે. જ્યારે તેઓ રાજ્યપાલ બન્યા ત્યારે તેમને મળતો પગાર અને ભથ્થા ઉપરાષ્ટ્રપતિ પદના કાર્યકાળ દરમિયાન પણ ચાલુ જ હતા. તેથી, નિયમો મુજબ, તેમને ધારાસભ્ય તરીકે મળતું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે તેઓ કોઈપણ બંધારણીય પદ પર ન હોવાથી તેમણે ફરીથી પેન્શન શરૂ કરવાની માંગ કરી છે.

Ludhiana Railway Accident મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે? લુધિયાણામાં મુસાફરી ટ્રેનના ડબ્બામાંથી ટોયલેટનો ભાગ જ ઉખડીને નીચે પડ્યો! જુઓ વિડીયો
Bullet Train Corridor દિલ્હીથી સિલિગુડી માત્ર ૬ કલાકમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે યુપી, બિહાર અને બંગાળને જોડતા નવા બુલેટ ટ્રેન કોરિડોરની કરી જાહેરાત
Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Modi Cabinet reshuffle મોદી સરકારમાં મોટા ફેરબદલના સંકેત આ ૪ વરિષ્ઠ મંત્રીઓએ આપવું પડશે રાજીનામું, કેબિનેટમાં નવા યુવા ચહેરાઓને મળશે તક
Exit mobile version