Site icon News Continuous Bureau | Mumbai

Jairam Ramesh: કોગ્રેસ નેતા જયરામ રમેશે સંસદની સ્થાયી સમિતિઓમાંથી આપ્યું રાજીનામું, જાણો કેમ લીધો આ નિર્ણય..

Jairam Ramesh: જયરામ રમેશે પર્યાવરણ અને વિજ્ઞાન પરની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપતાં કહ્યું હતું કે સંસદ દ્વારા લાવવામાં આવેલા ત્રણ બિલ સમિતિને મોકલવામાં આવ્યા નથી.

Jairam Ramesh: Jairam Ramesh resigns as Chair of House panel on science, environment

Jairam Ramesh: Jairam Ramesh resigns as Chair of House panel on science, environment

News Continuous Bureau | Mumbai 

Jairam Ramesh: કોંગ્રેસ નેતા જયરામ રમેશે(Jairam Ramesh) બુધવારે (9 ઓગસ્ટ) પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી (science, environment)અને વન અને આબોહવા પરની સ્ટેન્ડિંગ કમિટી(House panel)ના અધ્યક્ષ પદ પરથી રાજીનામું (Resign) આપી દીધું છે. તેમનું કહેવું છે કે સરકાર દ્વારા સ્થાયી સમિતિને ઘણા મહત્વપૂર્ણ બિલ મોકલવામાં આવ્યા નથી. જયરામ રમેશે કહ્યું કે આવી સ્થિતિમાં તેમને આ પદ પર ચાલુ રહેવાનું કોઈ મહત્વ નથી દેખાતું.

Join Our WhatsApp Channel

અગાઉ, જયરામે જૈવિક વિવિધતા સંશોધન બિલ પસાર થવા પર નારાજગી વ્યક્ત કરી હતી. ગયા અઠવાડિયે જ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ત્રણ બિલ પાસ થયા હતા. તેમણે ફોરેસ્ટ (સંરક્ષણ) સુધારા વિધેયક પસાર કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે સ્થાયી સમિતિને મોકલવાને બદલે સરકારે આ બિલને સંસદની સંયુક્ત સમિતિને મોકલ્યું હતું, જેનું નેતૃત્વ ભાજપના નેતા કરે છે. જયરામે કહ્યું કે સરકારે જાણીજોઈને સંસદ દ્વારા લાવવામાં આવેલા ત્રણ અત્યંત મહત્વપૂર્ણ બિલોને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલ્યા નથી.

આ સમાચાર પણ વાંચો :  Parma Ekadashi 2023 : આ તારીખે છે અધિક માસની ‘પરમા એકાદશી’, જાણો પૂજા વિધિ, મુહૂર્ત અને મહત્વ..

ટ્વીટ કરીને જણાવ્યું કે કેમ રાજીનામું આપ્યું

જયરામ રમેશે આ વિશે ટ્વિટ પણ કર્યું, જેમાં તેમણે લખ્યું, ‘આ એવા બિલ છે જે જૈવિક વિવિધતા અધિનિયમ, 2002 અને ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ, 1980 અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપનામાં મૂળભૂત સુધારા કરે છે. એટલું જ નહીં, સમિતિએ ઘણા નક્કર સૂચનો સાથે DNA ટેક્નોલોજી (ઉપયોગ અને એપ્લિકેશન) નિયમન બિલ, 2019 પર એક વ્યાપક અહેવાલ રજૂ કર્યો હતો, જે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. મોદી સરકારે તેને બદલે ક્રિમીનલ પ્રોસીજર (ડિટેક્શન) એક્ટ, 2022થી દૂર કરી દીધો છે.

કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા

તેમણે કહ્યું, આ સંજોગોમાં, મને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ચાલુ રાખવાનું કોઈ મહત્વ દેખાતું નથી, જેના વિષયો મારા હૃદયની ખૂબ નજીક છે અને મારી શૈક્ષણિક અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિને અનુરૂપ છે. સ્વયંભૂ, સર્વજ્ઞ અને વિશ્વગુરુના આ યુગમાં આ બધું અપ્રસ્તુત છે. મોદી સરકારે વધુ એક સંસ્થાકીય તંત્રને નકામું બનાવી દીધું છે.

Modi Govt Cabinet Chintan Baithak વિકસિત ભારતના એજન્ડા પર ચિંતન શિબિર; કેન્દ્રીય મંત્રીમંડળની મહત્વની બેઠક અંગે સામે આવ્યા મોટા સંકેત
Aaditya Thackeray Defamation Notice ૭ દિવસમાં માફી માંગો અન્યથા… આદિત્ય ઠાકરેના વકીલોએ સ્વીકારી કાનૂની નોટિસ; કાનૂની લડત તેજ બની
ABVP Victory In DUSU Elections DUSU ચૂંટણીમાં ABVP નો ભવ્ય વિજય કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ બોલ્યા ‘આ યુવાનોનો અસલી અવાજ અને…’
Rahul Gandhi Attacks BJP ‘ભાજપ ચૂંટણી લડવા નથી માંગતી, પરંતુ…’ કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર
Exit mobile version