Site icon

Jammu and Kashmir: જમ્મુમાં વધુ એક આંતકી હુમલો! ડોડામાં આતંકવાદી હુમલો, સેનાના પાંચ જવાન ઘાયલ; કઠુઆમાં એક આતંકવાદી ઠાર

Jammu and Kashmir: અહીં આતંકીઓના ગોળીબારમાં એક ગ્રામીણ પણ ઘાયલ થયો છે. પોલીસે હુમલો કરનારા બે આતંકીઓમાંથી એકને ઠાર કર્યો છે. બીજો આતંકવાદી ગામમાં જ ક્યાંક છુપાયેલો છે. તેણે ઘટનાસ્થળે પહોંચેલા ડીઆઈજી અને એસએસપી કઠુઆના વાહન પર ગોળીબાર કર્યો હતો. બંને જણ નાસી છૂટ્યા હતા. આતંકવાદીઓ અને પોલીસ વચ્ચે ગોળીબાર ચાલુ છે.

Jammu and Kashmir Third terror attack in 3 days in Jammu, 6 security personnel injured as operation underway

Jammu and Kashmir Third terror attack in 3 days in Jammu, 6 security personnel injured as operation underway

News Continuous Bureau | Mumbai

 Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં એક પછી એક આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. પહેલા રિયાસી, પછી કઠુઆ અને હવે ડોડામાં આતંકીઓએ હુમલો કર્યો છે. મંગળવારે, આતંકવાદીઓએ ડોડા જિલ્લામાં સેનાના અસ્થાયી ઓપરેશનલ બેઝ પર હુમલો કર્યો અને ગોળીબાર શરૂ કર્યો. જો કે, સુરક્ષા દળોએ પણ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો અને વળતો ગોળીબાર કર્યો. જવાનોની જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જ્યારે આતંકવાદી હુમલામાં પાંચ જવાનોના ઘાયલ થવાના સમાચાર છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાશ્મીર ટાઈગર નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.  

Join Our WhatsApp Community

Jammu and Kashmir બસ પર ગોળીબાર 

જમ્મુ ક્ષેત્રમાં આ ઘટના એવા સમયે બની છે જ્યારે આતંકવાદીઓએ તાજેતરમાં પોની વિસ્તારના તેરાયથ ગામ પાસે શિવ ખોરી મંદિરથી કટરા જતા ભક્તોને લઈ જતી 53 સીટર બસ પર ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ બસ ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા. 

Jammu and Kashmir આતંકવાદીઓએ હુમલો કર્યો

આ ઘટના અંગે પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે આતંકીઓએ હીરાનગર સેક્ટરમાં કુટા મોડ પાસે સૈદા સુખલ ગામમાં હુમલો કર્યો. આ પછી સર્ચ ઓપરેશનમાં એક આતંકી માર્યો ગયો. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એક AK 47 રાઈફલ અને એક બેગ મળી આવી છે. તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદી અને તેના જૂથની ઓળખ કરવામાં આવી રહી છે. આતંકી હુમલામાં એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થયો છે.

આ સમાચાર   પણ વાંચો : Vande Bharat train : વંદે ભારતમાં ‘મુંબઈ લોકલ’ જેવી મુસાફરોની ભીડ, વિડીયો થયો વાયરલ; રેલવે અધિકારીએ કરી સ્પષ્ટતા..

Jammu and Kashmir બીજા આતંકીની શોધ ચાલુ છે

જમ્મુ-કાશ્મીરમાં થયેલા ત્રણ આતંકવાદી હુમલા અંગે એડીજીપી આનંદ જૈને કહ્યું છે કે આ આપણો દુશ્મન પાડોશી છે જે હંમેશા આપણા દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે હીરાનગર આતંકી હુમલામાં એક આતંકી માર્યો ગયો છે, જ્યારે બીજાની શોધ પણ ચાલી રહી છે. આ માટે સુરક્ષા દળો સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

Gold and Silver Prices Skyrocket:બજારમાં તેજીનો કરંટ: સોના-ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે ભાવ વધારાનું કારણ અને લેટેસ્ટ માર્કેટ રેટ
Jagannath Ratna Bhandar:૪૮ વર્ષનો ઈન્તજાર ખતમ: જગન્નાથ મંદિરના રત્ન ભંડારનું ખુલશે રહસ્ય; RBI ની દેખરેખ હેઠળ સોના-ચાંદીની ગણતરી શરૂ
Final Farewell to Harish Rana: દેશનું પ્રથમ ‘ઈચ્છામૃત્યુ’: ૧૩ વર્ષની યાતના બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ, ગ્રીન પાર્કમાં અપાઈ વિદાય
Strait of Hormuz Update: હોર્મુઝમાં ફસાયેલા ૨૦ ભારતીય જહાજોને ઈરાને કેમ આપી મંજૂરી? જાણો ઈરાનની કડક શરતો અને ભારતની ડિપ્લોમેસી
Exit mobile version