Site icon News Continuous Bureau | Mumbai

Jammu Kashmir Accident : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મોટી દુર્ઘટના, બસ ખાઈમાં પડી, 36ના મોત PM મોદીએ એક્સ-ગ્રેશિયાની કરી જાહેરાત..

Jammu Kashmir Accident : જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક બસ ઢાળ નીચે પડી, ઓછામાં ઓછા 36 લોકોના મોત, ઘટના સ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

Jammu Kashmir Accident 36 Killed As Bus Plunges Into Gorge In Jammu And Kashmir's Doda

Jammu Kashmir Accident 36 Killed As Bus Plunges Into Gorge In Jammu And Kashmir's Doda

News Continuous Bureau | Mumbai

Jammu Kashmir Accident: જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir) માં આજે એક દુ:ખદ અકસ્માત (Accident) થયો છે. અહીં કિશ્તવાડથી જમ્મુ (Jammu) જઈ રહેલી એક બસ 300 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ બસમાં કુલ 55 લોકો મુસાફરી (Passengers) કરી રહ્યા હતા અને આ સમાચાર લખાય છે ત્યાં સુધી 36 લોકોના મોત થયા હોવાની દુઃખદ માહિતી મળી રહી છે.

Join Our WhatsApp Channel

બચાવ કામગીરી ચાલુ 

માહિતી મળતાં પોલીસ પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી છે. બચાવ ટીમે જણાવ્યું કે ઘાયલોને કિશ્તવાડ જિલ્લા હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ, ડોડામાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ કંટ્રોલ રૂમ ડોડા (Doda) ના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કિશ્તવાડથી જમ્મુ જઈ રહેલી બસ ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં ત્રંગલ પાસે રોડ પરથી પલટી ગઈ અને બીજા રસ્તા પર 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ.

આ સમાચાર પણ વાંચોઃ Moong Dal Halwa : ભાઈદુજ પર મગની દાળના હલવાથી કરાવો ભાઈનું મોં મીઠુ, અદ્ભુત છે તેનો સ્વાદ. નોંધી લો રેસિપી..

 PM મોદીએ એક્સ-ગ્રેશિયાની કરી જાહેરાત..  

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. PM મોદીએ કહ્યું- ડોડામાં બસ દુર્ઘટના દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય.

Sourav Das Responds To Kangana Ranaut Remarks “મારા મિત્રો કહે છે હું હૃતિક રોશન જેવો દેખાવ છું”, કંગના રનૌતના હુમલા પર સૌરવ દાસનો પલટવાર
Bhopal Farmers Protest Called Off ભોપાલમાં ખેડૂતોની જીત, આ મોટી માંગ સ્વીકારાતા આંદોલન સમેટાયું, ખાતર વિતરણનું ઈટોકન પણ રદ.
ED raid Dhanbad 500ની નોટોનો ઢગલો… ધનબાદમાં કોલસા કૌભાંડ અને મની લોન્ડરિંગ મામલે ૨૫થી વધુ સ્થળો પર દરોડા, ૧.૫ કરોડ રોકડ જપ્ત.
Public Examination Reforms Bill Rajya Sabha જાહેર પરીક્ષા સુધારણા વિધેયક આજે રાજ્યસભામાં રજૂ કરાશે, ગઈકાલે લોકસભામાં મળી મંજૂરી
Exit mobile version