Site icon News Continuous Bureau | Mumbai

Jammu Kashmir Terror Attack : જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકી હુમલો, અંધાધુંધ ગોળીબારમાં આટલા મજૂરોના થયા મોત ; ગૃહમંત્રી અમિત શાહે આપ્યો સેનાને કડક આદેશ..

Jammu Kashmir Terror Attack : જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકી હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ભારતીય સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણની ઘટનાઓ પણ ઘણી વખત પ્રકાશમાં આવી છે. હવે ફરી એકવાર માહિતી સામે આવી છે કે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં રવિવારે રાત્રે આતંકવાદીઓએ મોટો હુમલો કર્યો. આ હુમલામાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

Jammu Kashmir Terror Attack Doctor among 7 killed in Ganderbal's terrorist attack in Jammu and Kashmir

Jammu Kashmir Terror Attack Doctor among 7 killed in Ganderbal's terrorist attack in Jammu and Kashmir

News Continuous Bureau | Mumbai

 Jammu Kashmir Terror Attack : છેલ્લા કેટલાક મહિનાઓથી જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસો પહેલા એક એવી ઘટના સામે આવી હતી જેમાં આતંકવાદીઓ દ્વારા બે જવાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ પછી ફરી એકવાર આતંકવાદીઓ દ્વારા સાત લોકોની હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. 

Join Our WhatsApp Channel

 Jammu Kashmir Terror Attack : પરપ્રાંતિય કામદારો પર હુમલો

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં રવિવારે રાત્રે આતંકવાદીઓએ કેટલાક પરપ્રાંતિય કામદારો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ હુમલામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. આ હુમલા બાદ દેશના ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી હતી અને ચેતવણી આપી હતી કે આ હુમલામાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે સખત જવાબ આપવામાં આવશે.

 Jammu Kashmir Terror Attack : હુમલામાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગંગાંગિરમાં નાગરિકો પર આતંકવાદી હુમલો કાયરતાપૂર્ણ અને ઘૃણાસ્પદ કૃત્ય છે. આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં અને અમારા સુરક્ષા દળો દ્વારા તેમને સખત જવાબ આપવામાં આવશે. આ દુઃખદ અવસર પર હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. 

આ સમાચાર પણ વાંચો : Maharashtra Assembly Election: પ્રથમ યાદી જહેર થયા બાદ ભાજપમાં નારાજગી? પાર્ટીએ ટિકિટ ન આપી તો ‘આ’ મોટા નેતા કરશે પક્ષપલટો? ચર્ચાનું બજાર ગરમ..

 Jammu Kashmir Terror Attack :  હુમલામાં સાત કામદારોના મોત 

કેટલાક કામદારો ગાંદરબલ જિલ્લામાં ગગનગીરને સોનમાર્ગને જોડતી ઝેડ-મોર ટનલ પર કામ કરી રહ્યા હતા. જો કે, આ દરમિયાન આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો. આ હુમલામાં સાત કામદારોના મોત થયા છે. આ હુમલામાં એક ડોક્ટર અને છ પરપ્રાંતિય કામદારોના મોત થયા છે. આ પછી ભારતીય જવાનોએ ઘટનાસ્થળે ઘૂસીને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 

દરમિયાન, પોલીસ મહાનિરીક્ષક કાશ્મીર વીકે બિરડી સહિત વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમજ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ આ હુમલાની આકરી નિંદા કરી છે. 

Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
Exit mobile version