Site icon

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, કુલગામમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

17 જુલાઈ 2020

જમ્મુ-કાશ્મીરમાં સેના સતત આતંકવાદીઓનો સફાયો કરી રહી છે. એવામાં આજે ફરી એકવાર આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે મુઠભેદ થઈ છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની ગોળીબારમાં ત્રણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ માર્યા ગયા છે આમાં જૈશનો ટોપ આતંકવાદી અને આઈઈડી નિષ્ણાત વાલિદ શામેલ છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી અનેક હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આ વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાયેલા છે અને સુરક્ષા દળોનું ઓપરેશન હજી પણ ચાલુ છે. જોકે આ એન્કાઉન્ટરમાં ત્રણ સૈનિકો પણ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં જૈશના ટોચના કમાન્ડર અને આઈઈડી નિષ્ણાત વાલિદ સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એક એમ -4 રાઇફલ, એકે -47 અને એક પિસ્તોલ મળી આવી છે. અન્ય સામગ્રી પણ મળી આવી છે.

નોંધનીય છે કે આ પહેલા ગુરુવારે સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) નજીક આતંકવાદીઓને ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સુરક્ષા દળોએ એક નહીં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા…..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2DRyEK8  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version