Site icon News Continuous Bureau | Mumbai

JPC Waqf Amendment Bill : JPC એ વકફ બોર્ડને લીલી ઝંડી આપી, ડ્રાફ્ટ રિપોર્ટ અને સુધારેલા બિલ સ્પીકરને સોંપશે; આ પાર્ટીઓએ કર્યો ભારે વિરોધ…

JPC Waqf Amendment Bill :વકફ (સુધારા) બિલ પર વિચારણા કરતી સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે બુધવારે જણાવ્યું હતું કે, સમિતિએ ડ્રાફ્ટ રિપોર્ટ અને સુધારેલા બિલને બહુમતીથી સ્વીકારી લીધું છે. સાંસદોને પોતાનો અસંમતિ નોંધાવવા માટે સાંજે 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે.

JPC Waqf Amendment Bill Waqf JPC adopts draft report, amended version of proposed law with 1611 majority

JPC Waqf Amendment Bill Waqf JPC adopts draft report, amended version of proposed law with 1611 majority

 News Continuous Bureau | Mumbai  

JPC Waqf Amendment Bill : વકફ (સુધારા) બિલ, 2024 લાંબા સમયથી ચર્ચામાં છે. સંસદની સંયુક્ત સમિતિ (JPC) ની બેઠક બુધવારે સમાપ્ત થઈ ગઈ છે. સમિતિએ ડ્રાફ્ટ રિપોર્ટ અને સુધારેલા બિલને બહુમતીથી સ્વીકારી લીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે JPCના અધ્યક્ષ જગદંબિકા પાલ ગુરુવારે તમામ સભ્યો સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળશે અને તેમને ડ્રાફ્ટ રિપોર્ટ અને સુધારેલા બિલ સોંપશે.

Join Our WhatsApp Channel

આ પહેલા વક્ફ બોર્ડ અંગે JPC ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડ્રાફ્ટ રિપોર્ટ અને સુધારેલા બિલનો સ્વીકાર કરવામાં આવ્યો. વક્ફ બોર્ડના જેપીસી સભ્યો વચ્ચે મતદાન થયું. સુધારેલા બિલ અને ડ્રાફ્ટ રિપોર્ટના પક્ષમાં ૧૬ અને વિરુદ્ધ 11 મત પડ્યા. આ નિર્ણયથી વિપક્ષ ખૂબ નારાજ જણાતો હતો, કારણ કે સમિતિએ NDA સાંસદોના તમામ સુધારા સ્વીકાર્યા હતા, જ્યારે કોંગ્રેસ, AIMIM, TMC, શિવસેના (ઉદ્ધવ જૂથ) અને ડાબેરી પક્ષોના સૂચનોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. વિરોધ પક્ષોનો દાવો છે કે મંગળવારે સાંસદોને 600 થી વધુ પાનાનો ડ્રાફ્ટ રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જેના કારણે તેમના વાંધા વાંચવા અને નોંધાવવાનું લગભગ અશક્ય બની ગયું હતું.

JPC Waqf Amendment Bill :અસદુદ્દીન ઓવૈસીએ વિરોધ કર્યો

વક્ફ સુધારા બિલ 2024 પર JPC બેઠક પર AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું: અમને ગઈકાલે રાત્રે 655 પાનાનો રિપોર્ટ મળ્યો. 655 પાનાનો અહેવાલ રાતોરાત વાંચવો માનવીય રીતે અશક્ય છે. મેં તે સુધારાઓ સામે અસંમતિ અહેવાલ આપ્યો છે જે વકફ બોર્ડના પક્ષમાં નથી. હું સંસદમાં પણ આ બિલનો વિરોધ કરીશ.

JPC Waqf Amendment Bill : કોંગ્રેસે કહ્યું- મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવા માટે સુધારા લાવવામાં આવ્યા હતા

વક્ફ સુધારા બિલ 2024 પર JPC બેઠક અંગે કોંગ્રેસના સાંસદ ડૉ. સૈયદ નસીર હુસૈન કહે છે, “ઘણા વાંધા અને સૂચનો મળ્યા હતા જેનો આ અહેવાલમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. સરકારે તે મુજબ એક અહેવાલ તૈયાર કર્યો છે. ગેરબંધારણીય સુધારા લાવવામાં આવ્યા છે અને લઘુમતીઓના અધિકારોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમ સમુદાયને લક્ષ્ય બનાવવા માટે સુધારા લાવવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો  : Waqf Amendment Bill 2024: JPC એ વકફ સુધારા બિલને મંજૂરી આપી, આટલા બધા સુધારા થયા; વિપક્ષને ઝટકો..

JPC Waqf Amendment Bill : સરકારનો હેતુ વકફ મિલકતોના સંચાલનમાં આધુનિકતા, પારદર્શિતા અને જવાબદારી લાવવાનો છે: ભાજપ

વકફ સુધારા બિલ 2024 પર JPC બેઠક અંગે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું, વકફ સુધારા બિલ પર JPC બેઠક આજે પૂર્ણ થઈ. સરકારનો હેતુ વકફ મિલકતોના સંચાલનમાં આધુનિકતા, પારદર્શિતા અને જવાબદારી લાવવાનો હતો અને દેશમાં સામાજિક અને સાંપ્રદાયિક સુમેળના ભોગે જમીનો પર અતિક્રમણ કરવાનો પ્રયાસ કરી રહેલા સ્વાર્થી લોકો દ્વારા કાયદાના દુરુપયોગને અટકાવવાનો પણ હતો. આ બંને ઉદ્દેશ્યો પસાર થયેલા સુધારાઓ અને આખરે JPC દ્વારા સ્વીકારાયેલા અહેવાલ દ્વારા પ્રાપ્ત થયા છે. ચર્ચાઓ ગરમાગરમ રહી હોવા છતાં, અંતિમ અહેવાલ એક સારો દસ્તાવેજ છે જે વકફ બોર્ડના કામકાજમાં ખૂબ જ જરૂરી જવાબદારી અને પારદર્શિતા લાવીને મુસ્લિમ સમુદાયને સશક્ત બનાવે છે.

JPC Waqf Amendment Bill : શું છે આ બિલનો ઉદ્દેશ્ય 

મહત્વનું છે કે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યા બાદ, 8 ઓગસ્ટ, 2024 ના રોજ વકફ (સુધારા) બિલ, 2024 સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ને મોકલવામાં આવ્યું હતું. આ બિલનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના નિયમન અને સંચાલન સાથે સંકળાયેલા મુદ્દાઓ અને પડકારોને સંબોધવા માટે વકફ અધિનિયમ, 1995માં સુધારો કરવાનો છે.

 

CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
First Resignation In 12 Years Of Modi Government સીએએથી લઈને કિસાન આંદોલન સુધી… મોદી સરકારના ૧૨ વર્ષના ઇતિહાસમાં પહેલું રાજીનામું, ભારે હોબાળા બાદ ધર્મેન્દ્ર પ્રધાને છોડવું પડ્યું પદ
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Exit mobile version