Site icon

મોત છે કે પછી મોતનું કાવતરુ !? સાધુ મોબ લિંચિંગ કેસના સહાયક વકીલનું રોડ અકસ્માતમાં મૃત્યુ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ 

Join Our WhatsApp Community

15 મે 2020

મહારાષ્ટ્રના પાલઘરમાં ભીડ દ્વારા બે સાધુઓને મારી નાખવાની ઘટનાનું કોકડું વધુ ગૂંચવાયું છે. સાધુઓનો કેસ લડતા વકીલના સહાયક વકીલનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ સહાયક જ્યારે ઘરથી દહાણુ કોર્ટમાં જવા નીકળ્યા હતા ત્યારે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર આ અકસ્માત થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ભાજપ અને વીએચપી દ્વારા વિપક્ષી પાર્ટી પર આરોપ લગાવવામાં આવ્યા છે અને આ ઘટના અંગે રાજ્યના પોલીસ વડા અને સરકારને જરૂરી કડક પગલા લેવાની અપીલ કરી છે.

 બીજી બાજુ માર્ગ અકસ્માત કેમ અને કેવી રીતે થયો? એ અંગે આર.ટી.ઓ.ના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ કોઇ કાનૂની પગલાં લેવાશે એમ પણ જાણવા મળ્યું છે. નોંધનીય છે કે સાધુઓના મોત માટે પાલઘરની આસપાસના આદિવાસી વિસ્તારોમાં ચાલતા ધર્માંતરણ સાથે પણ જોડીને જોવાઈ રહ્યું છે..

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version