Site icon

મોત છે કે પછી મોતનું કાવતરુ !? સાધુ મોબ લિંચિંગ કેસના સહાયક વકીલનું રોડ અકસ્માતમાં મૃત્યુ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ 

Join Our WhatsApp Community

15 મે 2020

મહારાષ્ટ્રના પાલઘરમાં ભીડ દ્વારા બે સાધુઓને મારી નાખવાની ઘટનાનું કોકડું વધુ ગૂંચવાયું છે. સાધુઓનો કેસ લડતા વકીલના સહાયક વકીલનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ સહાયક જ્યારે ઘરથી દહાણુ કોર્ટમાં જવા નીકળ્યા હતા ત્યારે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર આ અકસ્માત થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ભાજપ અને વીએચપી દ્વારા વિપક્ષી પાર્ટી પર આરોપ લગાવવામાં આવ્યા છે અને આ ઘટના અંગે રાજ્યના પોલીસ વડા અને સરકારને જરૂરી કડક પગલા લેવાની અપીલ કરી છે.

 બીજી બાજુ માર્ગ અકસ્માત કેમ અને કેવી રીતે થયો? એ અંગે આર.ટી.ઓ.ના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ કોઇ કાનૂની પગલાં લેવાશે એમ પણ જાણવા મળ્યું છે. નોંધનીય છે કે સાધુઓના મોત માટે પાલઘરની આસપાસના આદિવાસી વિસ્તારોમાં ચાલતા ધર્માંતરણ સાથે પણ જોડીને જોવાઈ રહ્યું છે..

Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Indian Ocean Security Crisis: હોર્મુઝ બાદ હવે હિંદ મહાસાગરમાં મિસાઈલ વર્ષા! ભારતની ‘લાઈફલાઈન’ પર ગંભીર ખતરો; ઈરાન-અમેરિકાના જંગથી દરિયાઈ વેપારમાં મચ્યો ખળભળાટ.
LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version