Site icon

Kangana Ranaut: કંગના રનૌતે લાલ કિલ્લાના મેદાન પર કર્યું રાવણ દહન, અભિનેત્રીએ રચ્યો ઈતિહાસ.. જુઓ વિડીયો..

Kangana Ranaut: બોલિવૂડ સ્ટાર કંગના રનૌતે દિલ્હીના લાલ કિલ્લાના મેદાનમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાઓનું દહન કર્યું હતુ. આ કાર્યક્રમના 50 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાએ રાવણના પૂતળાનું દહન કર્યું હતુ. અભિનેત્રીના આગમન પહેલા જ રામ લીલા મેદાનમાં લગાવવામાં આવેલ રાવણનુ પૂતળુ પડી ગયુ હતુ.

Kangana Ranaut burnt Ravana on the ground of Red Fort, the actress created history.

Kangana Ranaut burnt Ravana on the ground of Red Fort, the actress created history.

News Continuous Bureau | Mumbai 

Kangana Ranaut: અભિનેત્રી કંગના રનૌતે મંગળવારે (24 ઓક્ટોબર 2023) વિજયા દશમીના દિવસે લાલ કિલ્લાની બાજુના મેદાનમાં આયોજિત દિલ્હીની(Delhi) પ્રખ્યાત લવ કુશ રામલીલામાં રાવણના પૂતળાનું દહન કર્યું હતું. પરંતુ મુખ્ય મહેમાન અભિનેત્રી કંગના રનૌતનું તેમનું પૂતળું આગ લગાડે તે પહેલાં જમીન પર પડી ગયું હતું અને રાણાવત તીર ચલાવી તેને આગ લગાડે તે પહેલાં પુતળાને ફરીથી ઊભું કરવું પડ્યું હતું.

Join Our WhatsApp Community

રાવણ દહન તરીકે ઓળખાતી આ વિધિને દશેરાની(Dussehra) સૌથી મહત્વપૂર્ણ વિધિઓમાંની એક માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની લવ કુશ રામલીલા કમિટીના પ્રમુખના જણાવ્યા અનુસાર, આ ઘટનાના 50 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલાએ રાવણના પૂતળાને આગ લગાવી હોય તેવી આ ઘટના હતી. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ પણ ભાગ લીધો હતો.

 

50 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મહિલાએ રાવણના પૂતળાને આગ લગાવી….

રાવણના પૂતળાને આગ લગાવી અને ‘જય શ્રી રામ’ ના નારા લગાવ્યા. અભિનેત્રીની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સેંકડો લોકો સ્થળ પર એકઠા થયા હતા. દિલ્હીની લવ કુશ રામલીલા કમિટીના પ્રમુખ અર્જુન સિંહે કહ્યું, ‘લાલ કિલ્લા પર દર વર્ષે આયોજિત ઈવેન્ટના 50 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ મહિલાએ રાવણના પૂતળાને આગ લગાવી હોય.’

રણૌતે આ કાર્યક્રમમાં તેની ફિલ્મ ‘તેજસ’નું પ્રમોશન પણ કર્યું હતું, જે 27 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. તેણે કહ્યું કે આ ફિલ્મ ભારતીય સૈનિકોના મુશ્કેલ જીવન પર આધારિત છે. અભિનેત્રીએ કહ્યું, ‘આ ફિલ્મ બતાવશે કે કેવી રીતે આપણા ભારતીય સૈનિકો આપણું રક્ષણ કરે છે અને પોતાના જીવનું બલિદાન આપતા અચકાતા નથી.’

આ સમાચાર પણ વાંચો :  New Delhi : દિલ્હીનાં દ્વારકા ખાતે વિજયા દશમીની ઉજવણી પ્રસંગે વડાપ્રધાનનું સંબોધન

Budget Passing Process: સંસદમાં બજેટ કેવી રીતે પસાર થાય છે?જાણો રજૂઆતથી લઈને રાષ્ટ્રપતિની મંજૂરી સુધીની સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ
Sadhvi Prem Baisa Death Case: સાધ્વી પ્રેમ બાઈસા કેસમાં નવો વળાંક! શું છેલ્લી રાત્રે જમવામાં અપાયું હતું ઝેર? બંધ આઈફોન ખોલશે મોટા રહસ્યો
PM Modi Jalandhar Visit: વડાપ્રધાનના પ્રવાસ પહેલા જાલંધરની 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
Namo Bharat Train: ભારતની એકમાત્ર ટ્રેન જેમાં તમે બર્થડે પાર્ટી અને પ્રી-વેડિંગ શૂટ કરી શકશો; જાણો બુકિંગનો ખર્ચ અને નિયમો
Exit mobile version