દેશના પૂર્વ વડાપ્રધાન અને જનતા દળના વડા એચડી દેવગૌડા તેમના એક નિવેદનના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.
બેંગલુરુ કોર્ટે માનહાનિના કેસમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાને 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
દેવગૌડાએ 10 વર્ષ પહેલા એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં નંદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર એન્ટરપ્રાઇઝિસ (એનઆઇસીઇ) સામે નિવેદન આપ્યું હતું.
ઇન્ટરવ્યૂમાં કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના લીધે કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારનો આદેશ તેવા રાજકારણીઓ માટે પદાર્થપાઠ છે જે કોઈપણ પ્રકારના તથ્ય વગર ખાનગી ક્ષેત્રની કંપનીઓ પર આરોપ મૂકે છે.
