Site icon

Katchatheevu: શું મોદી સરકાર કચ્ચાથીવુ ટાપુ પાછો લેશે? આ અંગે શ્રીલંકાના મંત્રીએ આપ્યું આ નિવેદન..

Katchatheevu: શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની કેબિનેટમાં તમિલ મૂળના મંત્રી જીવન થોન્ડમને નિવેદન આપતા કહ્યું હતું કે, જ્યાં સુધી શ્રીલંકાની વાત છે ત્યાં સુધી કચ્ચાથીવુના મામલામાં તે વિસ્તાર શ્રીલંકાના નિયંત્રણ હેઠળ આવે છે.

Katchatheevu Will Modi Govt Take Back Katchatheevu Island The Sri Lankan minister gave this statement about this.

Katchatheevu Will Modi Govt Take Back Katchatheevu Island The Sri Lankan minister gave this statement about this.

News Continuous Bureau | Mumbai 

Katchatheevu: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ કચ્ચાથીવુ ટાપુ પર કોંગ્રેસ અને ડીએમકે પર નિશાન સાધ્યું હતું. હાલ કેન્દ્ર સરકાર આ મામલાને જોરદાર રીતે ચર્ચામાં લાવી રહી છે. આ જ સંદર્ભે સોમવારે વિદેશ મંત્રી એસ જયશંકરે ( S Jaishankar ) પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થયો કે શું મોદી સરકાર કચ્ચાથીવુને લઈને કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહી છે? શું ભારત કચ્ચાથીવુ પાછું લેશે? આ અંગે શ્રીલંકા તરફથી એક નિવેદન બહાર આવ્યું છે. શ્રીલંકાના મંત્રીએ કહ્યું કે આ મામલે ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર આદેશ મળ્યો નથી. 

Join Our WhatsApp Community

શ્રીલંકાના ( Sri Lanka ) રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની કેબિનેટમાં તમિલ મૂળના મંત્રી જીવન થોન્ડમને ( Jeevan Thondaman ) નિવેદન આપતા કહ્યું હતું કે, જ્યાં સુધી શ્રીલંકાની વાત છે ત્યાં સુધી કચ્ચાથીવુના મામલામાં તે વિસ્તાર શ્રીલંકાના નિયંત્રણ હેઠળ આવે છે. હાલમાં શ્રીલંકાના ભારત સાથે ઘણા સારા સંબંધો ધરાવે છે. કચ્ચાથીવુ દ્વીપ ( Katchatheevu island ) પરત કરવા અંગે ભારત તરફથી હજુ સુધી કોઈ વધુ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જો ભારત આવું પગલું ભરશે તો વિદેશ મંત્રાલય તેનો જરુરથી જવાબ આપશે. એક પ્રશ્નના જવાબમાં, તેમણે કચ્ચાથીવુને ભારત પરત કરવાની કોઈપણ શક્યતાને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સીમાઓ બદલી શકાતી નથી.

 વડાપ્રધાન મોદીએ રવિવારે આ મુદ્દે કોંગ્રેસ અને ડીએમકે પર પ્રહારો કર્યા હતા…

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ રવિવારે આ મુદ્દે કોંગ્રેસ અને ડીએમકે પર પ્રહારો કર્યા હતા. આ પછી સોમવારે વિદેશ મંત્રી એસ જયશંકરે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ ( Congress ) અને ડીએમકેએ આ બાબતને એવી રીતે લીધી છે કે જાણે તેમની કોઈ જવાબદારી જ નથી. 1974માં થયેલા કરારને પુનરાવર્તિત કરતા જયશંકરે કહ્યું હતું કે આ વર્ષે ભારત અને શ્રીલંકા વચ્ચે એક કરાર થયો હતો. બંને દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. તે પછી તત્કાલીન કોંગ્રેસ સરકારે દરિયાઈ સીમા દોરી અને દરિયાઈ સીમા દોરતી વખતે સરહદની શ્રીલંકાની બાજુએ કચ્ચાથીવુ મૂકવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Shiv Sena Candidates List: મહારાષ્ટ્રમાં CM એકનાથ શિંદે શિવસેના આ કારણે તેમના આ ઉમેદવારોના નામ બદલી શકે છે.. થઈ શકે છે ટિકિટ રદ્દ..

નોંધનીય છે કે, 1974 સુધી કચ્ચાથીવુ ભારતનો એક ભાગ હતો પરંતુ શ્રીલંકાએ પણ આ ટાપુ પર પોતાનો દાવો જાળવી રાખ્યો હતો. આ ટાપુ નેદુન્તીવુ, શ્રીલંકા અને રામેશ્વરમ (ભારત) વચ્ચે આવેલો છે. 1974 માં, ભારત સરકાર અને શ્રીલંકા સરકાર વચ્ચેના કરાર પછી, ભારત સરકારે કચ્ચાથીવુ ટાપુની માલિકી શ્રીલંકાને સોંપી દીધી. આ પહેલા બંને દેશોના માછીમારો લાંબા સમયથી કોઈ પણ વિવાદ વગર એકબીજાના પાણીમાં માછીમારી કરતા હતા. આ કરાર ભારત અને શ્રીલંકા વચ્ચેની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નક્કી કરે છે . જોકે આ પછી પણ વિવાદ શમ્યો નથી. 1991 માં, તમિલનાડુ એસેમ્બલીએ ટાપુ પરત કરવાની માંગ કરતો ઠરાવ પસાર કર્યો.

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version