Site icon

Krishna Kumar Yadav: 76મા ગણતંત્ર દિવસે પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્ર ધ્વજ અને ડાક ચોપાલની ઉજવણી, 8888 પોસ્ટ ઓફિસોમાં નાગરિકોને જોડાવા અનોખી પહેલ

Krishna Kumar Yadav: 76મા ગણતંત્ર દિવસે, દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્ર દવજ ફરકાવવાની સાથે, 'ડાક ચોપાલ'નું પણ કરવામાં આવશે આયોજન - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

Krishna Kumar Yadav Celebration of the national flag and Dak Chaupal at the post office on the 76th Republic Day, a unique initiative to engage citizens in 8888 post officesKrishna Kumar Yadav Celebration of the national flag and Dak Chaupal at the post office on the 76th Republic Day, a unique initiative to engage citizens in 8888 post offices

Krishna Kumar Yadav Celebration of the national flag and Dak Chaupal at the post office on the 76th Republic Day, a unique initiative to engage citizens in 8888 post offices

News Continuous Bureau | Mumbai

  • ‘સરકારી સેવાઓ તમારા દ્વારે’ હેઠળ ડાક ચોપાલ ખાતે નાગરિક-કેન્દ્રિત સેવાઓ થશે ઉપલબ્ધ – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

Krishna Kumar Yadav:  ભારતીય ડાક વિભાગ દ્વારા 26 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાત પરિમંડલમાં 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્ર દવજ ફરકાવવાની સાથે ‘ડાક ચોપાલ’નું પણ આયોજન કરવામાં આવશે. અમદાવાદના ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ પહેલનો ઉદ્દેશ્ય સમાજના છેવાડાના વર્ગ સુધી આવશ્યક સરકારી અને નાગરિક-કેન્દ્રિત સેવાઓ પહોંચાડવાનો છે, જેનો લાભ ગુજરાતના લોકો અને તમામ લાભાર્થીઓને મળશે. કેન્દ્રીય સેવાઓની સાથે, રાજ્ય કક્ષાની વિવિધ સામાજિક અને કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ એક છત નીચે મળી શકશે. ‘સરકારી સેવાઓ તમારા દ્વારે’ હેઠળ, નાણાકીય સેવાઓ, વીમા, પેમેન્ટ બેંક સેવાઓ, ડીબીટી, ઈ-કોમર્સ અને નિકાસ સેવાઓ સહિત તમામ નાગરિક-કેન્દ્રિત સેવાઓ વિશે જાગૃતિ ફેલાવીને લોકોને લાભ આપવામાં આવશે.

Join Our WhatsApp Community

Krishna Kumar Yadav:  પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ ઓફિસો હવે ફક્ત પરંપરાગત ડાક સેવાઓ પૂરી પાડવા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણમાં એક મહત્વપૂર્ણ કડી પણ બની ગઈ છે. ડાક વિભાગે તેના કાર્યોનો વિસ્તાર કર્યો છે અને ડિજિટલ માધ્યમો દ્વારા તેની સેવાઓને વધુ સુલભ બનાવી છે. આવી સ્થિતિમાં, ગણતંત્ર દિવસના શુભ અવસર પર, સમાજના છેવાડાના વ્યક્તિ સુધી ડિજિટલ ઇન્ડિયા, નાણાકીય સમાવેશ અને અંત્યોદયની સંકલ્પના સાથે જોડવા માટે ગુજરાતના વિવિધ સ્થળોએ ડાક ચોપાલનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ નાગરિકોને સરકારી યોજનાઓ સાથે સીધા જોડવાનો એક અસરકારક માર્ગ સાબિત થશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે બદલાતા વાતાવરણમાં ડાક સેવાઓની બદલાતી ભૂમિકા પર પ્રકાશ પાડતા જણાવ્યું કે પત્રો અને પાર્સલ ઉપરાંત, ડાક વિભાગ બચત બેંક, પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી અને અપડેટ, કોમન સર્વિસ સેન્ટર, ડાક ઘર નિર્યાત કેન્દ્ર જેવા ઘણા જનમુખી કાર્યો કરવામાં આવી રહ્યા છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા, પોસ્ટમેન આજે મોબાઇલ બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે. CELC હેઠળ, ઘરે બેઠા બાળકો માટે આધાર કાર્ડ બનાવવું, મોબાઇલ અપડેટ, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ, DBT, બિલ ચુકવણી, AEPS દ્વારા બેંક ખાતામાંથી ચુકવણી, વાહન વીમો, આરોગ્ય વીમો, અકસ્માત વીમો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરે જેવી વિવિધ સેવાઓનો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પૂરી પાડવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Amit Shah: ‘પરવાહ’ થીમ સાથે ગુજરાતમાં ‘માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫’ ની શરૂઆત, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં …

ઉલ્લેખનીય છે કે ગુજરાત પોસ્ટલ સર્કલ હેઠળ કુલ 8888 પોસ્ટ ઓફિસનો સમાવેશ થાય છે. તેમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદમાં  2262 પોસ્ટ ઓફીસો, દક્ષિણ ગુજરાત પરિક્ષેત્ર, વડોદરામાં 3629 પોસ્ટ ઓફિસો અને સૌરાષ્ટ્ર-કચ્છ પરિક્ષેત્ર, રાજકોટમાં 2997 પોસ્ટ ઓફિસો આવેલી છે. ડાક ચોપાલ દ્વારા આટલા વ્યાપક સ્તરે, લોકો સરકારી યોજનાઓ સાથે સીધા જોડાઈ શકશે અને તેમની જરૂરિયાતો મુજબ માહિતી મેળવી શકશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version