Site icon

અરે મહારાષ્ટ્ર છોડો.આખા દેશમાં માત્ર 5.5 દિવસ ચાલે એટલો વેક્સિનનો સ્ટોક બચ્યો.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 9 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શુક્રવાર.

     દેશભરમાં કોરોના રસીકરણ નું કાર્ય પૂર ઝડપે ચાલુ છે. પરંતુ દેશના અમુક રાજ્યો એવા છે જ્યાં રસીનો ડોઝ પૂર્ણ થવાના આરે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશના અમુક રાજ્યોમાં ફક્ત સાડા પાંચ દિવસ ચાલે એટલો જ વેક્સિનનો ડોઝ બચ્યો છે

     દેશના અમુક રાજ્યોમાં વેક્સિન સપ્લાય ની અછત સર્જાતા આ મહામારી ની પરિસ્થિતિ વધારે વિકટ બનતી જાય છે. આંધ્ર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાં તો ફક્ત બે દિવસ ચાલે એટલી જ વેક્સિન નો ડોઝ છે. જ્યારે ઓરિસ્સામાં ચાર દિવસ ચાલે એટલો જ વેક્સિન સ્ટોક બાકી છે. મહારાષ્ટ્ર રાજ્યની પરિસ્થિતિ પણ આવી જ  છે. ત્યાં રોજના લગભગ ચાર લાખ લોકોને વેક્સિન લગાડવામાં આવી રહી છે અને ફક્ત ૧૫ લાખ વેક્સિન નો ડોઝ બચ્યો છે. જે મુશ્કેલથી ત્રણથી ચાર દિવસ સુધી ચાલશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પણ સરેરાશ ત્રણથી સાડા ત્રણ દિવસ ચાલે એટલો જ વેક્સિન નો ડોઝ બચ્યો છે.

   એપ્રિલ મહિનાથી દેશભરમાં સરેરાશ રોજના ૩૬ લાખ લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. તેથી શક્ય છે કે વેક્સિન માટેની આ અછત સર્જાઇ હોય.પરંતુ કેન્દ્ર સરકારે ખાતરી આપતાં જણાવ્યું છે કે,આવતા અઠવાડિયાની અંદર દેશના દરેક રાજ્યમાં તેમની જરૂરિયાત મુજબ વેક્સિન નો ડોઝ પહોંચી જશે.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version