Site icon

Lok Sabha Election 2024:લોકસભા માટે ભાજપનો એક્શન પ્લાન તૈયાર, બેઠકો જીતવા જાહેર કર્યો ટાર્ગેટ, કહ્યું- ‘તીસરી બાર મોદી સરકાર..અબકી બાર…’

Lok Sabha Election 2024:ભાજપ આ સામાન્ય ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવા માટે રણનીતિ બનાવી રહી છે. સૂત્ર હોય કે જમીની સમીકરણો, માઇક્રો મેનેજમેન્ટ માટે પ્રખ્યાત ભાજપ પોતાનું સપનું પૂરું કરવામાં કોઈ કસર છોડશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રાન્ડ ઈમેજ ભાજપના પ્રયાસોની અસરને અનેક ગણી વધારે છે

Lok Sabha Election 2024'Abki baar 400 paar, Teesri baar Modi sarkar' BJP coins slogan for 2024 Lok Sabha elections

Lok Sabha Election 2024'Abki baar 400 paar, Teesri baar Modi sarkar' BJP coins slogan for 2024 Lok Sabha elections

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024: વર્ષ 2024 થઇ ગયું છે અને લોકસભા ચૂંટણી પણ 2024ના મે મહિનામાં યોજાવાની છે. આ જ ક્રમમાં રાજકીય પાર્ટીઓ ( Political parties ) તેની તૈયારીઓ જોરશોરથીકરી રહી છે. આ દરમિયાન ભાજપે ( BJP ) આ ચૂંટણી માટે સૂત્ર નક્કી કરી લીધું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સૂત્ર છે ‘અબકી બાર 400 પાર, ત્રીજી વખત ( Modi Sarkar ) મોદી સરકાર‘.

Join Our WhatsApp Community

પીએમ મોદીનો ( PM Modi ) પ્રવાસ 22 જાન્યુઆરીથી શરૂ થશે

આ સાથે જ ભાજપે લોકસભા અને વિધાનસભા કક્ષાએ ( assembly level ) કન્વીનર અને સહ કન્વીનર નક્કી કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ ( Amit Shah ) ,  સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ( Rajnath Singh ) અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ( JP Nadda ) સમગ્ર દેશની મુલાકાત લેશે. પીએમ મોદીનો પ્રવાસ 22 જાન્યુઆરીથી શરૂ થશે.

બેઠકમાં રામ મંદિરના અભિષેક સમારોહ અંગે પણ થઇ ચર્ચા

આ ઉપરાંત બેઠકમાં અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, અભિષેક સમારોહ પછી, 25 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી રામ મંદિર પર એક મેગા અભિયાન ચલાવવામાં આવશે. રામ મંદિરના દર્શન કરવા ઈચ્છુક લોકોની મદદ માટે પાર્ટી દરેક સંભવ પ્રયાસ કરશે. રામ મંદિર સંબંધિત તમામ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે તમામ કાર્યકરોને સૂચના જારી કરવામાં આવી છે. આ સિવાય બૂથ કાર્યકરોને રામ મંદિરના દર્શન કરવા માંગતા લોકોનો સંપર્ક કરવા અને મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Women Fight Video: બસની સીટ માટે મહિલાઓ એકબીજા સાથે બાખડી, ખેંચ્યા વાળ.. મારી થપ્પડો.. જુઓ વિડીયો

ભાજપે આ સૂત્ર એવા સમયે લગાવ્યું છે જ્યારે આજે નવી દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. આગામી લોકસભા ચૂંટણીને લઈને આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પાર્ટીના મહાસચિવ સુનીલ બંસલ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવિયા સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

આ પહેલા ભાજપે શું સૂત્ર આપ્યું?

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ‘અચ્છે દિન આવવાના છે’નું સૂત્ર આપ્યું હતું. પાર્ટીએ 2019ની સામાન્ય ચૂંટણી ‘મોદી સરકાર ફરી એકવાર’ ના નારા પર લડી હતી. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે લોકસભાની બંને ચૂંટણી જીતી હતી.

PM મોદી શું કરી રહ્યા છે દાવો?

પીએમ મોદીએ તાજેતરના સમયમાં ઘણી વખત દાવો કર્યો છે કે લોકોનો ભાજપમાં વિશ્વાસ અકબંધ છે. આવી સ્થિતિમાં ભાજપ માટે જીતની હેટ્રિક હશે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં એક તરફ બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) છે. બીજી તરફ, કોંગ્રેસ, TMC, DMK અને આમ આદમી પાર્ટી સહિત અનેક પક્ષોનો સમાવેશ કરીને વિપક્ષી ગઠબંધન ભારત (I.N.D.I.A) છે.

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Middle East War Tensions: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધનો ભણકારો ટ્રમ્પની ધમકી બાદ ભારત સહિત અનેક દેશોએ દૂતાવાસ ખાલી કર્યા; દુનિયાભરમાં હાઈ એલર્ટ!.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Exit mobile version