Site icon News Continuous Bureau | Mumbai

Lok Sabha Election: લોકસભા ચૂંટણી માટે ભાજપની રણનીતી સાફ.. આ ફોર્મ્યુલા પર કરશે કામ.. આ વરિષ્ઠ નેતાઓ સહિત રાજ્યસભાના આ સાંસદોને લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારી..

Lok Sabha Election: ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપ લોકસભા ચૂંટણીમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પણ મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે

Lok Sabha Election BJP's strategy for the Lok Sabha elections is clear.. It will work on this formula.. These MPs of the Rajya Sabha, including these senior leaders, are ready to enter the Lok Sabha elections..

Lok Sabha Election BJP's strategy for the Lok Sabha elections is clear.. It will work on this formula.. These MPs of the Rajya Sabha, including these senior leaders, are ready to enter the Lok Sabha elections..

 News Continuous Bureau | Mumbai

Lok Sabha Election: લોકસભાની ચૂંટણીને હવે 6 મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં ભાજપે ( BJP ) લોકસભા ચૂંટણી 2024 માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપ લોકસભા ચૂંટણીમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને ( senior leaders ) પણ મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. લોકસભાની ચૂંટણી લડનારા ઉમેદવારોની ( candidates ) આ યાદીમાં રાજ્યસભાના પણ ઘણા સાંસદોના ( MPs )  નામ સામેલ હશે. 

Join Our WhatsApp Channel

પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપે વરિષ્ઠ નેતાઓને, ખાસ કરીને જેઓ રાજ્યસભામાં ( Rajya Sabha ) તેમની ત્રીજી મુદત પૂરી કરી રહ્યા છે, તેમને લોકસભાની ચૂંટણી લડવા જણાવ્યું છે. જેથી તેઓ સંસદમાં ( Parliament ) પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી શકે. આમાં તે નેતાઓ પણ સામેલ છે, જે મોદી સરકારમાં કેબિનેટ મંત્રી છે. એક અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આવા નેતાઓને તેમની પસંદગીની બેઠક પસંદ કરવાની પણ સ્વતંત્રતા આપવામાં આવી છે. પાર્ટી સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે બુધવારે પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વની અધ્યક્ષતામાં મળેલી સંગઠનાત્મક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 આ બેઠકમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીનું ઉદાહરણ આપવામાં આવ્યું…

મળતી માહિતી મુજબ, આ બેઠકમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીનું ( Assembly elections ) ઉદાહરણ આપવામાં આવ્યું હતું, જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે ચાર કેન્દ્રીય મંત્રીઓ સહિત 18 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આનાથી વિધાનસભા ચૂંટણીમાં સારા પરિણામો જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, ઓછામાં ઓછા એક વર્તમાન કેન્દ્રીય મંત્રી સહિત પાર્ટીના ઓછામાં ઓછા બે દિગ્ગજ નેતાઓને દિલ્હીથી મેદાનમાં ઉતારવાની અપેક્ષા છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: શહેરમાં ટ્રાફિક પોલીસની મોટી કાર્યવાહી… નિયમોનું ઉલ્લંઘન કરનારા કેબ ડ્રાઈવરો પાસેથી વસૂલ્યો આટલા લાખનો દંડ..

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, કેન્દ્રીય મંત્રીઓ જે રાજ્યસભાના સાંસદ છે. તેમાં રાજીવ ચંદ્રશેખર, પીયૂષ ગોયલ, નિર્મલા સીતારમણ, એસ જયશંકર, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, હરદીપ સિંહ પુરી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, અશ્વિની વૈષ્ણવ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણેનો પણ સમાવેશ થાય છે. કર્ણાટકના ચંદ્રશેખર અને સીતારમણ, મહારાષ્ટ્રના ગોયલ અને ગુજરાતના રૂપાલા એ નવ ભાજપના નેતાઓમાં સામેલ છે જેઓ હાલમાં ત્રીજી વખત રાજ્યસભાના સાંસદ છે. આ યાદીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હિમાચલ પ્રદેશથી રાજ્યસભાના સભ્ય છે.

Chief Minister Bhupendra Patel મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ પૂર્ણ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ
Xi Jinping’s Security And India Visit Details શી જિનપિંગના કાફલાની અંદરની ખાસ વાતો ચીની રાષ્ટ્રપતિની પર્સનલ લિમુઝિન અને ફૂડ સેફ્ટી ટીમથી લઈને ભારતના સુરક્ષા પ્રોટોકોલના અંદરના સમાચાર
PM Modi Meets Malaysian PM Anwar Ibrahim મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે કરી પીએમ મોદી સાથે મુલાકાત ડિફેન્સ ડીલ અને ભારતીય હથિયારોની ખરીદીને લઈને મોટા સમાચાર
Xi Jinping Arrives In New Delhi For BRICS Summit બ્રિક્સ સમિટ માટે શિ જિનપિંગનું નવી દિલ્હીમાં આગમન આજથી શરૂ થતી મહાસંમેલનની બેઠકો અને ગાલા ડિનરનું સંપૂર્ણ ટાઇમટેબલ જાહેર
Exit mobile version