Site icon News Continuous Bureau | Mumbai

LPG Crisis Relief: યુદ્ધના મેદાન વચ્ચે ભારતની જીત! હોર્મુઝના જોખમી રૂટ પરથી ભારતના ૨ જહાજોનો સુરક્ષિત માર્ગ, ગેસ સંકટ હળવું થવાના એંધાણ

LPG Crisis Relief: પીએમ મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ વચ્ચેની વાતચીત રંગ લાવી: કોમર્શિયલ ગેસના ભાવ ₹2300 ને પાર પહોંચ્યા બાદ સપ્લાયમાં થશે વધારો, વધુ 24 જહાજોને બહાર કાઢવા કવાયત તેજ.

LPG Crisis Relief 2 Indian LPG Ships Cross Strait of Hormuz After PM Modi's Talk with Iranian President

LPG Crisis Relief 2 Indian LPG Ships Cross Strait of Hormuz After PM Modi's Talk with Iranian President

News Continuous Bureau | Mumbai

 LPG Crisis Relief: ભારતમાં અત્યારે ચાલી રહેલા રસોઈ ગેસ (LPG) ના ગંભીર સંકટ વચ્ચે એક ખુબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરીય વાતચીત બાદ, ઈરાને ભારતના બે એલપીજી જહાજોને યુદ્ધગ્રસ્ત ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માંથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે. આ જહાજોના આગમનથી દેશમાં ખાસ કરીને કોમર્શિયલ ગેસની અછતનો સામનો કરી રહેલા હોસ્પિટાલિટી અને રેસ્ટોરન્ટ સેક્ટરને મોટી રાહત મળશે.નોંધનીય છે કે ભારત અને ઈરાન વચ્ચે આર્થિક અને રાજદ્વારી સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે. ઈરાન-અમેરિકા યુદ્ધ શરૂ થયા બાદ બંને દેશના ટોચના નેતાઓ વચ્ચે આ પ્રથમ સીધી વાતચીત હતી. આ ચર્ચા બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે વાત કરી હતી, જેના ગણતરીના કલાકોમાં જ ભારતીય જહાજોની અવરજવરને લીલી ઝંડી મળી ગઈ હતી.

Join Our WhatsApp Channel

પીએમ મોદીએ નાગરિકોની સુરક્ષા અને ઉર્જા પુરવઠા પર મૂક્યો ભાર

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર આ ચર્ચાની વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, “ઈરાનના રાષ્ટ્રપતિ સાથે આ પ્રદેશની ગંભીર સ્થિતિ પર ચર્ચા થઈ છે. સામાન્ય નાગરિકોના જીવ ગુમાવવા અને સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાન પર અમે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય નાગરિકોની સુરક્ષા તેમજ સામાન અને ઉર્જાનો અવિરત પુરવઠો ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.” ભારતે આ સંકટમાં શાંતિ અને સ્થિરતા માટે સંવાદ અને મુત્સદ્દીગીરીનો આગ્રહ રાખ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Fuel Crisis 2026: ગેસ-તેલની અછતને પહોંચી વળવા સરકારની નવી વ્યૂહરચના; હોટલો-રેસ્ટોરાંમાં વૈકલ્પિક ઈંધણની મંજૂરી, જાણો રેશનિંગમાં કેરોસીનનું શું છે ગણિત.

₹2,300 ને પાર પહોંચેલા ભાવમાં હવે થશે ઘટાડો?

ભારતમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરોનો સપ્લાય 80% જેટલો ઘટી ગયો હતો, જેના કારણે કાળાબજારી વધી હતી અને ભાવ ₹2,300 ને પાર કરી ગયા હતા. આ બે જહાજોના પહોંચવાથી સપ્લાય ચેઈનમાં બફર સ્ટોક વધશે અને સ્થિતિ સામાન્ય થવા તરફ જશે. ઈરાની રાજદૂત મોહમ્મદ ફતાલીએ આ નિર્ણયને ભારત-ઈરાન મિત્રતાનું પ્રમાણ ગણાવ્યું છે. તેમણે સંકેત આપ્યા છે કે હોર્મુઝની પશ્ચિમે ફસાયેલા અન્ય 24 ભારતીય જહાજોને પણ સુરક્ષિત માર્ગ આપવા અંગે સકારાત્મક ચર્ચા ચાલી રહી છે.

સાઉદી અરેબિયાથી આવી રહેલું તેલનું ટેન્કર પણ સુરક્ષિત

એલપીજી જહાજોની સાથે જ સાઉદી અરેબિયાથી કાચું તેલ લઈને આવતું એક મોટું ટેન્કર પણ શનિવારે ભારત પહોંચવાની અપેક્ષા છે. આ જહાજે પણ સફળતાપૂર્વક હોર્મુઝની સામુદ્રધુની પાર કરી લીધી છે. ભારત સરકાર અત્યારે સતત ઈરાન અને અન્ય ખાડી દેશોના સંપર્કમાં છે જેથી ઊર્જા પુરવઠો જોખમાય નહીં. જો આગામી દિવસોમાં બાકીના 22-24 જહાજો પણ સુરક્ષિત બહાર નીકળી જશે, તો ભારતમાં ઈંધણ અને ગેસનું સંકટ સંપૂર્ણપણે દૂર થઈ શકે છે.

 

India’s Indigenous Air Defense ઈઝરાયેલના ‘આયર્ન ડોમ’ જેવું ભારતનું પોતાનું સુરક્ષા કવચ DRDO ના ઇન્ટરસેપ્ટર મિસાઇલ્સનું સફળ પરીક્ષણ.
Nationwide Campaign Against Paper Leaks પેપર લીક અને બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધી મેદાનમાં દેશવ્યાપી આંદોલનની તૈયારી.
IAF Aircraft Crash જોરહાટ એરબેઝ પર દુર્ઘટના, લેન્ડિંગ પછી IAFના વિમાનમાં ભભૂકી આગ, તંત્ર એલર્ટ.
Abhishek Banerjee Residence Raid પશ્ચિમ બંગાળમાં મધ્યરાત્રિએ મોટો રાજકીય ભૂકંપ CPF સાથે અભિષેક બેનર્જીના ઘરે પહોંચી પોલીસ, દરવાજો ન ખોલતા તાળું તોડીને અંદર ઘૂસી
Exit mobile version