Site icon News Continuous Bureau | Mumbai

LPG Supply Crisis: એલપીજી સિલિન્ડર માટે હજુ વર્ષો સુધી જોવી પડશે રાહ? ગેસ પુરવઠાને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી ચિંતાજનક સમાચાર!

LPG Supply Crisis: મધ્ય પૂર્વમાં યુદ્ધ અને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલા અવરોધને કારણે ભારતનો ગેસ પુરવઠો ખોરવાયો, આયાત ખર્ચ વધવાની શક્યતા

LPG Supply Crisis એલપીજી સિલિન્ડર માટે હજુ વર્ષો સુધી જોવી પડશે રાહ? ગેસ પુરવઠાને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી ચિંતાજનક સમાચાર!

LPG Supply Crisis એલપીજી સિલિન્ડર માટે હજુ વર્ષો સુધી જોવી પડશે રાહ? ગેસ પુરવઠાને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી ચિંતાજનક સમાચાર!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

LPG Supply Crisis પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ભારતીય રસોડા સુધી પહોંચી રહી હોય તેમ જણાય છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો છતાં તેલ અને ગેસ પુરવઠાનું સંકટ વધુ ઘેરું બન્યું છે. ભારત તેની જરૂરિયાતનો 60 ટકા જેટલો એલપીજી જથ્થો વિદેશથી આયાત કરે છે અને તે માટે મોટાભાગે મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર છે. હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર અટકવાને કારણે અને ઈરાનઈઝરાયેલ વચ્ચેના તણાવને લીધે ભારતમાં ગેસ પુરવઠા પર માઠી અસર પડી છે.

પુરવઠો પૂર્વવત્ થવામાં ત્રણથી ચાર વર્ષ લાગી શકે છે

એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં ખોરવાયેલો એલપીજી પુરવઠો સામાન્ય થવામાં થોડા મહિના નહીં પણ ત્રણથી ચાર વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે. અધિકારીએ જણાવ્યું કે અત્યારે એ સ્પષ્ટ નથી કે ઉત્પાદન માત્ર થોડા સમય માટે અટક્યું છે કે પછી કાયમી નુકસાન થયું છે. આ પરિસ્થિતિને કારણે ભારત માટે આયાતનું જોખમ અને ખર્ચનું દબાણ બંને વધી શકે છે. યુદ્ધ શરૂ થયા પહેલા ભારતનો લગભગ 90 ટકા પુરવઠો હોર્મુઝની ખાડી મારફતે આવતો હતો, જે હવે જોખમમાં છે.

આયાત ખર્ચ અને વીમાના દરમાં વધારો થતા ભાવ વધવાની ભીતિ

એક અહેવાલ મુજબ, જો ભારત વૈકલ્પિક માર્ગો અને સ્ત્રોતોનો ઉપયોગ કરે તો પણ પુરવઠામાં 40 થી 50 ટકા જેટલી ઘટ રહી શકે છે. માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ઘરેલું સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયા અને વ્યાવસાયિક સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. ભારત મુખ્યત્વે સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, કતાર અને કુવૈત જેવા દેશો પાસેથી ગેસ ખરીદે છે. માલવાહક જહાજોના ભાડા અને વીમાના હપ્તામાં વધારો થવાને કારણે આગામી સમયમાં એલપીજીની કિંમતોમાં હજુ પણ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે.

સરકાર દ્વારા વૈકલ્પિક ખરીદીના માર્ગોની શોધ

સરકાર અત્યારે ઘરેલું એલપીજી પુરવઠો જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ગેસની અછતને પહોંચી વળવા માટે અન્ય દેશો પાસેથી ખરીદી કરવાના વિકલ્પો તપાસવામાં આવી રહ્યા છે. જોકે, કેટલાક મહત્વના સ્ત્રોતો બંધ હોવાને કારણે સ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે. ઈરાનના હુમલાની સૌથી વધુ અસર સંયુક્ત આરબ અમીરાત અને કતારના પુરવઠા પર પડી છે, જે ભારત માટે મુખ્ય નિકાસકારો છે. આ સંકટને કારણે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર વધુ ભાર પડવાની શક્યતા છે.

👉 આ સમાચાર વાચો:
મુંબઈ મેટ્રોના નવા ટાઈમટેબલની જાહેરાત આવતીકાલથી શરૂ થશે લાઇન 9 અને 2B, જાણો ટ્રેનનો સમય અને રૂટની વિગતો

Air Marshal Jitendra Mishra રામ મંદિર ટ્રસ્ટના નવા CEO કોણ છે રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા? જેમણે ‘ઓપરેશન સિંદૂર’માં આતંકીઓના ઉડાડી દીધા હતા પરખચ્ચા
Shakti Sharma Air Vice Marshal ભારતીય વાયુસેનામાં ઐતિહાસિક સિદ્ધિ શક્તિ શર્મા બન્યાં દેશના પ્રથમ મહિલા એર વાઇસ માર્શલ, સંભાળ્યો મહત્વનો હોદ્દો
Ram Mandir First CEO રામ મંદિરને મળ્યા પ્રથમ CEO, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારીઓ
Ram Mandir Trust New Trustees રામ મંદિર ટ્રસ્ટમાં ત્રણ નવા ટ્રસ્ટીઓની વરણી, આ નામો પર લાગી અંતિમ મહોર; જુઓ સંપૂર્ણ વિગત
Exit mobile version