Site icon

Maha Shivratri 2026: કેવી રીતે ઉજવાશે અયોધ્યા રામ મંદિરમાં મહાશિવરાત્રી? મહાકાલની નગરી ઉજ્જૈનથી પહોંચ્યા વિશેષ કલાકારો, જાણો શિવ-પાર્વતી વિવાહનું સંપૂર્ણ આયોજન

Maha Shivratri 2026: કુબેર ટીલા પર કુબેરેશ્વર મહાદેવના વિશેષ પૂજન સાથે પરંપરાગત શિવજીની બારાત કાઢવામાં આવશે.

Maha Shivratri 2026 Grand celebrations at Ayodhya Ram Temple; Rudrabhishek and special Shringar from Ujjain experts.

Maha Shivratri 2026 Grand celebrations at Ayodhya Ram Temple; Rudrabhishek and special Shringar from Ujjain experts.

News Continuous Bureau | Mumbai

અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ ર આ વર્ષે મહાશિવરાત્રીનો પર્વ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવશે. ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહોત્સવના ઉપલક્ષમાં રામ મંદિર પરિસરને દેશ-વિદેશના સુગંધિત ફૂલોથી સજાવવામાં આવશે. રવિવારે આવતી મહાશિવરાત્રીના દિવસે મંદિરના પરકોટામાં આવેલા શિવાલય અને કુબેર નવરત્ન ટીલા પર સ્થિત કુબેરેશ્વર મહાદેવ મંદિરે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે.રામ મંદિર નિર્માણ પ્રભારી ના જણાવ્યા અનુસાર, આ પવિત્ર દિવસે શ્રદ્ધાળુઓ માટે બંને શિવાલયોના દ્વાર ખુલ્લા રાખવામાં આવશે. આ ઉત્સવ દરમિયાન મંદિર નિર્માણ એજન્સીઓના અધિકારીઓ, ટ્રસ્ટના કાર્યકરો અને પૂજારીઓ રુદ્રાભિષેકમાં ભાગ લેશે. મંદિરના પ્રવેશદ્વારોને પણ આધ્યાત્મિક થીમ પર સજાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

Join Our WhatsApp Community

ઉજ્જૈનથી ખાસ કલાકારોને આમંત્રણ

આ વખતે મહાશિવરાત્રી પર ભગવાન ભોલેનાથનો શ્રૃંગાર અત્યંત મનોહર હશે. આ વિશેષ શ્રૃંગાર માટે મહાકાલની નગરી ઉજ્જૈનથી ખાસ કલાકારોને અયોધ્યા બોલાવવામાં આવ્યા છે. મોડી સાંજે ગોધૂલિ વેળાએ ભગવાનનો શ્રૃંગાર કરવામાં આવશે, જેમાં અંદાજે બે કલાકનો સમય લાગશે. શ્રૃંગાર બાદ ભગવાનની ભવ્ય મહાઆરતી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવાહના વિધિઓ સંપન્ન થશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Traffic Alert: મુંબઈગરાઓ સાવધાન: દાદરનો તિલક બ્રિજ આગામી 3 મહિના સુધી ભારે વાહનો માટે બંધ, ટ્રાફિક જામથી બચવા ફોલો કરો આ રૂટ.

નાગેશ્વર નાથ મંદિરથી નીકળશે શિવજીની જાન

મહાશિવરાત્રીના દિવસે અયોધ્યાના પ્રાચીન નાગેશ્વર નાથ મંદિરથી ભગવાન શિવની પરંપરાગત બારાત કાઢવામાં આવશે. આ બારાતમાં વિવિધ લોકનૃત્ય મંડળીઓ અને વાજતે-ગાજતે ભક્તો જોડાશે. નંદી પર સવાર ભગવાન શિવના સ્વરૂપનું દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ યાત્રાઅયોધ્યાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને ભક્તિમય માહોલ ઉભો કરશે.

સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાત્રિ જાગરણ

મહાશિવરાત્રી નિમિત્તે અયોધ્યા આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અંગદ ટીલા પર પાર્થિવ શિવલિંગ નું નિર્માણ કરીને વિશેષ અનુષ્ઠાન કરવામાં આવશે. રાત્રિના સમયે ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રાત્રિ જાગરણ કરવામાં આવશે. ભક્તોને દર્શનમાં કોઈ અડચણ ન આવે તે માટે રામ મંદિરમાં દર્શનનો ક્રમ અવિરત ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Bengaluru Highway Accident: બેંગલુરુમાં ભયાનક રોડ અકસ્માત, કાર-બાઇક-કેન્ટરની ટક્કરમાં 7 લોકોના મોત, ટ્રાફિક જામની સ્થિતિ
AI Summit 2026: ભારત બનશે વિશ્વનું ‘AI હબ’! ભારત મંડપમમાં પિચાઈ અને ઓલ્ટમેન સાથે PM મોદીની ખાસ બેઠક, જાણો કેવી રીતે બદલાશે આપણી દુનિયા.
PMO New Office: સાઉથ બ્લોકનો યુગ પૂર્ણ, હવે ‘સેવા તીર્થ’ થી લખાશે નવા ભારતનો ઇતિહાસ! પીએમ મોદીના નવા ઓફિસની 5 મોટી ખાસિયતો જાણો.
S-400 Missile Deal: ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રે લીધો મોટો નિર્ણય: રશિયા પાસેથી 288 નવી મિસાઇલો ખરીદવા માટે આપી મંજૂરી
Exit mobile version