Site icon News Continuous Bureau | Mumbai

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસે 28 વર્ષ પછી રામલાલાની મુલાકાત લીધી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

26 મે 2020

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે 67.7 એકરમાં જમીન સમતળ કરવામાં આવી રહી છે. દરમિયાન, સોમવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ અને મણિરામદાસ છાવણીના મહંત નૃત્ય ગોપાલદાસ સવારે 10 વાગ્યે અચાનક રામલલાની પૂજા-અર્ચનામા પહોંચી ગયા હતાં.

મહંત નૃત્ય ગોપાલ દાસે સોમવારે રામલાલાને જોવા અચાનક પહોંચી જતાં શિષ્યો અને ત્યાંના પુજારી પણ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિવાદાસ્પદ માળખાને તોડી પાડ્યા બાદ તે પ્રથમ વખત રામલાલાના કેમ્પસ પહોંચ્યાં હતા. 

અરે, જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હંગામી મંદિરમાં રામલાલા સ્થળાંતર દરમિયાન હાજર રહયા હતા ત્યારે પણ તેઓ ગેરહાજર રહ્યા હતા અને કોર્ટના આદેશ બાદ, ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિમણૂક થયા પછી પણ મહંત નૃત્ય ગોપાલદાસ હજી સુધી રામલાલાની મુલાકાતે આવ્યા ન હતા.

VHPના મીડિયા પ્રભારીના જણાવ્યું મુજબ "રવિવારે તેઓ મહંત નૃત્ય ગોપાલદાસ પાસે આશીર્વાદ લેવા તેમના આશ્રમમાં ગયા હતા. તે જ સમયે તેમણે મહંતને રામલાલાની મુલાકાત લેવા અને કેમ્પસમાં ટ્રસ્ટ દ્વારા થતાં સ્તરીકરણ અને અન્ય કામોનું નિરીક્ષણ કરવાની વિનંતી કરી હતી . તેમણે મહંતજીને કહ્યું કે ટ્રસ્ટના અધ્યક્ષ હોવાથી તે તેમની જવાબદારી છે. અને આમ નૃત્ય ગોપાલ દાસજી રામલાલાને જોવા પહોંચી ગયા હતાં..

PM Modi Central Asia Visit વૈશ્વિક મંચ પર ભારતનું નેતૃત્વ પીએમ મોદીનો ૪ દિવસીય મધ્ય એશિયા પ્રવાસ, SCO સમિટ પર આખી દુનિયાની નજર
Operation Sindoor Aftermath ઓપરેશન સિંદૂરની ધાક બોખલાયેલા પાકિસ્તાને ભારત વિરુદ્ધ આ દેશ સાથે હાથ મિલાવ્યા, ગુપ્તચર એજન્સીઓ એલર્ટ
Special Parliament Session Delimitation મહિલા ક્વોટા અને સીમાંકન પર સરકારનો માસ્ટર પ્લાન સપ્ટેમ્બરમાં સંસદનું ખાસ સત્ર મળવાની શક્યતા, આ ‘પરીક્ષા’ બનશે નિર્ણાયક
Hindu Kush Himalaya Warning ૫ મહિના પહેલાં મળેલી ચેતવણી સાચી પડી નેપાળમાં ભયાનક કુદરતી હોનારત, ભારતની ચિંતામાં મોટો વધારો
Exit mobile version