Site icon News Continuous Bureau | Mumbai

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસે 28 વર્ષ પછી રામલાલાની મુલાકાત લીધી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

26 મે 2020

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે 67.7 એકરમાં જમીન સમતળ કરવામાં આવી રહી છે. દરમિયાન, સોમવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ અને મણિરામદાસ છાવણીના મહંત નૃત્ય ગોપાલદાસ સવારે 10 વાગ્યે અચાનક રામલલાની પૂજા-અર્ચનામા પહોંચી ગયા હતાં.

મહંત નૃત્ય ગોપાલ દાસે સોમવારે રામલાલાને જોવા અચાનક પહોંચી જતાં શિષ્યો અને ત્યાંના પુજારી પણ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિવાદાસ્પદ માળખાને તોડી પાડ્યા બાદ તે પ્રથમ વખત રામલાલાના કેમ્પસ પહોંચ્યાં હતા. 

અરે, જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હંગામી મંદિરમાં રામલાલા સ્થળાંતર દરમિયાન હાજર રહયા હતા ત્યારે પણ તેઓ ગેરહાજર રહ્યા હતા અને કોર્ટના આદેશ બાદ, ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિમણૂક થયા પછી પણ મહંત નૃત્ય ગોપાલદાસ હજી સુધી રામલાલાની મુલાકાતે આવ્યા ન હતા.

VHPના મીડિયા પ્રભારીના જણાવ્યું મુજબ "રવિવારે તેઓ મહંત નૃત્ય ગોપાલદાસ પાસે આશીર્વાદ લેવા તેમના આશ્રમમાં ગયા હતા. તે જ સમયે તેમણે મહંતને રામલાલાની મુલાકાત લેવા અને કેમ્પસમાં ટ્રસ્ટ દ્વારા થતાં સ્તરીકરણ અને અન્ય કામોનું નિરીક્ષણ કરવાની વિનંતી કરી હતી . તેમણે મહંતજીને કહ્યું કે ટ્રસ્ટના અધ્યક્ષ હોવાથી તે તેમની જવાબદારી છે. અને આમ નૃત્ય ગોપાલ દાસજી રામલાલાને જોવા પહોંચી ગયા હતાં..

Mahakal Mandir Viral Ring Ceremony| બાબા મહાકાલના દરબારમાં નિયમોના ધજાગરા ગર્ભગૃહ પાસે કપલે એકબીજાને પહેરાવી વીંટી; સિક્યોરિટી એજન્સીને ફટકારાયો મોટો દંડ!
Tiffany Trump Akshardham Temple Delhi।ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી પર ચઢ્યો ભારતીય સંસ્કૃતિનો રંગ પતિ સાથે પહોંચી અક્ષરધામ મંદિર, ભવ્યતા જોઈ કહી દીધી આ મોટી વાત!
Bank Holidays June 2026 List। જૂન મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓનો ભડાકો, શનિવારરવિવાર સહિત આટલા દિવસો સામેલ
India Secret Plan Strait of Hormuz| હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતે એક્ટિવ કર્યો ‘સીક્રેટ પ્લાન’! ખાડી દેશોમાં ફસાયેલા ૧૩ ભારતીય જહાજોને બહાર કાઢવા મોટું ઓપરેશન
Exit mobile version