Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Farmer Loan Waiver 2026: મહારાષ્ટ્રમાં દેવામાફીની તૈયારી? સરકારે મંગાવી ખેડૂતોની વિગતો, બજેટ સત્રમાં થઈ શકે છે મોટી ઘોષણા

નાસિક જિલ્લા બેંકે ૭૪,૦૦૦ ખેડૂતોની માહિતી પોર્ટલ પર અપલોડ કરી; મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ૬ માર્ચે રજૂ કરશે રાજ્યનું બજેટ.

Maharashtra Farmer Loan Waiver 2026 મહારાષ્ટ્રમાં દેવામાફીની તૈયારી સરકારે મંગાવી

Maharashtra Farmer Loan Waiver 2026 મહારાષ્ટ્રમાં દેવામાફીની તૈયારી સરકારે મંગાવી

News Continuous Bureau | Mumbai
Maharashtra Farmer Loan Waiver 2026 મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર ખેડૂતોના હિતમાં એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. રાજ્યની તમામ બેંકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ દેવાદાર ખેડૂતોની સંપૂર્ણ માહિતી સરકાર દ્વારા ગઠિત ‘શિંદે સમિતિ’ને મોકલે. આ કવાયત પરથી એવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે કે ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થતા અંદાજપત્રીય સત્રમાંસરકાર ખેડૂતો માટે દેવામાફીની જાહેરાત કરી શકે છે.નાસિક જિલ્લા બેંકના મુખ્ય કાર્યકારી અધિકારી અરવિંદ શિંદેએ માહિતી આપી છે કે, ૩૦ જૂન ૨૦૨૫ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીના સમયગાળામાં જે ખેડૂતોનું દેવું બાકી છે તેમની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૭૪,૦૦૦ ખેડૂતોની માહિતી રાજ્ય સરકારના પોર્ટલ પર અપલોડ પણ કરી દેવામાં આવી છે.

૨૩ ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ

મહારાષ્ટ્ર વિધાનમંડળનું અંદાજપત્રીય સત્ર ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થશે અને ૨૫ માર્ચ સુધી ચાલશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી અજીત પવારના અકાળે અવસાન બાદ, આ વખતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ૬ માર્ચના રોજ રાજ્યનું બજેટ રજૂ કરશે. આ બજેટમાં ખેડૂતો માટે મોટી રાહત યોજનાઓની જાહેરાત થવાની પૂરેપૂરી સંભાવના છે.

Join Our WhatsApp Channel

ડેટા કલેક્શનની પ્રક્રિયા તેજ બની

સરકારની સમિતિ દ્વારા જિલ્લાની સહકારી મંડળીઓ, સચિવો અને બેંકના શાખા અધિકારીઓ મારફતે ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. સહ-નિબંધક અને નિબંધક કચેરીના અધિકારીઓ પણ આ પ્રક્રિયામાં સહકાર આપી રહ્યા છે. આ ડેટાના આધારે સરકાર નક્કી કરશે કે કેટલા ખેડૂતોને કેટલી રકમની દેવામાફીનો લાભ મળી શકે તેમ છે.

આ સમાચાર પણ વાંચો : RPF LTT Life Saving Act: LTT ખાતે RPF જવાનોની દેવદૂત બનીને એન્ટ્રી: રક્સોલ એક્સપ્રેસમાં મુસાફરનો જીવ બચાવ્યો, ‘ઓપરેશન યાત્રી સુરક્ષા’ હેઠળ પ્રશંસનીય કામગીરી.

ખેડૂતોમાં આશાનું કિરણ

છેલ્લા કેટલાક સમયથી ખેતીમાં નુકસાન અને દેવાના બોજ હેઠળ દબાયેલા મહારાષ્ટ્રના ખેડૂતો લાંબા સમયથી દેવામાફીની માંગ કરી રહ્યા છે. બજેટ સત્રના પહેલા જ દિવસે શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ કામકાજ શરૂ થશે. જો ૬ માર્ચે દેવામાફીની જાહેરાત થાય છે, તો તે રાજ્યના લાખો ખેડૂતો માટે ‘ગોડ ન્યૂઝ’ સાબિત થશે.

Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Exit mobile version