Site icon News Continuous Bureau | Mumbai

DGCAનો મોટો આદેશ, ફ્લાઇટ ટેકઓફ પહેલા દરરોજ પાયલટ અને એર હોસ્ટેસનો થશે આ ટેસ્ટ; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

કોરોનાના કારણે અંદાજીત બે વર્ષ સુધી બંધ રહ્યા બાદ આ અઠવાડિયે ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ છે.

આ સાથે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ(DGCA)એ કેબિન ક્રૂ સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. 

નવા નિયમો અનુસાર, ફ્લાઈટ શરૂ કરાય એ પહેલાં 50 ટકા પાઈલટો અને કેબિન ક્રૂ સભ્યોની ઓચિંતી પ્રી-ફ્લાઈટ આલ્કોહોલ ટેસ્ટ લેવામાં આવશે. 

આ ઉપરાંત ગ્રાઉન્ડ હેન્ડલર્સ, એર ટ્રાફિક કન્ટ્રોલર્સ તથા અન્ય એરપોર્ટ કર્મચારીગણમાં 10 ટકા સભ્યોને નવા ટેસ્ટ-નિયમમાં આવરી લેવામાં આવશે.

ડીજીસીએ ડાયરેક્ટર જનરલ અરૂણ કુમારે કહ્યું છે કે અમે પરિસ્થિતિ પૂર્વવત્ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ અને વિમાન ઉડ્ડયનની કામગીરી સુરક્ષિત બની રહે એ માટે નિયમોને ફરી કડક બનાવી રહ્યાં છીએ. 

ઉલ્લેખનીય છે જ અત્યાર સુધી આ નિયમ 25 ટકા પાઈલટો અને કેબિન ક્રૂ સભ્યોનો હતો.

આ સમાચાર પણ વાંચો : કોર્ટ રૂમો ફરી વકીલોની દલીલોથી ગાજશે, સુપ્રીમના સંકુલમાં આ તારીખથી શરૂ થશે ફિઝિકલ સુનાવણી; જાણો વિગતે

PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Exit mobile version