Site icon

 મમતા બેનરજી મુખ્યમંત્રી બન્યા પછી પીએમ મોદીને પહેલી વખત મળ્યા, લગભગ 40 મિનિટ સુધી ચાલી બેઠક ; આ મુદ્દા પર થઈ ચર્ચા

પશ્ચિમ બંગાળમાં સીએમનું પદ સંભાળ્યા પછી મમતા બેનરજીએ પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. 

બન્ને નેતાઓ વચ્ચે લગભગ 40 મિનિટ સુધી ચાલેલી બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે મેં કોરોના પર પીએમ મોદી સાથે વાત કરી. વધુ રસી અને દવાઓ આપવાનું જણાવ્યું હતું.

Join Our WhatsApp Community

વસ્તીની દ્રષ્ટિએ, બંગાળને બાકીના રાજ્યો કરતા ઓછી રસી મળી છે. ત્રીજી લહેર પહેલાં દરેકને રસી આપવાની જરૂર છે.

આ પહેલા મમતા બેનરજીએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે પણ ટીએમસી પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. 

આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર નેતા આનંદ શર્માએ પણ મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે બંગાળના સીએમ મમતા બેનર્જી પાંચ દિવસીય દિલ્હી પ્રવાસ પર છે. માનવામાં આવે છે કે મમતા બેનર્જી તેમની પાંચ દિવસીય દિલ્હીની મુલાકાત દરમિયાન વિપક્ષોને એક કરવા પ્રયાસ કરશે.

સદ્દામ હુસેનને ઉખેડી ફેંક્યા બાદ 18 વર્ષે અમેરિકાએ ઈરાક સાથે મિલાવ્યો હાથ, આ સમજૂતી કરાર પર બંને દેશના નેતાઓએ કર્યા હસ્તાક્ષર ;  જાણો વિગતે
 

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version