Site icon News Continuous Bureau | Mumbai

ગજબ કહેવાય – હર ઘર તિરંગા થીમ માટે યુવકે અધધ આટલા લાખના ખર્ચે કારને તિરંગાથી રંગી- PM ને મળવા કાર લઈને પહોંચ્યો દિલ્હી- જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

ભારત આજે આઝાદીના(Independence) 75 વર્ષ પૂરા ઉલ્હાસ સાથે ઉજવી રહ્યું છે, આખો દેશઆ સ્વતંત્રતા(Independence day)ના રંગમાં રંગાઈ ગયો છે. ચારે બાજુ ઉત્સાહનો માહોલ છે. કાશ્મીર(Kashmir)થી લઈને કન્યાકુમારી(Kanyakumari) સુધી ‘હર ઘર તિરંગા અભિયાન’ (Har Ghar Tiranga Abhiyan) પુરજોશમાં ચાલી રહ્યું છે. આઝાદીના આ મહાન પર્વમાં દરેક દેશવાસીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, ભારત સરકાર(Indian Govt) દ્વારા ચલાવવામાં આવી રહેલી આ પહેલ અંગે જાગૃતિ ફેલાવવા માટે ગુજરાતના(Gujarat) એક યુવકે પોતાની કારને 2 લાખના ખર્ચે તિરંગાની થીમમાં(tricolor theme) રંગી નાંખી. એટલુ જ નહિ, આ કાર લઈને તે દિલ્હી પહોંચ્યો છે. 

Join Our WhatsApp Community

 

મીડિયા રિપોર્ટ મુજબ આ યુવકનું નામ સિદ્ધાર્થ દોશી(Siddharth Doshi) જણાવવામાં આવી રહ્યું છે, જે ગુજરાતના સુરતનો(Surat) રહેવાસી છે. ગુજરાતથી દિલ્હી આવેલા સિદ્ધાર્થ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને(PM Narendra Modi and Home Minister Amit Shah) મળવા માંગે છે. આ માટે તે જાતે કાર ચલાવીને સુરતથી દિલ્હી પહોંચ્યો છે. ત્યારે દિલ્હીમાં પહોંચેલી દેશભક્તિની ગાડી(patriotic car)  દિલ્હીવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  આઝાદીના 75 વર્ષની ધામધૂમથી ઉજવણી- મુંબઈને પાણી પુરવઠો કરનારા આ બંધને ત્રિરંગી લાઈટિંગથી શણગારવામાં આવ્યો- જુઓ નયનરમ્ય દ્રશ્યો

નોંધનીય છે કે આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mohotsav) કાર્યક્રમ અંતર્ગત દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અભિયાન હેઠળ મોદી સરકારે દેશવાસીઓને તેમના ઘરે ત્રિરંગો ફરકાવવાનું આહ્વાન કર્યું હતું.

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version