Site icon

Manipur Violence: 12 આતંકવાદી બંકરો નષ્ટ, 135 લોકોની ધરપકડ; મણિપુરમાં શું થઈ રહ્યું છે?

Manipur Violence: મણિપુર બે મહિનાથી સળગી રહ્યું છે; હિલચાલ વધી, 135 લોકોની ધરપકડ, વાંચો ખરેખર શું થઈ રહ્યું છે...

Manipur Violence: 12 terrorist bunkers destroyed, 135 people arrested;

Manipur Violence: 12 terrorist bunkers destroyed, 135 people arrested;

News Continuous Bureau | Mumbai

Manipur Violence: મણિપુર (Manipur) માં છેલ્લા બે મહિનાથી હિંસા ચાલી રહી છે. હવે પોલીસ (Police) અને સુરક્ષા દળો એક્શન (Security Forces Action) મોડમાં છે. છેલ્લા 24 કલાકમાં મણિપુરમાં મોટી કાર્યવાહી થઈ છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓ દ્વારા બનાવવામાં આવેલા 12 બંકરોને નષ્ટ કરી દીધા છે. તેમજ પોલીસે 135 લોકોની ધરપકડ કરી છે. મણિપુર પોલીસે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે.

Join Our WhatsApp Community

પોલીસ નિવેદન વિશે શું?

રાજ્ય પોલીસ (State Police) અને કેન્દ્રીય સુરક્ષા દળો (Central Security Forces) એ તામેંગલોંગ, ઇમ્ફાલ પૂર્વ, બિષ્ણુપુર, કાંગપોકપી, ચુરાચંદપુર અને કાકચિંગ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં આતંકીઓના 12 બંકરો (12 Bunker) નષ્ટ કરવામાં આવ્યા છે.

સુરક્ષા દળોના સર્ચ ઓપરેશન દરમિયાન, પોલીસને સાહુમફાઈ ગામમાં ડાંગરના ખેતરમાંથી ત્રણ 51mm મોર્ટાર શેલ (51 mm mortar shell), ત્રણ 84mm મોર્ટાર અને એક IED પણ મળી આવ્યો હતો. બોમ્બ સ્ક્વોડ દ્વારા આઈઈડી (IED) નો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 1,100 હથિયારો, 13,702 રાઉન્ડ દારૂગોળો અને 250 વિવિધ પ્રકારના બોમ્બ જપ્ત કરવામાં આવ્યા છે. મણિપુર સળગી રહ્યું છે. કર્ફ્યુનું ઉલ્લંઘન, ચોરી અને આગચંપી કરવા બદલ પોલીસે 135 લોકોની ધરપકડ કરી છે.

આ સમાચાર પણ વાંચો: ભારતીય બ્રાન્ડ્સે દેશના વેરેબલ માર્કેટનો 75% હિસ્સો કબજે કર્યો, ચીન જોતું રહી ગયું

મણિપુરમાં હાલની સ્થિતિ શું છે?

મણિપુરમાં હાલ તણાવભરી સ્થિતિ છે. પરંતુ કેટલીક જગ્યાએ સ્થિતિ નિયંત્રણમાં છે. મણિપુરમાં હિંસાની કેટલીક ઘટનાઓ બની છે. પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ સામાન્ય છે.
બે મહિના થયા છે અને મણિપુર સળગી રહ્યું છે. હિંસા અટકતી નથી. આ હિંસામાં અત્યાર સુધીમાં 120 લોકોએ જીવ ગુમાવ્યા છે. 3 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.
મણિપુરમાં હાલની સ્થિતિને જોતા પોલીસે લોકોને અપીલ કરી છે. જો કોઇ અફવા જણાય તો કંટ્રોલરૂમને જાણ કરવા પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે 9233522822 નંબર પર ફોન કરીને માહિતી આપવા અપીલ કરી છે. પોલીસે કોઈપણ હથિયાર, દારૂગોળો અને વિસ્ફોટકો પોલીસ અને સુરક્ષા દળો પાસે જમા કરવાનો આદેશ પણ આપ્યો છે. મણિપુરમાં સંવેદનશીલ વિસ્તારોની પોલીસ દ્વારા વિશેષ કાળજી લેવામાં આવે રહી છે.
મણિપુરની સ્થિતિને જોતા મણિપુરમાં મોટી ટુકડી તૈનાત કરવામાં આવી છે. મણિપુરમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોની 84 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. આસામ રાઈફલ્સ (Assam Rifles) ના 10 હજારથી વધુ જવાન પણ મણિપુરમાં તૈનાત છે.

Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
5kg LPG FTL Cylinder Rules 2026: મજૂરોને હવે રાંધણ ગેસ માટે નહીં ખાવા પડે ધક્કા! 5 કિલોના સિલિન્ડરના વિતરણ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન’
Exit mobile version