Site icon News Continuous Bureau | Mumbai

Manmohan Singh Funeral: અલવિદા મનમોહન સિંહ! પંચમહાભૂતમાં વિલીન ભારતીય અર્થવ્યવસ્થાના ‘ભીષ્મ પિતામહ’, રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

Manmohan Singh Funeral: પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોન સિંહ પંચતત્વમાં ભળી ગયા છે. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગુરુવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં તેમનું નિધન થયું હતું. 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહેલા ડૉ.મનમોહન સિંહ 92 વર્ષના હતા.

Manmohan Singh Funeral Former PM laid to rest with full state honours, nation bids adieu

Manmohan Singh Funeral Former PM laid to rest with full state honours, nation bids adieu

News Continuous Bureau | Mumbai

Manmohan Singh Funeral:પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પંચમહાભૂતમાં વિલીન થયા છે. રાજકીય સન્માન સાથે નિગમબોધ ઘાટ પર શીખ પરંપરા અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ વિધિ સમયે તેમને વાદળી પાઘડી પણ પહેરાવવામાં આવી હતી.ત્રણેય સેનાઓએ મનમોહન સિંહના પાર્થિવ દેહને સલામી આપી હતી.  

Join Our WhatsApp Channel

 Manmohan Singh Funeral: અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ડૉ. સિંહના પાર્થિવ દેહને લઈને નીકળેલી અંતિમ યાત્રા લગભગ 11.30 વાગ્યે સ્મશાનગૃહમાં પહોંચી હતી. જ્યાં તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું અને વડાપ્રધાન, રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ આપી હતી. 

આ સમાચાર પણ વાંચો :  Manmohan Singh Memorial:વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, બનશે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું સ્મારક; કોંગ્રેસ હવે આ મુદ્દે નારાજ!

Manmohan Singh Funeral:પાર્થિવદેહને સવારે 9:30 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો  

મનમોહનના પાર્થિવદેહને તેમના નિવાસ સ્થાનેથી સવારે 9:30 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો હતો. અહીં ડૉ.સિંહની પત્ની ગુરશરણ કૌર અને દીકરી દમન સિંહે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધી, સોનિયા અને પ્રિયંકા ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓએ મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Rahul Gandhi Reacts To Dharmendra Pradhan’s Resignation ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું ‘આ સરકારને હટાવવાનો સમય…’
Exit mobile version