Site icon

Mark Zuckerberg : માર્ક ઝુકરબર્ગના આ એક નિવેદન પર હોબાળો, ભારત સરકારે ‘મેટાને ફટકારી નોટિસ, આ તારીખ સુધી હાજર થવાનો આદેશ; કરી માફીની માંગ…

Mark Zuckerberg : ભારત સરકારે માર્ક ઝુકરબર્ગની ટિપ્પણી અંગે નોટિસ મોકલી છે. આ સમન્સ તેમને તે નિવેદન અંગે મોકલવામાં આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે કોવિડ પ્રત્યે ધીમા પ્રતિભાવને કારણે મોદી સરકાર હારી ગઈ. આ સંદર્ભમાં, ભાજપના સાંસદ અને કોમ્યુનિકેશન-ઇન્ફોર્મેશન ટેકનોલોજી પરની સ્થાયી સમિતિના અધ્યક્ષ, નિશિકાંત દુબેએ મેટા સીઈઓના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

Mark Zuckerberg Parliamentary panel to summon Meta over Mark Zuckerberg's remark on India polls

Mark Zuckerberg Parliamentary panel to summon Meta over Mark Zuckerberg's remark on India polls

  News Continuous Bureau | Mumbai

Mark Zuckerberg : ભારતની ચૂંટણીઓ પર માર્ક ઝુકરબર્ગની ટિપ્પણીઓને કારણે મેટા મુશ્કેલીમાં મુકાઈ ગયું  છે. હવે સંસદીય પેનલે કંપની વિરુદ્ધ સમન્સ જારી કર્યું છે. ભાજપના સાંસદ અને સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ કહ્યું કે મેટાએ ખોટી માહિતી ફેલાવવા બદલ માફી માંગવી જોઈએ. મેટા કંપનીને સમન્સ પાઠવવાના અહેવાલ એવા સમયે આવ્યા છે જ્યારે એક દિવસ પહેલા જ, સોમવારે, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ પર વળતો પ્રહાર કર્યો હતો.

Join Our WhatsApp Community

Mark Zuckerberg : 2024 માં ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો 

વાસ્તવમાં, ઝુકરબર્ગે દાવો કર્યો હતો કે કોવિડ-19 રોગચાળા પછી, ભારત સહિત મોટાભાગના દેશોની વર્તમાન સરકારોને 2024 માં ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે તેમનું નિવેદન ખોટું છે.

Mark Zuckerberg : મેટાના સીઈઓના નિવેદનથી દેશની છબી ખરાબ થઈ

ભાજપના સાંસદ અને સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ કહ્યું કે મેટાએ ખોટી માહિતી ફેલાવવા બદલ માફી માંગવી જોઈએ. આ ખોટી માહિતી માટે સમિતિએ મેટાને સમન્સ પાઠવ્યું છે. સંસદીય સમિતિના અધ્યક્ષે કહ્યું કે કોઈપણ લોકશાહી દેશમાં ખોટી માહિતી દેશની છબીને ખરડાય છે. આ ભૂલ માટે મેટાએ ભારતીય સંસદ અને અહીંના લોકો પાસે માફી માંગવી પડશે. તમને જણાવી દઈએ કે સમિતિએ માર્કને 20 થી 24 જાન્યુઆરીની વચ્ચે તેની સમક્ષ હાજર થવા અને પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : INDIA alliance: તૂટી ગયું INDIA ગઠબંધન?? શરદ પવારે કરી દીધી આ મોટી જાહેરાત, દિલ્હી ચૂંટણીને લઇને કોંગ્રેસની વધારી મુશ્કેલી..

Mark Zuckerberg : શું છે આખો મામલો

મળતી માહિતી મુજબ, મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે કોવિડ-૧૯ મહામારી પછી વિશ્વભરની સરકારો પર લોકોનો વિશ્વાસ ઘટી ગયો છે. તેમણે કહ્યું હતું કે લોકોના આ અસંતોષને કારણે, સમગ્ર વિશ્વમાં ચૂંટણી પરિણામો પ્રભાવિત થયા. માર્કે પોતાના નિવેદનોમાં એમ પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ભારતમાં પણ હારી ગઈ.

E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Indian cotton market:સરકારની ખરીદી અને ખોળની તેજીથી રૂના બજારમાં તેજીનો માહોલ
Relief Amid Oil Crisis: મોદી મેજિક? તેલના કકળાટ વચ્ચે ખાડી દેશો ભારતની વહારે! UAE-સાઉદીથી તેલના જહાજો રવાના; જાણો શું છે સરકારનો માસ્ટરપ્લાન.
LPG Booking Update: BPCL નો નવો આદેશ! ૧૨ સિલિન્ડરનો ક્વોટા પૂરો થયા બાદ ગેસ મેળવવા આપવી પડશે આ વધારાની વિગત; જાણો હવે કેવી રીતે થશે બુકિંગ.
Exit mobile version