Site icon News Continuous Bureau | Mumbai

Mathura-Vrindavan Flood: શું તમે મથુરા-વૃંદાવન જવાનું વિચારી રહ્યા છો? તો પ્લાનીંગ કરતા પહેલા જાણો શું છે.. મથુરા વૃંદાવનની હાલ સ્થિતિ..

Mathura-Vrindavan Flood: ભારતના પ્રાચીન પવિત્ર શહેરો વૃંદાવન અને મથુરાના ઘણા ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી યમુના નદીમાં પૂર આવ્યું છે, કારણ કે ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે તેના કાંઠા તોડી નાખવામાં આવ્યા હતા

Mathura-Vrindavan Flood: Are you planning to go to Mathura-Vrindavan? see flood situation

Mathura-Vrindavan Flood: Are you planning to go to Mathura-Vrindavan? see flood situation

News Continuous Bureau | Mumbai 

Mathura-Vrindavan Flood: ભારત (India) ના પ્રાચીન પવિત્ર શહેરો વૃંદાવન (Vrindavan) અને મથુરા (Mathura) ના ઘણા ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી યમુના નદી (Yamuna River) માં પૂર આવ્યું છે, કારણ કે ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે તેના કાંઠા તુટી પડતા. ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં નદીના ભાગમાં, જ્યાં શહેરો આવેલા છે, ત્યાં 166.68 મીટરનું પાણીનું સ્તર નોંધાયું હતું – સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ‘ડેન્જર લેવલ’ (Danger Level) 166 મીટર છે.

Join Our WhatsApp Community

મથુરાના એડીએમ ફાયનાન્સ એન્ડ રેવન્યુ (ADM Finance and Revenue) બ્રજેશ કુમારે કહ્યું કે યમુનાનું જળ સ્તર ચેતવણીના સ્તરે પહોંચ્યું નથી. અમે ઓખલામાંથી છોડવામાં આવતા પાણી પર સતત નજર રાખી રહ્યા છીએ. સિંચાઈ વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશના 13 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. હરિયાણાના હથિનીકુંજ અને દિલ્હીના ઓખલા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ મથુરામાં યમુનામાં વધારો થયો છે. શ્રી કૃષ્ણ નગરીમાં યમુનાના જળસ્તરમાં વધારો થવાને કારણે પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Vijay Sethupathi : ‘જવાન’ના ખતરનાક વિલન નો ફર્સ્ટ લૂક થયો રિલીઝ, શાહરૂખ ખાન માટે મોતનો સોદાગર બની ને આવ્યો વિજય સેતુપતિ

યમુનાનું પાણી રસ્તાઓ અને ઘરોમાં ઘૂસ્યું….

સ્થિતિ એટલી ખરાબ છે કે પાણી ભરાવાને કારણે યમુનાને અડીને આવેલા બજારો બંધ કરવા પડ્યા છે. મથુરાના વિશ્રામ ઘાટની હાલત જોવા જેવી છે. મંદિરમાં ઘૂંટણ સુધી પાણી આવી ગયું છે. મથુરાની સાથે વૃંદાવનના રહેવાસીઓ પણ પૂરથી પરેશાન છે. ખાસ કરીને યમુના કિનારે રહેતા લોકોને પાણી ભરાવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જો તમે મથુરા અને વૃંદાવન જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જણાવી દઈએ કે વૃંદાવનનો પરિક્રમા માર્ગ પણ પાણીથી ભરેલો છે. પૂરના કિસ્સામાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4-4 દિવસ સુધી અહીં વરસાદની સંભાવના છે.

Pawan Khera: કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત કે આફત? સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો
ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.
Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Exit mobile version