Site icon News Continuous Bureau | Mumbai

Gujarat Rain: ગુજરાતમાં મેઘતાંડવ!! વરસાદ-પૂરની આફત મુદ્દે મોદી સરકારનો મોટો નિર્ણય..

Gujarat Rain: ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે MHAએ આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમ (IMCT)ની રચના કરી. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર NIDM ની આગેવાની હેઠળ IMCT ટૂંક સમયમાં ગુજરાતના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત રાજ્યોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ઓગસ્ટ 2019માં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણય મુજબ, MHA અસરગ્રસ્ત રાજ્યોના મેમોરેન્ડમની રાહ જોયા વિના, નુકસાનની સ્થળ પર જ આકારણી કરવા માટે અગાઉથી IMCTની રચના કરે છે. આ વર્ષ દરમિયાન, IMCT એ તેમના મેમોરેન્ડમની રાહ જોયા વિના, નુકસાનના સ્થળ પર આકારણી માટે આસામ, કેરળ, મિઝોરમ અને ત્રિપુરાના પૂર/ભૂસ્ખલનથી પ્રભાવિત રાજ્યોની અગાઉથી મુલાકાત લીધી છે

Meghtandav in Gujarat!! Modi government's big decision on the issue of rain-flood disaster..

Meghtandav in Gujarat!! Modi government's big decision on the issue of rain-flood disaster..

News Continuous Bureau | Mumbai

Gujarat Rain: ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને ( Gujarat Flood ) કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ( NIDM )ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની આગેવાની હેઠળ એક ઇન્ટર-મિનિસ્ટિરિયલ સેન્ટ્રલ ટીમ (IMCT )ની રચના કરી છે. આઇએમસીટી ટૂંક સમયમાં જ રાજ્યનાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે.  

Join Our WhatsApp Channel

25-30 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન અને ગુજરાત પર સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત ( Gujarat  ) રાજ્યને ભારેથી અતિભારે વરસાદની ગંભીર અસર થઈ હતી. મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં પણ ભારેથી અતિભારે વરસાદની અસર થઈ હતી. વર્ષ દરમિયાન, હિમાચલ પ્રદેશ રાજ્ય પણ ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનના વિવિધ ઝાપટાથી પ્રભાવિત થયું છે. ગૃહ મંત્રાલય ( Home Ministry ) આ રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપર્કમાં છે, અને જો તેઓ દ્વારા ગંભીર નુકસાનની જાણ કરવામાં આવે તો તેઓ ત્યાં પણ આઇએમસીટીની નિયુક્તિ કરશે. વર્તમાન ચોમાસાની ઋતુ દરમિયાન, કેટલાક અન્ય રાજ્યો ભારે વરસાદ, પૂર, વાદળ ફાટવા, ભૂસ્ખલન વગેરેથી પ્રભાવિત થયા છે.

આ સમાચાર પણ વાંચો  :  Israel Hamas War: લાંબા સમયથી ચાલુ ઈઝરાયેલ હમાસ યુદ્ધ ત્રણ દિવસ માટે રોકવામાં આવ્યું; આ કારણે બંને દેશો યુદ્ધવિરામ માટે થયા સંમત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ( central government ) અસરગ્રસ્ત રાજ્યોને શક્ય તમામ મદદ કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આ વર્ષ દરમિયાન ઓગસ્ટ, 2019માં લીધેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય મુજબ ગૃહ મંત્રાલયે આઇએએમસીટીની રચના કરી છે, જે પૂર/ભૂસ્ખલનથી અસરગ્રસ્ત રાજ્યો આસામ, કેરળ, મિઝોરમ અને ત્રિપુરાની અગાઉથી મુલાકાત લીધી છે, જેથી તેમનાં મેમોરેન્ડમની રાહ જોયા વિના નુકસાનની સ્થળ પર આકારણી કરી શકાય. નાગાલેન્ડ રાજ્ય માટે આઇએમસીટીની પણ રચના કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં જ રાજ્યનાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.

ભૂતકાળમાં, આઇએમસીટી રાજ્ય સરકાર ( Gujarat Government ) તરફથી મેમોરેન્ડમ મળ્યા પછી જ આપત્તિગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેતું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Devendra Fadnavis On Marathi Hindi મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું માતૃભાષા સર્વોપરી છે, પણ રાષ્ટ્રભાષા સાથે કોઈ સંઘર્ષ નથી
Disha Salian Case CBI FIR દિશા સાલિયાન કેસમાં CBIની મોટી કાર્યવાહી! નોંધાઈ FIR, ઉદ્ધવઆદિત્ય ઠાકરે અને આ બોલિવૂડ કલાકારોના નામ સામેલ
Vivek Express Longest Train Journey ૮ રાજ્યો, ૪૨૦૦ કિલોમીટરની ઐતિહાસિક સફર ભારતની વિવિધતા અને વિશાળતા જોવી હોય તો કરો ‘વિવેક એક્સપ્રેસ’ની મુસાફરી
Rajasthan Political Twist રાજસ્થાનના રાજકારણમાં મોટો ભૂકંપ! વસુંધરાના ગઢમાં કમળ કરમાયું, કોંગ્રેસે ક્લીન સ્વીપ કરી ભાજપને આપ્યો જોરદાર આંચકો
Exit mobile version