Site icon News Continuous Bureau | Mumbai

રાજ્ય સરકારો ધ્યાન રાખે કે મજૂર રેલવેના પાટા પર ન ચાલે: કેન્દ્ર સરકારનું પરિપત્રક

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

11 મે 2020 

16 મજુરોના મૃત્યુ બાદ કેન્દ્ર સરકાર હવે સફાળી જાગી છે. ગૃહ મંત્રાલય દ્વારા દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખી જાણ કરવામાં આવી છે કે "એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં સ્થળાંતર કરી જતા લોકોને રસ્તા પર ચાલવાની કે રેલવે ટ્રેકના પાટે પાટે  ચાલી જતા લોકોને રોકવામાં આવે, કરણ કે  આમ ચાલીને જવાથી તેઓના જીવને જોખમ છે". પાછલા થોડા દિવસોથી જોવા મળ્યું છે કે ટ્રેનની, બસની સુવિધા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે પરંતુ રાજ્ય સરકારો દ્વારા કેન્દ્ર પાસે વધુ ટ્રેનોની માંગ ન થવાથી મજૂરો પગપાળા જ પોતાના વતન જવા નીકળી ગયા છે. કેન્દ્ર દ્વારા કહેવાયું છે કે આવા લોકોને નજીકમાં બનેલા શૅલ્ટર હોમમાં લઈ જાઈ તેઓના રહેવાની અને ખોરાક, પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે. જ્યાં સુધી બસ કે ટ્રેન તેઓના ગામ સુધી જતી નહીં મળે, એનો બંદોબસ્ત ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર તેઓને રોકી રાખે એવી પણ કેન્દ્રના ગૃહમંત્રાલય દ્વારા સૂચના આપવામાં આવી છે..

Old Currency Notes Rumor Debunked શું ૨૦૦૫ પહેલાની ચલણી નોટો બંધ થઈ રહી છે? બેંક ઓફ મહારાષ્ટ્રની મોટી સ્પષ્ટતા
Income Tax Notice to Student મજૂરની પુત્રીને ઈન્કમ ટેક્સ વિભાગની ૨૦ કરોડની નોટિસ આધારપાન કાર્ડનો દુરુપયોગ થયાનો આક્ષેપ
Muzhiyan Kulam Restoration પુડુચેરીનું 400 વર્ષ જૂનું ‘મુઝિયાન કુલમ’ ફરી જીવંત, નિર્મલા સીતારમણે કર્યું લોકાર્પણ
New Toll Tax Rules વાહનચાલકો માટે મોટી રાહત, હાઈવે પર હવે 60 કિમી સુધી નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ
Exit mobile version