Site icon News Continuous Bureau | Mumbai

Mirzapur train accident: મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના: ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા આટલા લોકોના દર્દનાક મોત,

યુપીના મિર્ઝાપુર જિલ્લામાં થયેલા આ અકસ્માતમાં 5 લોકોના મૃત્યુની પુષ્ટિ, મૃત્યુઆંક વધવાની આશંકા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યા તાત્કાલિક રાહત કાર્યના આદેશ.

Mirzapur train accident મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની

Mirzapur train accident મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની

News Continuous Bureau | Mumbai

Mirzapur train accident ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં બુધવારે (5 નવેમ્બર) એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ. અહીં ચૂનાર રેલવે સ્ટેશન પર એક ટ્રેનની અડફેટે આવતા લગભગ 5 લોકોના કપાવાથી કરુણ મોત નીપજ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દર્દનાક દુર્ઘટનાની નોંધ લીધી છે અને શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત, SDRF અને NDRF ની ટીમોને પણ તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવા માટે મોકલવામાં આવી છે. ઘાયલોની યોગ્ય સારવાર કરવાના આદેશ પણ મુખ્યમંત્રીએ આપ્યા છે અને તેમના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.

Join Our WhatsApp Channel

ટ્રેનમાંથી ખોટી દિશામાં ઉતરવાના કારણે થઈ દુર્ઘટના

પ્રાથમિક માહિતી મુજબ, આ યાત્રીઓ કાર્તિક પૂર્ણિમાના સ્નાન માટે આવ્યા હતા. મુસાફરો ચૂનાર રેલવે સ્ટેશન પર ચૉપન-ચૂનાર પેસેન્જર ટ્રેનમાંથી ઉતર્યા હતા, પરંતુ મુખ્ય દરવાજાને બદલે ટ્રેનના બીજા દરવાજામાંથી ખોટી લાઇનમાં ઉતરીને પાટા પરથી ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક કાલકા-હાવડા એક્સપ્રેસ ટ્રેન તે જ ટ્રેક પર ઝડપથી આવી ગઈ. લગભગ 6 લોકો ટ્રેનની નીચે આવી ગયા અને ખરાબ રીતે કપાઈ ગયા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ભીષણ હતો કે મૃતદેહોના ટુકડા વેરવિખેર થઈ ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : UPS plane crash: અમેરિકામાં ભીષણ વિમાન દુર્ઘટના! સાત લોકોના મૃત્યુ, આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ

રેલવેએ 5 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી, તપાસના આદેશ

રેલવેના નિવેદન મુજબ, આ ઘટના MRO એટલે કે ટ્રેન નીચે માનવ આવવાનો કેસ છે. આ દુર્ઘટના ચૂનાર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર થઈ હતી. યાત્રીઓ રેલવે ટ્રેક ક્રોસ કરીને પ્લેટફોર્મ નંબર એક તરફથી ગંગા સ્નાન માટે જવા માગતા હતા. રેલવેએ અત્યાર સુધી 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે, જોકે મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ અકસ્માત બાદ સ્ટેશન પરિસરમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. રેલવે પ્રશાસને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

મૃતકોની ઓળખ જાહેર, મોટાભાગની મહિલાઓ હતી

ચૂનાર રેલવે સ્ટેશન પર થયેલા આ ભયાનક અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ જાહેર કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ અકસ્માતનો ભોગ બનનાર લોકોમાં મોટાભાગની મહિલાઓ હતી.ઘટનાસ્થળે ભારે પોલીસ બળ તૈનાત છે અને રાહત-બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

 

Indian Spice Exports ચીનની ચાલબાજી અને યુધ્ધની અસરથી મસાલાની નિકાસ રૂંધાઇ
India Oman Trade Corridor હોર્મુઝ (Hormuz) પર નિર્ભરતાનો અંત ૩૦ વર્ષથી અટકેલો પ્રોજેક્ટ હવે થશે સાકાર, ગુજરાતથી ઓમાન સુધી ભારત રચી રહ્યો છે નવો ઈતિહાસ
India–Pakistan conflict PoKમાં માનવતા મરી પરવારી પાક આર્મીના અત્યાચાર પર ભારતની લાલ આંખ, ‘દુનિયા જોઈ રહી છે, ઇન્સાફ થશે’
El Niño 2026 Alert૨૦૨૬માં આવી રહ્યો છે સૌથી ભયાનક ‘અલ નીનો’ (El Niño) પેસિફિક મહાસાગરનું તાપમાન ૩.૫ ડિગ્રી સેલ્સિયસ (3.5°C) સુધી ઉકળશે!
Exit mobile version